1. Home
  2. Tag "News Article"

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના બજેટને સ્ટેન્ડિંગ કમિટીએ નવા કરબોજ ફગાવીને મંજુર કર્યું

રાજકોટ, 10 ફેબ્રુઆરી 2026:  રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનનું વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિ.કમિશનરે રજુ કર્યા બાદ બજેટમાં સુધારા-વધારા કરી, નવા કરબોજને ફગાવીને સ્ટેન્ડિંગ કમિટીએ રૂપિયા 3604.90 કરોડના બજેટ મંજુરીની મહોર મારી છે. હવે આ બજેટ સામાન્ય સભામાં રજુ કરાશે.  રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના નાણાકીય વર્ષ 2026-27નું 3595.70 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા દ્વારા […]

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં મગરોની ગણતરીમાં 417 મગરો નોંધાયા

વડોદરા, 10 ફેબ્રુઆરી 2026:  શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગઈ તા. 7મી ફેબ્રુઆરીથી મગરોની વસતી ગણતરી હાથ ધરવામાં આવી હતી. જે પૂર્ણ થતાં નદીમાં 417 મગરો નોંધાયા છે. મગરોની વસતી ગણતરીમાં એમએસ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ઝૂઓલોજી વિભાગના કર્મચારીઓ, વન વિભાગના કર્મચારીઓ તેમજ એનજીઓના કાર્યકર્તાઓ જોડાયા હતા. ટેકનોલોજીના માધ્યમથી દિવસ અને રાત્રે એમ બે વાર […]

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના કૂખ્યાત બે ગેન્ગસ્ટરને દબોચી લીધા

અમદાવાદ, 10 ફેબ્રુઆરી 2026:  શહેરના વેજલપુર-વિશાલા રોડ પર ફિલ્મી ઢબે પીછો કરીને રાજસ્થાનની અત્યંત કુખ્યાત અમન બચ્ચા ગેંગના બે સાગરીતોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા હતા. ક્રાઈમ બ્રાન્ચે  બન્ને સાગરિતોને પકડવા માટે સાત કલાકની જહેમત ઊઠાવ્યા બાદ સફળતા મળી હતી.  બંને આરોપીઓ ખંડણી, હત્યાનો પ્રયાસ, ટાર્ગેટેડ શુટીંગ, આર્મ્સ એકટ સહિત 20થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા છે. […]

જુનાગઢમાં મહાશિવરાત્રિના 5 દિવસીય મેળાનો બુધવારથી પ્રારંભ થશે

જુનાગઢ, 9 ફેબ્રુઆરી 2026:  શહેર નજીક ગિરનારની તળેટીમાં ભવનાથ ખાતે આગામી તા.11 ફેબ્રુઆરીને બુધવારથી 5 દિવસીય મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થશે. દર વર્ષની જેમ મેળામાં લાખો લોકો ઉમટી પડશે, તંત્ર દ્વારા મેળાની તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર ભવનાથ વિસ્તારમાં પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે તમામ ક્ષેત્રો, ધર્મસ્થાનકો, અન્નક્ષેત્રો અને જ્યાં લોકો મોટા પ્રમાણમાં રોકાવાના છે, તેવા તમામ […]

અમેરિકાએ ટેરિફ ઘટાડતા ગુજરાતના ટેક્સટાઈલ્સ, કેમિકલ સહિત ઉદ્યોગો માટે સૂવર્ણ તક

અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2026:   વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ભારત-અમેરિકા વચ્ચે વચગાળાની વ્યાપાર સમજૂતી (Interim Trade Agreement) કરવામાં આવી છે. જે દેશના અર્થતંત્ર માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે તેમજ ખાસ કરીને ગુજરાતનાં ઉદ્યોગો માટે વિકાસની નવી ક્ષિતિજો ખોલશે. ભારત-અમેરિકા વચ્ચેની આ વ્યાપાર સમજૂતી અંતર્ગત અમેરિકાએ ભારતીય સામાન પરના ટેરિફ 50 ટકાના આકરા […]

