1. Home
  2. Tag "Lok Sabha Election 2024"

દિલ્હીની તમામ બેઠકો જીતવા ભાજપે બનાવી ખાસ રણનીતિ, અન્ય રાજ્યના નેતાઓ નાંખશે દિલ્હીમાં ધામા

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે અન્ય તબક્કાના મતદાનને લઈ રાજકીય પક્ષો હરકતમાં આવ્યા છે. દેશની રાજધાની દિલ્હીની 7 લોકસભા સીટો માટે ભાજપે ખાસ રણનીતિ બનાવી છે. આ સાથે ભાજપે દરેક વર્ગ પ્રમાણે પોતાનો ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. આ માટે અન્ય રાજ્યોના નેતાઓ પણ દિલ્હી પહોંચી રહ્યા છે જેમની સંખ્યા ચોથા […]

પી.એમ મોદીનો આજે વારાણસીમાં રોડશો, આવતીકાલે ભરશે નામાંકન 

લોકસભા ચૂંટણીને લઈ હવે PM મોદી આવતીકાલે ઉત્તર પ્રદેશના વારાણસી લોકસભા સીટથી ઉમેદવારી નોંધાવશે. વિગતો મુજબ મંગળવારના દિવસે PM મોદીના નામાંકન દરમિયાન NDAના ઘણા નેતાઓ પણ હાજર રહેશે. આ પહેલા PM મોદી સવારે અસ્સી ઘાટ પર જશે અને લગભગ 10 વાગ્યે કાલ ભૈરવ મંદિરના દર્શન કરશે. આ પછી નોમિનેશન પહેલા લગભગ સવા અગિયાર વાગ્યે NDA […]

લોકસભા ચૂંટણીઃ ચોથા તબક્કાના મતદાનમાં 17.7 કરોડ મતદારો મતાધિકારનો કરશે ઉપયોગ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સોમવારે 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 96 સંસદીય બેઠકો માટે મતદાન થશે. આંધ્રપ્રદેશની રાજ્ય વિધાનસભાની તમામ 175 બેઠકો અને ઓડિશાની રાજ્ય વિધાનસભાની 28 બેઠકો એક સાથે. મતદારોની ભાગીદારી વધારવા માટે પંચ દ્વારા તેલંગાણાના 17 સંસદીય ક્ષેત્રોના કેટલાક વિધાનસભા ક્ષેત્રોમાં મતદાનનો સમય (સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી) વધારવામાં આવ્યો હતો. આઇએમડીની […]

લોકસભા ચૂંટણીઃ ત્રીજા તબક્કામાં બપોરના 3 કલાક સુધી સરેરાશ 50.71 ટકા મતદાન

નવી દિલ્હીઃ ગુજરાતની લોકસભાની 25 બેઠકો સહિત 11 રાજ્યોની 93 જેટલી બેઠકો ઉપર આજે સવારથી મતદાન ચાલી રહ્યું છે દરમિયાન બપોરના 3 કલાક સુધીમાં એકંદરે સરેરાશ લગભગ 50.71 ટકા જેટલુ મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે 63.11 ટકા અને સૌથી ઓછુ મહારાષ્ટ્રમાં 42.63 ટકા જેટલુ મતદાન થયું હતું. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતની 25 સહિત 93 બેઠકો ઉપર આજે મતદાન યોજાશે

અમદાવાદઃ ગુજરાતની લોકસભાની 25 બેઠકો સહિત 10 રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 93 બેઠકો ઉપર મંગળવારે મતદાન યોજાશે. લોકસભાની 93 બેઠકો ઉપર 1352 ઉમેદવારોના ભાવિ સાંજે ઈવીએમમાં સીલ થશે. જેમાં 1229 પુરુષ અને 123 મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે. ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે. જે પૈકી સુરત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ, […]

આવો, આપણે મતદાનના મહોત્સવને ઊજવીએ (લેખાંક-5)

 (સુરેશભાઈ ગાંધી) અફઘાનિસ્તાનમાં તાલીબાનોના ફતવાની અવગણના કરી સફીઉલ્લાહે મતદાન કર્યું પછી… હાલમાં ચૂંટણીઓ ચાલે છે તેવે સમયે એક પ્રેરણાદાયી ઘટનાથી લેખનો પ્રારંભ કરીએ. ઘટના અફઘાનિસ્તાનની છે અને સપ્ટેમ્બર, ૨૦૧૪માં બનેલી છે. અફઘાનિસ્તાનમાં ૨૦૧૪માં તાલિબાનોએ ફતવો બહાર પાડેલો કે, સરકાર યોજિત ચૂંટણીમાં કોઈ મતદાન કરવા જશે નહીં. તાલિબાનોના ફતવા એટલા જડબેસલાક અને ડરામણા હોય છે કે […]

કોંગ્રેસ છોડનાર અરવિંદ સિંહ લવલી સહિત પાંચ નેતા ભાજપામાં જોડાયાં

નવી દિલ્હીઃ દિલ્હીમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અરવિંદ સિંહ લવલી સહિત પાંચ કોંગ્રેસી નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. લવલી ઉપરાંત રાજકુમાર ચૌહાણ, નીરજ બસોયા, અમિત મલિક અને નસીબ સિંહ પણ ભાજપમાં જોડાયા હતા. આ તમામને દિલ્હી પ્રદેશ વિરેન્દ્ર સચદેવા દ્વારા આજે બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટીમાં સામેલ કરવામાં […]

વોટ જેહાદની વાતમાં કોંગ્રેસની તુષ્ટિકરણની નીતિ દેખાય છેઃ વડાપ્રધાન મોદી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સહિત ઈન્ડિ ગઠબંધન પર પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદની ભત્રીજી મારિયા આલમના વોટ જિહાદ મામલે આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, વોટ જિહાદની વાત કરનાર કોંગ્રેસની તૃષ્ટીકરણની નીતિ દેખાય છે. ગુજરાતમાં રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, ભાજપ પહેલાથી જ કહે છે કે, દેશની એકતા માટે […]

કોંગ્રેસ માટે પાકિસ્તાનના નેતા દુઆ માગી રહ્યાં છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આણંદમાં વિશાળ જનમેદની સભાને સંબોધી હતી. સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મે દેશને ગેરન્ટી આપી છે કે, 24*7 ફોર 2027. આ મહાન કામ માટે 140 કરોડ દેશવાદીઓના સ્વપ્ન પુર્ણ કરવા માટે મને આપના આર્શિવાદ જોઈએ છીએ. દેશે 60 વર્ષ સુધી કોંગ્રેસનું રાજ જોયું […]

કોંગ્રેસ-આરજેડી એસસી અને એસટીના અધિકારો છીનવી લેવા માંગે છેઃ નરેન્દ્ર મોદી

પટનાઃ બિહારમાં અરરિયા રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરજેડી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. આ દરમિયાન પીએમ મોદીએ આરજેડી-કોંગ્રેસને તેમના સૌથી મોટા મુદ્દા પર ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. અરરિયામાં ‘કર્ણાટક મુસ્લિમ આરક્ષણ’નો મુદ્દો ઉઠાવીને પીએમ મોદીએ કોંગ્રેસની સાથે આરજેડીની મુશ્કેલીમાં વધારો કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, આરજેડી અને કોંગ્રેસ સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code