1. Home
  2. Tag "Local Samachar"

ગુજરાતમાં કાલે સોમવારથી ઘેરબેઠા ઓનલાઈન લર્નિંગ લાયસન્સ મળશે,

અરજી પછી 7 દિવસ ફરજિયાત રોડ સેફ્ટી ટ્યુટોરિયલ જોવાનું રહેશે, 16થી 18 વર્ષના અરજદારે વાલીનું સંમતિ પત્ર અપલોડ કરવું પડશે, અરજદારોએ ઓનલાઈન પરીક્ષા આપવી પડશે અમદાવાદઃ ગુજરાતમાં આવતી કાલ તા.7મી જુલાઈને સોમવારથી ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સ મેળવવાની સુવિધાનો પ્રારંભ થશે. લર્નિંગ લાયસન્સ મેળવવા માટે પરીક્ષાથી લઈને તમામ કાર્યવાહી ઓનલાઈન કરવાની રહેશે, લર્નિંગ લાયસન્સ માટે સૌથી […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 129 તાલુકામાં વરસાદ, 12 જિલ્લામાં ઓરેન્જ- યલો એલર્ટ

રવિવારે સવારે પુરા થતાં 24 કલાક દરમિયાન 153 તાલકામાં વરસાદ પડ્યો, સૌથી વધુ ભિલોડામાં સાડા 6 ઇંચ વરસાદ, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી અમદાવાદઃ રાજ્યમાં આજે બપોર સુધીમાં 129 તાલુકામાં વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 11 જુલાઈ સુધી સાર્વત્રિક […]

અમદાવાદ ઈન્દોર હાઈવે પર દાહોદ નજીક RTO ઈન્સ્પેક્ટરએ ટ્રકચાલકને ઢોર મારમાર્યો

ટ્રક ન રોકતા પીછો કરીને બેરિકેડ્સ ફેંકતા ટ્રકને પંકચર પડ્યું, ટ્રક ડ્રાઈવરને નિર્દયતાથી લાકડી વડે ઢોર માર મારતો વિડિયો વાયરલ, ઈજાગ્રસ્ત ટ્રકચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો દાહોદ:  ઇન્દોર-અમદાવાદ હાઈવે પર આરટીઓ  ઇન્સ્પેક્ટર લાકડી વડે ટ્રકના ચાલકને માર મારતા હોવાનો વિડિયો વાયરલ થતાં આરટીઓ સામે લોકોમાં નારાજગી ઊભી થઈ છે. દાહોદ આરટીઓમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટરે અન્ય […]

વડગામ તાલુકાના જાણીતા પાણિયારી ધોધ પર પ્રવાસીઓ માટે પ્રતિબંધ મુકાયો

પાણિયારી ધોધનો નજારો માણવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, ધોધ ઉપર યુવક ડૂબવાનો વીડિયો વાયરલ થયા બાદ પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો, વડગામ પોલીસે જુલાઈથી નવેમ્બર સુધી પ્રવાસીઓના પ્રવેશ પર રોક લગાવી પાલનપુરઃ  બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે. છેલ્લા પખવાડિયાથી વરસાદી માહોલ સર્જાયો છે.  ભારે વરસાદના કારણે વાવ તાલુકામાં આવેલો પાણિયારી ધોધ જીવંત બન્યો છે, […]

ખાનગી યુનિવર્સિટીઓએ સેન્ટર ઑફ એક્સેલન્સનો દરજ્જો મળ્યા બાદ ફીમાં કર્યો ધરખમ વધારો

ગુજરાત સરકારે 10 યુનિવર્સિટીઓને સેન્ટર ઑફ એક્સેલેન્સનો દરજ્જો આપ્યો છે, સેન્ટર ઑફ એક્સેલેન્સનો દરજ્જો મળતા જ ફી રેગ્યુલેશન્સના કાયદામાંથી મુક્તિ મળી, ખાનગી યુનિવર્સિટીઓ પોતાની રીતે જ ફી નક્કી કરી શકે છે, અમદાવાદઃ રાજ્ય સરકારે ત્રણ વર્ષ પહેલા સાત ખાનગી યુનિવર્સિટીઓને સેન્ટર ઑફ એક્સેલન્સનો દરજ્જો આપ્યો હતો. જે સાથે 7 યુનિવર્સિટીઓને સરકારના ફી રેગ્યુલેશન્સના કાયદામાંથી મુક્તિ […]

