નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T-20 મેચનું બુકીંગ કરાવનારા ક્રિકેટ પ્રેમીઓને આજથી અપાશે રિફંડ
અમદાવાદઃ કોરોનાના કેસમાં વધારો થતા અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત-ઈંગ્લન્ડ ટી-20 મેચ પ્રક્ષકોને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરાયો છે. બીજી તરફ અનેક લોકોએ ટી-20 મેચ માટે ટીકીટ બુકીંગ કરાવી હતી. T-20 મેચના રિફંડની પ્રક્રિયા આજથી હાથ ધરવામાં આવી છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 સિરીઝ ચાલી રહી છે. […]