1. Home
  2. Tag "Latest News Gujarati"

મધ્ય ઈઝરાયલમાં બીરશેબા હોસ્પિટલ પર હુમલાનો બદલો લેવાની ઈઝરાયલની ચેતવણી

મધ્ય ઇઝરાયલમાં બીરશેબા હોસ્પિટલ પર ઇરાની હુમલા બાદ, સંરક્ષણ પ્રધાન કાત્ઝે એક મોટી જાહેરાત કરી છે. કાત્ઝે કહ્યું છે કે હવે ઇરાનના સુપ્રીમ લીડર અલી ખામેનીને મારી નાખવામાં આવશે. કાત્ઝેનું આ નિવેદન વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ દ્વારા બદલો લેવાની પ્રતિજ્ઞા લીધાના થોડા સમય પછી આવ્યું છે. ધ જેરુસલેમ પોસ્ટ અનુસાર, ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન કાત્ઝે કહ્યું […]

દેશમાં માઓવાદી હિંસામાં 83 ટકાનો ઘટાડોઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી બંદી સંજય કુમારે હરિયાણા રાજ્યના માનેસર જિલ્લામાં રાષ્ટ્રીય સુરક્ષા જૂથ (NSG) સંકુલની મુલાકાત લીધી હતી. માનેસરની મુલાકાત દરમિયાન, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે, તેમણે દેશમાં માઓવાદી હિંસામાં થયેલા ઘટાડાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે 2010ની સરખામણીમાં દેશમાં માઓવાદી હિંસામાં 83% ઘટાડો થયો છે. […]

વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાં ભારતની 50 યુનિવર્સિટીઓનો સમાવેશ, IIT દિલ્હી મોખરે

નવી દિલ્હીઃ IIT દિલ્હીએ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026 માં શાનદાર પ્રદર્શન કર્યું છે અને વિશ્વની ટોચની 125 ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાન મેળવ્યું છે. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026 રેન્કિંગ અનુસાર, IIT દિલ્હી ભારતની નંબર-1 શૈક્ષણિક સંસ્થા તરીકે ઉભરી આવી છે. IIT દિલ્હી કહે છે કે આ રેન્કિંગ ગુરુવારે જાહેર કરવામાં આવ્યું છે. IIT દિલ્હીએ QS […]

યુદ્ધવિરામ મુદ્દે ટ્રમ્પે મારી પલટી,  ભારત-પાકિસ્તાનના બે નેતાઓએ લશ્કરી સંઘર્ષ અટકાવવાનો ‘નિર્ણય’ લીધો

ન્યૂ યોર્ક/વોશિંગ્ટનઃ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત અને પાકિસ્તાનના બે “ખૂબ જ સ્માર્ટ” નેતાઓએ પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શકે તેવું યુદ્ધ ચાલુ ન રાખવાનો “નિર્ણય” લીધો છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં આ પહેલી વાર છે જ્યારે ટ્રમ્પે બે પડોશી દેશો વચ્ચેના સંઘર્ષને રોકવાનો શ્રેય લીધો નથી. વ્હાઇટ હાઉસમાં પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરને લંચ માટે […]

ભારતમાં કોવિડ ચેપના સક્રિય કેસ ઘટીને 6 હજારથી નીચે આવ્યો

નવી દિલ્હીઃ કોવિડ-19 ચેપનો નવો પ્રકાર હવે નબળો પડી રહ્યો છે. આને કારણે, ચેપના સક્રિય કેસોમાં સતત ઘટાડો થયો છે. આ સામાન્ય લોકો અને સરકાર માટે મોટી રાહત છે. હાલમાં, ભારતમાં કોવિડ ચેપના સક્રિય કેસ ઘટીને 6 હજારથી નીચે આવી ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 19 જૂનના રોજ સવારે 8 વાગ્યા સુધી કોવિડ અંગેનો ડેટા […]

રાહુલ ગાંધી 55 વર્ષના થયા: PM મોદી, અખિલેશ યાદવ સહિતના નેતાઓ પાઠવી શુભેચ્છાઓ

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમના 55મા જન્મદિવસ પર અભિનંદન આપ્યા હતા. મોદીએ ‘X’ પર લખ્યું હતું કે, “લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને જન્મદિવસની શુભકામનાઓ. હું તેમને લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવું છું.” સમાજવાદી પાર્ટી (SP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ગુરુવારે […]

ખાદ્યતેલના ભાવમાં ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચવો જોઈએ : સરકાર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કહ્યું છે કે ખાદ્યતેલ પર આયાત ડ્યુટીમાં ઘટાડાનો લાભ દેશભરના ગ્રાહકો સુધી પહોંચવા માટે સમયાંતરે નજીકથી દેખરેખ અને સમીક્ષા કરવામાં આવશે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના નિવેદન અનુસાર, ભાવ લાભ આપવામાં કોઈપણ વિસંગતતા અથવા વિલંબને યોગ્ય નિયમનકારી કાર્યવાહી દ્વારા દૂર કરવામાં આવશે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ (DoFPD)એ દેશભરની […]

ગુજરાતના 206 જળાશયોમાં નવા પાણીની આવક, 9 જળાશયો ઓવરફ્લો થયાં

નર્મદા ડેલમાં હાલ 51 ટકા જેટલા પાણીનો જથ્થો 25 જેટલા ડેમ 70 ટકાથી વધારે ભરાયાં રાજ્યના 15 ડેમ ઉપર હાઈએલર્ટ જાહેર કરાયું ગાંધીનગરઃ ગુજરાતમાં સતત વરસાદના કારણે જળાશયોમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘરાજા મનમુકીને વરસ્યાં છે. દરમિયાન નવ જેટલા ડેમ છલકાયાં છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા […]

પ્લેનક્રેશની ધટનાને પગલે ફ્લાઈટને નડતરરૂપ ઈમારતો સામે કાર્યવાહી કરાશે

નવી દિલ્હીઃ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મંત્રાલયે વિમાન સલામતી માટે જોખમ ઉભું કરતી ભૌતિક રચનાઓ પર નિયંત્રણ કડક બનાવવા માટે નવા ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે. 12 જૂનના રોજ, અમદાવાદથી લંડન જતી વખતે એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું હતું. વિમાને અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરી હતી […]

ગુજરાતના 160 તાલુકામાં મેઘમહેર, ડાંગના આહવામાં સૌથી વધારે 9.8 ઈંચ વરસાદ

ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને મોડી રાતે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 27 જિલ્લાના 160 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. ડાંગના આહવામાં સૌથી વધારે 9.8 ઈંચ, કપરાડામાં 9.5 ઈંચ, ડાંગના વઘઈમાં 7.7 ઈંચ, ડાંગના સુબરીમાં 7.1 ઈંચ અને વલસાડના ધરમપુરમાં 6.6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આમ મેઘરાજા દક્ષિણ ગુજરાતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code