1. Home
  2. Tag "Local Samachar"

હાજી રમકડું, ધાર્મિક પંડ્યા, અરવિંદ વૈદ અને રતિલાલ બોરીસાગર સહિત 5 ગુજરાતીને પદ્મશ્રી

અમદાવાદ, 25 જાન્યુઆરી 2026:  દેશમાં 77 માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ આજે કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી  ગુજરાતમાં કલા, સમાજસેવા, શિક્ષણ, અને ચિકિત્સા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન આપનારા 5 ને પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં ચિકિત્સા ક્ષેત્રે અંગદાનની પ્રવૃતિના પ્રણેતા એવા સુરતના નિલેશ માંડલેવાલા તથા  ઢોલકના કારણે હાજી રમકડુંના […]

લોકશાહીની ભાવનાને ઉજાગર કરવા યુવાનો ચૂંટણીમાં સહભાગી થઈ પ્રેરણારૂપ બનેઃ રાજ્યપાલ

ગાંધીનગર, 25 જાન્યુઆરી 2026:  16માં રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ભારતના ગણતંત્ર દિવસના એક દિવસ પહેલા એટલે કે, 25મી જાન્યુઆરી ,1950ના દિવસે ભારતના ચૂંટણી પંચની રચના થઇ તે તારીખથી ચૂંટણીની આ વ્યવસ્થિત પ્રક્રિયાનો પ્રારંભ થયો અને આજે ભારત વિશ્વમાં સૌથી મોટું લોકશાહી તંત્ર છે. તેમા ચૂંટણી પ્રક્રિયામાં […]

મહેસાણા પંથકના ખેડૂતોએ તમાકૂ પરના તોતિંગ ટેક્સ સામે કર્યો વિરોધ

મહેસાણા, 25 જાન્યુઆરી 2026:  કેન્દ્ર સરકારે તમાકુ અને તમાકુની બનાવટો પર તોતિંગ ટેક્સ લાદ્યો છે. તેના કારણે તમાકુ ઉત્પાદક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ઊંઝાના ઉનાવામાં તમાકુ પકવતા ખેડૂતો અને વેપારીઓ સરકારની નીતિ સામે મેદાનમાં આવ્યા છે. સરકાર દ્વારા બિન ઉત્પાદિત તમાકુ પર જે રીતે ટેક્સનું ભારણ વધારવાની તૈયારી કરાઈ છે, તેના કારણે વેપારીઓ અને […]

અમદાવાદના રખિયાલમાં રિનોવેશનના બહાને ઉર્દુ શાળા 5 વર્ષથી બંધ

અમદાવાદ, 25 જાન્યુઆરી 2026:  શહેરમાં રખિયાલ વિસ્તારમાં આવેલી ઉર્દુ શાળાને છેલ્લા 5 વર્ષથી મરામત કરવાને બહાને બંધ કરવામાં આવી છે, અને સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને બીજી સ્કૂલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે બાળકોને બેથી ત્રણ રોડ ક્રોસ કરીને બીજી સ્કૂલમાં જવું પડે છે. આથી રખિયાલ અને બાપુનગરના વાલી મંડળોએ માંગણી કરી કે, રીપેરીંગ કરીને ફટાફટ સ્કૂલ ચાલુ […]

અમરેલીમાં ધાર્મિક વિધિના બહાને લોકોને છેતરતી લૂંટારૂ ગેન્ગ પકડાઈ

અમરેલી, 25 જાન્યુઆરી 2026:  લોકોને અવનવી તરકીબો અપનાવીને છેતરપિંડીના બનાવો બની રહ્યા છે. ત્યારે ધાર્મિક વિધિ કરવાના બહાને લોકોનો વિશ્વાસ જીતી, સોનાના દાગીના અને રોકડની છેતરપિંડી કરતી રાજકોટની એક રીઢા ગુનેગારોની ગેંગને અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ ઝડપી પાડી છે. પોલીસે આ ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરીને પૂછતાછ કરતા અમરેલી, રાજકોટ, મોરબી અને જામનગર જિલ્લામાં […]

જુનાગઢમાં મુખ્યમંત્રીના હસ્તે નરસિંહ મહેતા સરોવરનો 28મીએ લોકાર્પણ કરાશે

જુનાગઢ, 25 જાન્યુઆરી 2026:  શહેરના ઐતિહાસિક મહત્વ ધરાવતા નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશન કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આગામી 28 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે. છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલી આ કામગીરી બાદ હવે સરોવર નવા આકર્ષણો સાથે પ્રવાસીઓ અને સ્થાનિકો માટે તૈયાર કરાયુ છે. નરસિંહ મહેતા સરોવરના નવીનીકરણ […]

ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર દ્વારા મંગળવારે વહેલી પરોઢે 3 વાગ્યે સંમેલન યોજાશે

ગાંધીનગર, 25 જાન્યુઆરી 2026: ગાંઘીનગર દક્ષિણના ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના નેતૃત્વવાળી ઠાકોરસેના દ્વારા આગામી તા,27મી ને મંગળવારે સવારે ત્રણ વાગ્યે ગાંધીનગરના રામકથા મેદાનમાં અભ્યુદય નામે સંમેલન યોજાશે, આ સંમેલન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ સંમેલન વહેલી સવારે 3 વાગ્યે યોજાનાર હોવાથી સામાજિક અને રાજકીય વર્તુળોમાં ભારે કુતૂહલ અને ચર્ચાઓ જાગી છે.  ગુજરાતમાં સ્થાનિક […]

વડોદરાના ગોરવામાં બેટરીના ગોદામમાં લાગેલી વિકરાળ આગ પર કાબુ મેળવાયો

વડોદરા, 25 જાન્યુઆરી 2026:  શહેરના ગોરવા મધુનગર વિસ્તારમાં આવેલા કાર-બાઈકની બેટરીના ગોડાઉનના બેટરી સ્ટોરેજમાં લાગેલી આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગ્યાની જાણ થતાં જ પાંચ ફાયર સ્ટેશનનો સ્ટાફ ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે નજીકની સોસાયટીમાં એક તરફથી લોકોને દૂર […]

સુરતમાં રેલવે સ્ટેશન પર નાઈજરિયન મહિલા 2.30 કરોડના ડ્રગ્સ સાથે પકડાઈ

સુરત, 25 જાન્યુઆરી 2026: શહેરમાં ડ્રગ્સની હેરાફેરી સામે પોલીસ એલર્ટ મોડ પર છે. ત્યારે શહેરના રેલવે સ્ટેશન પર ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા બાતમીના આધારે મુંબઈ સેન્ટ્રલથી અમૃતસર જતી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાં પ્રવાસ કરી રહેલી એક વિદેશી મહિલાની જડતી લેતા તેની પાસેથી કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યુ છે. ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સને બાતમી મળી […]

અમદાવાદમાં ખારીકટ કેનાલનું કામ બાકી છે, ત્યારે કેનાલમાં પાણી છોડાતા કામગીરીને બ્રેક

અમદાવાદ, 25 જાન્યુઆરી 2026: શહેરમાં છેલ્લા ઘણા સમયથી ખારીકટ કેનાલનું કામ ચાલી રહ્યુ છે. મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે પણ હજુ 50 મીટરની કામગીરી બાકી છે. ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલમાં એકાએક પાણી છોડાતા પ્રોજેક્ટની કામગીરી પર બ્રેક વાગી ગઈ છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન અને સિંચાઈ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો છે. તેમજ ભાજપના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code