ગાંધીનગરમાં 24 કલાક પાણી વિતરણના દાવા પણ સેકટર 12માં એક કલાક અપાતુ નથી

ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2026:  પાટનગર ગાંધીનગરમાં 24 કલાક મીટરથી પાણી આપવાની યોજના અમલમાં છે. અને મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા 24 કલાક નાગરિકોને પાણી મળી રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે શહેરના સેક્ટર-12માં પુરા એક કલાક પણ પાણી  મળતું ન હોવાની ફરિયાદ ઊઠી છે. સેક્ટર-12માં છેલ્લા કેટલાક સમયથી પાણીના વિતરણમાં થયેલા ધરખમ ફેરફારને કારણે સ્થાનિક રહીશોમાં […]

સાયલાનો ક્વોરી ઉદ્યોગ 4 દિવસથી હડતાળ પર જતા 2500 ડમ્પરોના પૈડા થંભી ગયા

સુરેન્દ્રનગર, 9 ફેબ્રુઆરી 2026:  જિલ્લાના સાયલા તાલુકામાં ક્વોરી ઉદ્યોગકારોએ પોતાની વિવિધ પડતર માગણીઓના ઉકેલ માટે છેલ્લા ચાર દિવસથી અચોક્કસ મુદ્દતથી હડતાલ પાડી છે. ક્વોરી ઉદ્યોગની હડતાળ સામે સરકાર મક્કમ રહેતા બ્લેક્ ટ્રેપ (કપચી)નું વિતરણ ઠપ્પ થઈ ગયું છે. તેથી અમદાવાદ, ધોલેરા, વિરમાગામ, સાણંદ સહિતના વિસ્તારોમાં કેટલાક બાંધકામોને અસર થઇ છે. મટીરીયલ સપ્લાય કરતા 2500થી વધુ […]

અમદાવાદમાં પણ ‘હું નાથુરામ ગોડસે નાટક’નો વિરોધ, દીવાલો પર સૂત્રો લખાયા

અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2026:  મહાત્મા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેના નાટકને લઈને ગુજરાતમાં વિરોધ ઊભો થયો છે. પ્રથમ રાજકોટ અને જામનગર બાદ હવે અમદાવાદમાં પણ ‘હું નથુરામ ગોડસે’ નાટકને લઈને વિવાદ વકર્યો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નિર્વાણ તિથિના મહિનામાં જ આ નાટકનું આયોજન થતાં કોંગ્રેસ પક્ષની પાંખ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ મેદાને આવી છે. અમદાવાદના બોડકદેવ […]

જામનગરમાં 27 દર્દીઓને કોલેરાના શંકાસ્પદ કેસથી હોસ્પિટલમાં ખસેડાયા

જામનગર, 9 ફેબ્રુઆરી 2026:  શહેરના ધરારનગર વિસ્તારમાં કોલેરાના 27 શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ટીમ દોડી ગઈ હતી. અને એક સાથે 27 દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરીને બ્લડ-યુરિનના સેમ્પલ લઈને દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.  બીજી તરફ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાણીના નમૂના લેવા સહિતની આનુસંગિક કામગીરી કરવામાં આવી રહી છે.  જામનગર શહેરની […]

AMC દ્વારા 25 વર્ષથી વધુ જુના 6 રેલવે બ્રિજની 62 કરોડના ખર્ચે મરામત કરાશે

અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2026:  શહેરમાં 25 વર્ષ કે તેથી વધુ જુના 6 જેટલા રેલવે બ્રિજને 62 કરોડના ખર્ચે મરામત કરવાનો મ્યુનિ. કોર્પોરેશને નિર્ણય લીધો છે. જે ઓવરબ્રિજની મરામત કરવામાં આવશે જેમાં ગિરધનગર રેલ્વે ઓવરબ્રિજ, ચામુંડા રેલ્વે ઓવરબ્રિજ, કેડીલા રેલ્વે ઓવરબ્રિજ, ચીમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજ, નાથાલાલ ઝગડા રેલવે ઓવરબ્રીજ અને ચાંદલોડીયા રેલવે ઓવરબ્રિજનો સમાવેશ થાય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code