વડોદરામાં રખડતા ઢોરને પકડીને પુરવા માટેના ડબ્બાની કામગીરી આઉટસોર્સથી કરાશે

વડોદરા મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમીટીએ દરખાસ્તને મંજુરી આપી, વીએમસી ઢોરના ડબ્બાના આઉટસોર્સ માટે વર્ષે 1.74 કરોડ ખર્ચશે, ઢોરવાડા માટે 56 કરોડનું ઘાસ ખરીદવાના કામને પણ મંજૂરી વડોદરાઃ શહેરમાં રોડ-રસ્તાઓ પર રખડતા ઢોર સામે મ્યુનિ. દ્વારા સમયાંતરે ઝૂંબેશ ચલાવવામાં આવે છે. રખડતા ઢોરને પકડીને ઢોર માટેના ડબ્બામાં પુરવામાં આવે છે. અને ઢોરમાલિકો દંડ ભરીને ઢોરને છોડાવી જતાં […]

અમદાવાદમાં સિનિયર સિટિઝન્સ હવે AMTS અને BRTS બસમાં મફત મુસાફરી કરી શકશે

65 વર્ષથી વધુ વયના વડિલોએ મફત મુસાફરી માટે પાસ કઢાવવો પડશે, દિવ્યાંગો પણ AMTS, અને BRTSમાં મફત મુસાફરી કરી શકશે, મ્યુનિ.કોર્પોરેશનમાં 2500 કર્મચારીઓની કરાર આધારિત ભરતી કરાશે અમદાવાદઃ શહેરમાં 65 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝન્સને હવે એએમટીએસ અને બીઆરટીએસ બસમાં મફત મુસાફરીનો લાભ મળશે. અગાઉ એએમટીએસ અને બીઆરટીએસમાં મફત મુસાફરી માટે વયમર્યાદા 75 વર્ષની હતી. […]

ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના બિન શૈક્ષણિક કર્મીઓના પગારમાં 50 ટકા વધારો

કચ્છ યુનિની સ્થાપના 2004માં થઈ ત્યારથી કર્મચારીઓ ફિક્સ પગારમાં કામ કરી રહ્યા છે, કર્મચારીઓને 50 ટકા પગાર વધારાનો લાભ 1લી જાન્યુઆરીથી મળશે, કર્મચારીઓને 43 લાખ એરિયર્સ ચુકવવામાં આવશે ભૂજઃ ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિ. દ્વારા બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે 50 ટકા માતબર પગાર વધારો કરાયો છે. વર્ષ 2004 થી યુનિ.ની સ્થાપના થઈ ત્યારથી યુનિ.માં […]

સાંતલપુર-સાંચોર વચ્ચેના હાઈવેના નબળા કામ અંગે NHIના પ્રોજેક્ટ ડાયરેક્ટર સસ્પેન્ડ કરાયા

પ્રથમ વરસાદમાં હાઈવે પર મોટા ગાબડાં પડ્યા, માટીના સોઈલ ટેસ્ટમાં હલકી ગુણવત્તા જણાઈ, કોન્ટ્રાક્ટર કંપનીને કરોડો રૂપિયાનો દંડ ફટકારાયો પાલનપુરઃ ગુજરાતમાં નવિન રાષ્ટ્રીય ધોરી માર્ગો બનાવ્યા બાદ કેટલાક હાઈવે પર સામાન્ય વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે. જામનગરથી અમૃતસર સુધીના 80,000 કરોડના ખર્ચે બનેલા ઇકોનોમિક કોરિડોરના સાંતલપુર- સાંચોર એક્સપ્રેસવેના કામમાં ભ્રષ્ટાચાર સામે આવતા કેન્દ્ર સરકારે […]

સુરેન્દ્રનગરમાં 8 જેટલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા રહિશો મુશ્કેલીમાં મુકાયા

વરસાદના સાથે ગટરના પાણી પણ રસ્તાઓ પર ફરી વળ્યા, 200થી વધુ મહિલાઓએ રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો, મ્યુનિ.કોર્પોરેશનમાં રજુઆત છતાંયે કોઈ પગાલાં લેવાતા નથી સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં સારોએવો વરસાદ પડતા જનજીવનને અસર થઈ છે. જેમાં સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને લીધે 8 જેટલી સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ સોસાયટીઓમાં વરસાદના પાણી સાથે બેક મારતી ગટરોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code