1. Home
  2. Tag "Mota Banav"

સુરતમાં સરથાણાથી કામરેજ સુધી ટ્રાફિકજામની સમસ્યાથી વાહનચાલકો પરેશાન

સુરત, 23 ફેબ્રુઆરી 2026: શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યા પણ વધતી જાય છે. તેના લીધે શહેરના દરેક વિસ્તારમાં ટ્રાફિકની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. ખાસ કરીને શહેરના પ્રવેશદ્વાર ગણાતા સરથાણા જકાતનાકાથી લઈને કામરેજ ચાર રસ્તા સુધીનો માર્ગ વાહનચાલકો માટે માથાનો દુખાવો બની ગયો છે. દરરોજ રાતના સમયે ખાનગી લક્ઝરી બસોના આડેધડ ખડકલાને કારણે […]

નિવૃત શિક્ષિકાને ડિજિટલ એરેસ્ટ કરીને સાયબર માફિયાઓએ 99 લાખ પડાવ્યા

ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2026: સાયબર માફિયાઓ સામે લોકોને જાગૃત રહેવા સરકાર દ્વારા  ગાઈ-વગાડીને કહેવામાં આવી રહ્યું છે છતાંયે ભણેલા-ગણેલા અને ખાસ કરીને સિનિયર સિટીઝન્સ સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે. ગાંધીનગરના એક નિવૃત શિક્ષિકાને ડિજિટલ એરેસ્ટ કરીને માયબર માફિયાઓએ ધાક-ધમકી આપીને રૂપિયા 99 લાખ પડાવ્યા હતા. આ અંગેની ફરિયાદ નોંધાતા ગાંધીનગર સાયબર ક્રાઈમ પોલીસે વધુ […]

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશન, આશ્રયસ્થાન છીનવાતા રહિશો રડી પડ્યાં

રાજકોટ, 23 ફેબ્રુઆરી 2026: શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આરએમસીના ઈતિહાસનું સૌથી મોટુ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જંગલેશ્વર વિસ્તારના 1400થી વધુ મકાનો તોડવા માટે જેસીબી, બુલડોઝર સહિત ટ્રકો-ટ્રેકટરો સહિતના સાધનો સાથે મોટી સંખ્યામાં કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. અને સવારથી મકાનો તોડવાની કામગીરી કરી રહ્યા છે. દબાણ હટાવની કામગીરી કરતા કર્મચારીઓના રક્ષણ માટે સઘન પોલીસ બંદાબસ્ત […]

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિનો પદવીદાન સમારોહ 26મી ફેબ્રુઆરીએ યોજાશે

સુરત, 23 ફેબ્રુઆરી 2026: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી 26 ફેબ્રુઆરી 2026 ના રોજ યુનિવર્સિટીનો 58મો પદવીદાન સમારોહ યોજાશે. આ પદવીદાન સમારોહ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. કેમ્પસમાં પદવીધારકોના સ્વાગત માટે વિશેષ વ્યવસ્થાઓ અને પ્રોટોકોલ મુજબના આયોજનોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પદવીદાન સમારોહમાં 32 ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને જ મેડલ એનાયત […]

ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ

અમદાવાદ, 23 ફેબ્રુઆરી 2026: શિયાળાની વિદાય બાદ ઉનાળાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે, અને ફાગણના પ્રારંભમાં વાતાવરણમાં પલટો આવતા કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યાના વાવડ મળ્યા છે. આજે સોમવારે વહેલી સવારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, જંબુસર સહિતના તાલુકાઓમાં તેમજ ગાંધીનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધીમી ધારે વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. […]

વડોદરા- હાલોલ હાઈવે પર મોડી રાતે અજાણ્યા વાહનની અડફેટે બાઈકચાલકનું મોત

વડોદરા, 23 ફેબ્રુઆરી 2026: રાજ્યમાં હાઈવે પર રાતના સમયે અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. ત્યારે વડોદરા-હાલોલ હાઈવે પર મોડી રાતે કોઈ અજાણ્યા વાહનની અડફેટે બાઈકચાલકનું મોત નિપજ્યુ હતું. જ્યારે બાઈકસવાર યુવાનનો બચાવ થયો હતો. અકસ્માત બાદ પૂર ઝડપે વાહન પલાયન થતાં અકસ્માત કાર દ્વારા સર્જાયો હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી છે. પોલીસે હાઈવે પરના સીસીટીવીના […]

કવિ કાગનાં જીવનદર્શન પર આધારિત પુસ્તક ‘વાણી તો અમરત વદાં’નું પુન:પ્રકાશન

ગાંધીનગર,19 ફેબ્રુઆરી 2026:    પ્રખ્યાત લોકસાહિત્યકાર પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગનાં જીવનદર્શન પર આધારિત પુસ્તક ‘વાણી તો અમરત વદાં’નું 23 વર્ષ બાદ પુન:પ્રકાશન કરવામાં આવ્યું છે. રાજ્યના માહિતી ખાતાએ તૈયાર કરેલી નવી આવૃત્તિનું કવિ કાગની 49મી પુણ્યતિથિ નિમિત્તે અમરેલી જિલ્લામાં આવેલા કાગધામ મજાદરમાં વિમોચન કરવામાં આવશે.  ગુજરાતી લોકસાહિત્યમાં શિરમોર કવિ કાગની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે તેમના […]

ગુજરાતમાં CSR ફંડના સહયોગથી 10.708 આંગણવાડી કેન્દ્રોની થઈ કાયાકલ્પ

ગાંધીનગર, 19 ફેબ્રુઆરી 2026: ગુજરાતના છેવાડાના ગામડાઓથી લઈને મહાનગરો સુધીના બાળકોના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હેઠળ રાજ્યભરમાં આંગણવાડી કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. આ આંગણવાડી કેન્દ્રોને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે રાજ્યભરમાં ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત રાજ્યના ૧૦,૭૦૮ જેટલા આંગણવાડી કેન્દ્રોમાં નવીનીકરણની કામગીરી સફળતાપૂર્વક […]

કૃષિ ક્ષેત્રે સંપૂર્ણ માફી પણ ગામડાંમાં 7.5 % અને શહેરોમાં 15% વીજકર વસુલાય છેઃ નાણા મંત્રી

ગાંધીનગર, 19 ફેબ્રુઆરી 2026:  ગુજરાત વિધાનસભામાં વીજ કરના મુદ્દે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા નાણા મંત્રી  કનુભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે, ખેતીવાડીમાં બોર અથવા કુવા માટે વપરાતી મોટરથી પાણી કાઢી ખેતીની સિંચાઈના ઉપયોગ માટે થતો વીજ વપરાશ તથા તે માટેની લાઈટીંગમાં થતા વીજ વપરાશ પર કોઈ પણ પ્રકારનો વીજ કર લેવામાં આવતો નથી. રાજ્ય સરકાર દ્વારા […]

વેરાવળ ખાતે EEZમાં માછીમારી માટે એક્સેસ પાસની સુવિધા કાલે શુક્રવારે લૉન્ચ કરાશે

ગાંધીનગર, 19 ફેબ્રુઆરી 2026:  ભારતના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ) નિયમોને અમલમાં મૂકવા અને ઊંડા સમુદ્રમાં માછીમારીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી એક સીમાચિહ્નરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી અને પંચાયતી રાજ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ 20 ફેબ્રુઆરીએ વેરાવળ ખાતે વિશેષ આર્થિક ક્ષેત્ર (EEZ)માં માછીમારી માટે એક્સેસ પાસ ફ્રેમવર્ક લૉન્ચ કરશે. આ નવું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code