1. Home
  2. Tag "Local Samachar"

ભાવનગરઃ કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના મેળાનો યોજાયો

ભાવનગરઃ ભાવનગર જિલ્લાનાં કોળીયાક ગામ ખાતે નિષ્કલંક મહાદેવનાં સાનિધ્યમાં ભાદરવી અમાસનો મેળો યોજાઇ હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિકોમાં અનેરા ઉત્સાહ સાથે જોડાયા હતા. ભાવિકોએ આસ્થાભેર ભાદરવી અમાસમાં પવિત્ર સ્નાન કર્યું હતું. ભાદરવી અમાસના મેળામાં રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ સોલંકી તથા આગેવાન દિવ્યેશભાઈ સોલંકીએ કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંત્રીએ ભક્તોને […]

કોચીના કલ્મસ્સેરીમાં અદાણી લોજિસ્ટિક્સ પાર્કનો શિલાન્યાસ

કોચી : અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (એપીએસઇઝેડ)એ  કોચીના કલ્મસ્સેરીમાં અદાણી લોજિસ્ટિક્સ પાર્કના શિલાન્યાસની સહર્ષ જાહેરાત કરી છે,  કેરળના મુખ્ય મંત્રીશ્રી શ્રી પિનરાય વિજયનના હસ્તે આ પાર્કનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ઈન્વેસ્ટ ઇન કેરળ પહેલ હેઠળ’ વિકસાવવામાં આવેલા  આ સીમાચિહ્નરુપ પ્રકલ્પ કેરળને લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક પાવર હાઉસમાં પરિવર્તિત કરવાની દીશામાં એક મહત્વનું પગલું […]

ગિરનાર પર્વત પર બે કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતાં દામોદર કુંડમાં ઘોડાપૂર, યાત્રાળુઓના પ્રવેશ પર રોક

જુનાગઢમાં ભારે વરસાદથી ગિરનાર પર્વત અને દાતાર પર્વત પર પાણીની આવક વધી છે, જેને લઈને નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગિરનાર પર્વત પર બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતાં દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે. આજે અમાસ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકો પિતૃતર્પણ કરવા માટે દામોદર કુંડ આવ્યા હતા. જોકે, કુંડમાં પૂરની પરિસ્થિતિને કારણે વહીવટી […]

પંજાબના હોશિયારપુરમાં LPG ટેન્કરમાં વિસ્ફોટ, બે લોકોના મોત અને ઘણા ઘાયલ

પંજાબના હોશિયારપુર-જલંધર હાઇવે પર મંડિયાલા ગામ નજીક એલપીજી ટેન્કર વિસ્ફોટમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. હોશિયારપુર સિવિલ હોસ્પિટલના સિનિયર મેડિકલ ઓફિસરે આ વાતની પુષ્ટિ કરી. પંજાબના સીએમ ભગવંત માને અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. […]

રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં પૂર જેવી સ્થિતિ, સુરસાવ ડેમમાં હોડી પલટી જતા 10 લોકો તણાયા

રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં મુશળધાર વરસાદથી જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ભારે વરસાદને કારણે જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ઘણા ગામડાઓ પાણીમાં ડૂબી ગયા છે અને રસ્તાનો સંપર્ક ખોરવાઈ ગયો છે. દરમિયાન, સુરવાલ ડેમમાં એક મોટી દુર્ઘટના બની છે, જ્યાં ભારે પ્રવાહમાં એક હોડી પલટી જતાં 10 લોકો પાણીમાં તણાઈ ગયા છે. […]

પાકિસ્તાનના મામલે ક્યારેય કોઈની મધ્યસ્થી સ્વીકારી નથી: ડો. જયશંકર

નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામનો દાવો કરી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સ્પષ્ટપણે કહ્યું કે, અમે પાકિસ્તાનના મામલે ક્યારેય કોઈની મધ્યસ્થી સ્વીકારી નથી. પાકિસ્તાન સાથે મધ્યસ્થી અંગે ભારતનું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે અને રહેશે. એક કાર્યક્રમમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે ભારત-પાકિસ્તાન સંઘર્ષના મુદ્દા પર, અમે 1970 થી અત્યાર […]

અનિલ અંબાણીની આરકોમ પર 200 કરોડની બેંક છેતરપીંડી મામલે CBIએ નોંધ્યો ગુનો, પરિસરોમાં દરોડા

નવી દિલ્હીઃ CBI બેંક છેતરપિંડીના કેસમાં RCom અને અનિલ અંબાણી સાથે જોડાયેલા પરિસરમાં તપાસ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, CBI એ શનિવારે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ સામે કેસ નોંધ્યો અને કથિત બેંક છેતરપિંડીના સંદર્ભમાં તેના પરિસરમાં તપાસ કરી છે. આ છેતરપિંડીને કારણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને 2,000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. તેમણે કહ્યું કે, […]

અમદાવાદઃ ગાઝા પીડિતના નામે મસ્જિદોમાંથી નાણા ઉઘરાવતી ગેંગનો પર્દાફાશ, એકની અટકાયત

અમદાવાદઃ ઈઝરાયલ અને ગાઝા વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન અમદાવાદમાં ગાઝા પીડિત તરીકે ઓળખ આપીને મસ્જિદોમાંથી નાણા પડાવતી સીરિયન ગેંગનો ક્રાઈમબ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. તેમજ એક સીરિયન નાગરિકની અટકાયત કરીને પૂછપરછ આરંભી છે. આરોપી ટુરિસ્ટ વિઝા ઉપર ભારત આવ્યો હતો અને અમદાવાદમાં ગાઝા પીડિતના નામે પૈસા ઉઘરાવીને છેતરપીંડી આચરતો હોવાનું પ્રાથમિક તપાસમાં […]

ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચનું લાઈવ પ્રસારણ દેશમાં નહીં દર્શાવવા શિવસેનાએ કરી માંગણી

નવી દિલ્હીઃ એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈને ભારતીયો વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ દેશમાં એશિયા કપ દરમિયાન યોજાનારી ભારત-પાકિસ્તાન મેચના લાઇવ પ્રસારણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. રાષ્ટ્રીય હિત અને જનભાવનાને ટાંકીને, તેમણે શુક્રવારે સરકારને પત્ર લખીને આવતા મહિને એશિયા કપ દરમિયાન ભારત-પાકિસ્તાન મેચનું લાઇવ પ્રસારણ […]

ED દ્વારા ઓનલાઈન સટ્ટેબાજી કેસમાં કોંગ્રેસના MLA કેસી વીરેન્દ્રની ધરપકડ કરાઈ, દરોડામાં કરોડની મતા જપ્ત કરાઈ

બેંગ્લોરઃ ઈડી ગેરકાયદે ઓનલાઈન અને ઓનલાઈન સટ્ટેબાજી કેસમાં કર્ણાટકના ચિત્રદુર્ગ મતવિસ્તારના ધારાસભ્ય કેસી વીરેન્દ્રની ગંગટોકથી ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. PMLA, 2002 હેઠળ તેમના સંબંધિત સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં લગભગ 12 કરોડ રૂપિયા રોકડા, 6 કરોડ રૂપિયાના સોનાના દાગીના, લગભગ 10 કિલો ચાંદીની વસ્તુઓ અને ચાર વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code