કથાકાર મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબેનનું 79 વર્ષની ઉંમરે નિધન
સ્વર્ગસ્થના પાર્થિવ દેહને તલગાજરડાના નિવાસસ્થાને સમાધિ આપવામાં આવી, સ્વ. નર્મદાબેનના નિધનથી તલગાજરડા ગામે બંધ પાળ્યો, સંતો-મહંતો, રાજકીય નેતાઓ વગેરેએ આપી શ્રદ્ધાંજલિ ભાવનગરઃ જાણીતા કથાકાર સંત મોરારિબાપુના ધર્મપત્ની નર્મદાબેનનું ગઈ મોડી કાલે રાતે નિધન થયું હતું. જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતેના તેમના નિવાસસ્થાને નર્મદાબેનએ અંતિમ શ્વાસ લીધા હતા. સ્વર્ગસ્થના પાર્થિવદેહને તલગાજરડાના નિવાસસ્થાને સમાધિ આપવામાં આવી છે. […]