1. Home
  2. Tag "Major NEWS"

ભાવનગર -સોમનાથ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે સિંહણનું મોત

અમરેલી, 1 ફેબ્રુઆરી 2026:  ભાવનગર–સોમનાથ નેશનલ હાઇવે પર જાફરાબાદ નજીક ફરી એકવાર વન્યપ્રાણીના અકસ્માતની ગંભીર ઘટના બની છે. હાઈવે પર નાગેશ્રી ટોલનાકા નજીક રોડ ક્રોસ કરી રહેલી એક સિંહણને અજાણ્યા વાહન ચાલકે પુરપાટ ઝડપે ટક્કર મારતા સિંહણનું સ્થળ પર જ મોત નિપજ્યુ હતું. આ બનાવની જાણ થતાં વન વિભાગનો સ્ટાફ દોડી ગયો હતો. આ બનાવની […]

અંબાજી મંદિરમાં આજે પૂનમે માતાજીના દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યાં

અંબાજી, 1 ફેબ્રુઆરી 2026:  સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજે મહા સુદ પૂનમના પાવન દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા. જેના કારણે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું. અંબાજી મંદિરમાં મંગળા આરતી દરમિયાન ‘બોલ માડી અંબે જય જય અંબે’ના નાદ ગુંજી ઉઠ્યા હતા. સિદ્ધિ વિનાયકની આરતી, માતાજીની આરતી અને ત્યારબાદ અંબિકેશ્વર […]

સુરતમાં નો-પાર્કિંગમાં કાર ટોઈંગ કરતા પોલીસ કોન્સ્ટેબલને કારચાલકે મારમાર્યો

સુરત, 1 ફેબ્રુઆરી 2026:  શહેરના ઉધના વિસ્તારમાં આવેલા સિલિકોન શોપર્સ પાસે નો-પાર્કિંગમાં પાર્ક કરેલી કારને ટોઈંગ કરવાની કામગીરી કરી રહેલા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચાલકે હુમલો કરી માર મારતા કારચાલક સામે ગુનોં નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત એવી છે કે, શહેરના ઉધનાના સિલિકોન શોપર્સ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા નો-પાર્કિંગમાં […]

ઘાટલોડિયામાં પરિવાર પ્રસંગમાં ગયો અને ઘરમાં તસ્કરો 13 લાખ મત્તા ઉઠાવી ગયા

અમદાવાદ, 1 ફેબ્રુઆરી 2026: શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતો એક પરિવાર રાજકોટ જનાઈના પ્રસંગમાં પોતાનું ઘર બંધ કરીને ગયો હતો. ત્યારે બંધ મકાનના તાળાં તોડીને તસ્કરો રૂપિયા 13 લાખના સોનાના દાગીના સહિત મત્તા ઉઠાવી ગયા હતા. પરિવાર પ્રસંગ પુરો કરીને ઘેર પરત ફર્યો ત્યારે ચોરી થયાની જાણ થતાં ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ […]

PMના આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ છેઃ મુખ્યમંત્રી

ગાંધીનગર,1 ફેબ્રુઆરી 2026:  કેન્દ્રિય મંત્રી નિર્મલા સિતારમણે સંસદમાં રજુ કરેલા 2026-27ના બજેટ અંગે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે,  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા સામાન્ય લોકોને પ્રાધાન્ય આપ્યું છે. તેમના નેતૃત્વમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું આ બજેટ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાણાંમંત્રી શ્રીમતિ નિર્મલા સિતારામનજીને સતત નવમી વાર બજેટ […]

કેન્દ્રિય બજેટ 2026: ગુજરાતને કેટલો ફાયદો થશે જાણો

ગુજરાતમાં 34 જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનશે સેમિકન્ડક્ટર મિશન ISM 2.0 લોન્ચની જાહેરાતથી ગુજરાતને મોટો ફાયદો થશે લોકલ ઈકોનોમીને ગ્લોબલ ચેલેન્જથી ફાયદો થશે જામનગરમાં WHO ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર બનાવવામાં આવશે કેન્સર અને ડાયાબિટીસ સહિત રેર બીમારીઓની દવા સસ્તી થશે, અમદાવાદ,1 ફેબ્રુઆરી 2026:  કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સિતારમણે આજે સંસદમાં રજુ કરેલા બજેટમાં જે જાહેરાત કરવામાં આવી છે […]

વેટલેન્ડ્સ એ માત્ર જળાશયો નથી, પણ પૃથ્વીની જીવનરેખા છેઃ મંત્રી અર્જુન મોઢવાડિયા

પોરબંદર, 1 ફેબ્રુઆરી 2026:  ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા સાંદિપની આશ્રમ, પોરબંદર ખાતે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ ના પૂર્વે દિને ‘વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ: સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરીટેજ’ વિષય પર બે દિવસીય ‘૮માં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સેમિનારના અધ્યક્ષસ્થાને વન અને પર્યાવરણ મંત્રી  અર્જુન મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા […]

કેન્દ્રિય બજેટમાં ખાદીને પ્રોત્સાહન આપવા મહાત્મા ગાંધી ગ્રામ સ્વરોજગાર યોજનાની જાહેરાત

નવીદિલ્હી,1 ફેબ્રુઆરી 2026:  કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં રજુ કરેલા 2026-27ના બજેટમાં ખાદીને પ્રોત્સાહન આપવા માટે મહાત્મા ગાંધી ગ્રામ સ્વરોજગાર યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના વારાણસી, જૌનપુર સહિત પૂર્વાંચલના લોકો માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમજ ટેક્સટાઇલ સેક્ટર માટે અનેક મહત્વની જાહેરાતો કરી હતી. કેન્દ્રિય નાણામંત્રીએ પોતાના અંદાજપત્રિય પ્રવચનમાં મહાત્મા […]

ચૂંટણી યોજાવાની છે, તેવા રાજ્યો માટે નાણા મંત્રીએ કરી મહત્વની જાહેરાત

નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી 2026:  કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં રજુ કરેલા વર્ષ 2026-27ના બજેટમાં તેમણે ભાષણની શરૂઆત માઘ પૂર્ણિમા અને ગુરુ રવિદાસ જયંતિનો ઉલ્લેખ કરીને કરી હતી, નાણામંત્રીએ જણાવ્યું હતું કે સરકારે હંમેશા દેખાડા કરતાં જન કલ્યાણને પ્રાથમિકતા આપી છે. દરેક નિર્ણય સામાન્ય લોકોના હિતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. નાણાં મંત્રીએ જાહેરાત […]

ઈન્કમટેક્સનો નવો કાયદો 1લી એપ્રિલથી અમલમાં આવશે, નાણામંત્રીએ કરી જાહેરાત

નવી દિલ્હી,1 ફેબ્રુઆરી 2026:  કેન્દ્રિય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજુ કરતા જાહેરાત કરી હતી કે, દેશમાં આગામી 1 એપ્રિલ, 2026થી નવો ‘ઇન્કમ ટેક્સ એક્ટ’ (આવકવેરા કાયદો) અમલમાં લાવશે. આ નવા કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય ટેક્સ પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવાનો છે. જેમાં અઘોષિત આવકની મર્યાદા વધારીને 1 કરોડ રૂપિયા સુધી કરવાનો પ્રસ્તાવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code