1. Home
  2. Tag "Leaders"

સંસદ હુમલાની 24મી વરસી: PM મોદી, રાહુલ ગાંધી, અમિત શાહ સહિતના નેતાઓએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ આજે સંસદ ભવન પર થયેલા આતંકી હુમલાની 24મી વરસી છે. દેશ આજે 2001ના એ વીર સપૂતોને યાદ કરી રહ્યો છે, જેમણે પોતાના જીવની પરવા કર્યા વિના આતંકવાદીઓના નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યા હતા. આ અવસર પર ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, લોકસભાના નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, […]

હમાસના લીડરોમાં ઈઝરાયલનો ખોફ, મીટીંગ સ્થળે ઈલેક્ટ્રોનિક ઉપકરણો ઉપર મુક્યો પ્રતિબંધ

ઇઝરાયેલ દ્વારા હમાસના ટોચના કમાન્ડરો પર સતત હુમલાઓ અને વિદેશી ધરતી પર પણ હત્યાના પ્રયાસોના કારણે હવે સંગઠને અત્યાર સુધીના સૌથી કડક સુરક્ષા નિયમો લાગુ કરી દીધા છે. લંડન સ્થિત અખબાર ‘અશરક અલ-અવસત’ના અહેવાલ મુજબ, કતારના દોહામાં તાજેતરમાં નિષ્ફળ ગયેલા હત્યાના પ્રયાસ બાદ હમાસના વરિષ્ઠ નેતાઓએ પોતાની સુરક્ષા અનેક ગણી વધારી દીધી છે. રિપોર્ટમાં જણાવાયું […]

બિહાર ચૂંટણીઃ નીતિશ કુમાર અને લાલુ પરિવાર સહિતના આગેવાનોએ કર્યું મતદાન

પટનાઃ બિહાર વિધાનસભાની 121 બેઠકો ઉપર હાલ શાંતિપૂર્ણ માહોલમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ સહિતના આગેવાનોએ મતદાન કરીને મતદારોને કરવાની અપીલ કરી હતી.બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બખ્તિયારપુરા સ્થિત મતદાન કેન્દ્ર પર સવારે જ મુખ્યમંત્રી નીતિશ કુમારે મતદાન કર્યું હતું. તેમણે મતદાનને લઈને ફોટો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી SCOના દેશોના વડાઓની પરિષદની 25મી બેઠકમાં ભાગ લેવા ચીનના તિઆનજીન પહોંચ્યા

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના દેશોના વડાઓની પરિષદની 25મી બેઠક આજથી ચીનના તિઆનજીનમાં શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શિખર સંમેલનમાં ભાગ લેવા માટે તિઆનજીન પહોંચ્યા છે. આ બે દિવસીય પરિષદમાં વીસથી વધુ દેશોના ટોચના નેતાઓ અને દસ આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડાઓ ભાગ લેશે. ચીન પાંચમી વખત SCO શિખર સંમેલનનું આયોજન કરી રહ્યું છે. આ બેઠકની અધ્યક્ષતા […]

પાકિસ્તાની સેનાએ ગુમ કરેલા બે આગેવાનોની હત્યા કર્યાનો બલૂચ માનવાધિકાર સંસ્થાનો દાવો

બલૂચ નેશનલ મૂવમેન્ટના માનવાધિકાર સંગઠન ‘પાંક’ એ બલૂચિસ્તાનના અવારન જિલ્લાના મશ્કાઈમાં પાકિસ્તાન સેના દ્વારા વધુ બે બળજબરીથી ગુમ થયેલા લોકોની હત્યાની સખત નિંદા કરી. માનવાધિકાર સંસ્થા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “પાકિસ્તાની સેનાએ મશ્કાઈ છાવણીમાં અલી મુહમ્મદ અને નિઝારની હત્યા કરી હતી. તે બંનેને અગાઉ બળજબરીથી ગુમ કરવામાં આવ્યા હતા અને […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી સહિતના નેતાઓએ વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દેશવાસીઓને વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છા પાઠવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કર્યું, “વિશ્વ પર્યાવરણ દિવસ પર, ચાલો આપણે આપણા ગ્રહનું રક્ષણ કરવાની આપણી પ્રતિબદ્ધતાને ફરીથી પુષ્ટિ આપીએ. ચાલો આપણે સંસાધનોના સંરક્ષણ અને પર્યાવરણને અનુકૂળ વર્તનને પ્રોત્સાહન આપવા માટે […]

પહેલગામ આતંકી હુમલા પર કોંગ્રેસે નેતાઓને સંયમિત નિવેદનો આપવા તાકીદ કરી

નવી દિલ્હીઃ પહલગામ આતંકી હુમલા પર ચાલી રહેલીૂ નિવેદનબાજી વચ્ચે કોંગ્રેસે તેના નેતાઓને એક પરિપત્ર જાહેર કર્યો છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે પાર્ટીના નેતાઓ, પદાધિકારીઓ અને કાર્યકરોને પાર્ટી લાઈનથી ભટકે તેવું કોઈ નિવેદન ન આપવા જણાવ્યું છે. આતંકવાદી હુમલા પર ઊંડી સંવેદના વ્યક્ત કરતી વખતે, કોંગ્રેસે તેના નેતાઓને 24 એપ્રિલના રોજ યોજાયેલી કોંગ્રેસ કાર્યકારી સમિતિ […]

વિશ્વ પૃથ્વી દિવસઃ રાજકીય મહાનુભાવો સહિતના આગેવાનોએ પર્યાવરણની જાળવણી માટે કરી અપીલ

પૃથ્વીના સંરક્ષણ અને પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદેશ્ય સાથે ઉજવાય છે. વિશ્વભરમાં જાગૃતિ લાવવા, પર્યાવરણીય સંરક્ષણ માટે સંવેદનશીલતા વધારવા અને જીવન ચક્રની સુરક્ષા માટે પ્રેરિત કરવા માટે ઉજવણી.. દર વર્ષે 22 એપ્રિલના દિવસને વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ પર્યાવરણ સંરક્ષણ તરફ ધ્યાન દોરવાનો છે. વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે, નેતાઓએ […]

દિલ્હી ચૂંટણીઃ ડો.એસ.જયશંકર અને રાહુલ ગાંધી સહિતના નેતાઓએ કર્યું મતદાન

દિલ્હી ચૂંટણીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ છે. સામાન્ય હોય કે ખાસ દરેક વ્યક્તિ પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ના નેતાઓએ વહેલી સવારે મતદાન કર્યું છે. કેન્દ્રીય રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાએ મતદાન કર્યું. આ દરમિયાન તેમણે દાવો કર્યો કે ભાજપ આવી રહ્યું છે. […]

નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને મકરસંક્રાંતિની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિનું વિશેષ સ્થાન છે, જે સૂર્યદેવના મકર રાશિમાં પ્રવેશની યાદમાં ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિત ઘણા નેતાઓએ દેશવાસીઓને મકરસંક્રાંતિની શુભકામનાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કહ્યું, “મકરસંક્રાંતિ પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઉત્તરાયણ સૂર્યને સમર્પિત આ શુભ તહેવાર બધાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code