1. Home
  2. Tag "News Article"

ગુજરાત સરકારની 12મી વાર્ષિક ચિંતન શિબિર 13થી 15 નવેમ્બરે વલસાડના રાજચંદ્ર આશ્રમમાં યોજાશે

મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવાયો, શિબિરમાં સહભાગી થવા મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો ટ્રેન દ્વારા વલસાડ જશે, ચિંતન શિબિરમાં પોષણ અને જાહેર આરોગ્ય સહિતના વિવિધ વિષયો આવરી લેવાશે, ગાંધીનગરઃ રાજ્ય સરકારની 12મી વાર્ષિક ચિંતન શિબિર આગામી 13 થી 15 નવેમ્બર 2025 દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર નજીકના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાશે. રાજ્ય મંત્રીમંડળના […]

એશિયા કપઃ ફીલ્ડિંગ ભારતીય ટીમની બની મુશ્કેલી, અત્યાર સુધીમાં 12 કેચ છુટ્યાં

દુબઇ: એશિયા કપ 2025માં ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશને 41 રનથી હરાવી 12મી વાર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. જોકે, જીત વચ્ચે ટીમ ઇન્ડિયાની ફીલ્ડિંગ સૌથી મોટો મુદ્દો બની રહી છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ સૌથી વધુ ડ્રોપ કરેલા કેચોની સૂચિમાં પહેલા નંબરે આવી છે. પાકિસ્તાન આ મામલે ભારતને પાછળ પડ્યું હોવાનું જણાયું છે. ટૂર્નામેન્ટ દરમિયાન ટીમ ઇન્ડિયાએ […]

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનમાં સ્ટાફની અછતને લીધે 1.50 લાખ મિલક્તોનો રિ-સર્વે થયો નથી

મ્યુનિના એસેસમેન્ટ વિભાગમાં પૂરતો સ્ટાફ નથી, શુક્રવારે મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 18 ઠરાવોને મંજુરી અપાશે, મ્યુનિની હદમાં નવા ગામોનો સમાવેશ કરાતા કર્મચારીઓ પર કામનું ભારણ વધ્યુ, ભાવનગરઃ શહેરના મ્યુનિ,કોર્પોરેશનમાં મહેકમ ઓછુ હોવાથી વહિવટી કામમાં મુશ્કેલીઓ પડી રહી છે. શહેરમાં વસતી સાથે વિસ્તાર પણ વધ્યો છે. મ્યુનિના એસેસમેન્ટ વિભાગમાં સ્ટાફની અછતના પગલે ઘણી મિલકતોનો રી-સર્વે બાકી […]

ઓડિસાના સુંદરગઢમાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છનાં મોત

નવી દિલ્હીઃ ઓડિશાના સુંદરગઢ જિલ્લામાં ગુરુવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે મહિલાઓ સહિત છ લોકોના મોત થયા હતા.જ્યારે આઠ મુસાફરો ઘાયલ થયા છે. અકસ્માત NH-520 હાઇવે પર કોઈડા બ્લોક હેઠળના બાલાંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. માહિતી મુજબ, રાઉરકેલાથી કોઈડા જતી એક ખાનગી બસ ખોટી દિશામાંથી આવી રહી હતી અને તે સામેથી […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં નોકરીની લાલચ આપી ફ્રોડ કરનારા બંટી-બબલી પકડાયા

સુરેન્દ્રનગરના 7 યુવાનોને નોકરીની લાલચ આપી 35.15 લાખ પડાવ્યા હતા, આરોપીએ નકલી સહી-સિક્કા કરી નોકરીના ઓર્ડર પણ મોકલ્યા હતા, મેરિટ લીસ્ટમાં નામ ન આવતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો, સુરેન્દ્રનગરઃ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ઇન્સ્પેક્ટરની નોકરી અપાવવાની લાલચ આપીને એક યુવક અને યુવતીએ સુરેન્દ્રનગરના સાત વ્યક્તિઓ પાસે 35.15 પડાવ્યા હતા. એટલું જ નહીં યુવક […]

ભરૂચમાં એટીએમને હેક કરીને અજાણ્યા શખસો રૂપિયા 2.09 લાખની રોકડ કાઢી ગયા

એટીએમ મશીન લેન કેબલ સાથે છેડછાડ કરી હેક કરતા શખસો સીસીટીવીમાં કેદ થયા, એટીએમ મશીનના બેલેન્સમાં રૂ.09 લાખની ઘટ જણાતા હેક થયાની જાણ થઈ, બેંક મેનેજરની ફરિયાદના આધારે ભરૂચ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભરૂચઃ શહેરના  પાંચબત્તી રોડ પર આવેલા એસબીઆઈ બેંકના એટીએમ મશીનને હેક કરી અજાણ્યા શખસો રૂ. 2.09 લાખની રોકડ મેળવી ફરાર થઈ […]

ભાજપના ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો અને પદાધિકારીની શનિવારે કમલમમાં બેઠક મળશે

સંગઠન સંબંધીત કોઇ મહત્વની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવે તેવી વકી, દિવાળી બાદ ગામેગામ સ્નેહ મિલનના કાર્યક્રમો યોજવા સુચન કરાશે અમદાવાદઃ ભાજપના ધારાસભ્યો, જિલ્લા અને શહેર ભાજપના પ્રમુખો, તેમજ ભાજપના પ્રદેશ પદાધિકારીઓ તેમજ આમંત્રિતોની ખાસ બેઠક ગાંધીનગરના કમલમ ખાતે શનિવારે પક્ષના પ્રમુખ સીઆર પાટિલના અધ્યક્ષસ્થાને મળશે.જો કે […]

દહેગામના બહિયલમાં મોડી રાતે બે જુથો બાખડી પડ્યા, ટોળાંએ દૂકાનમાં આગ ચાંપી

સોશિયલ મીડિયા પર સ્ટેટ્સ મૂકવા જેવી નજીવી બાબતે બે જુથો વચ્ચે હિંસક અથડામણ, ગરબી પર પથ્થરમારો અને આગજનીના બનાવો બન્યા, પોલીસના ધાડેધાડા ઉતર્યા, 60 શખ્સોને રાઉન્ડઅપ કરાયા ગાંધીનગરઃ જિલ્લાના દેહગામ તાલુકાના બહિયલ ગામમાં મોડીરાત્રે નજીવી બાબતે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થતા ભારે તંગદિલી સર્જાઈ હતી. હિંસક ટોળાએ ગામમાં ચાલી રહેલી ગરબીમાં પથ્થરમારો, દુકાનમાં તોડફોડ […]

મણિપુરમાં આસામ રાઇફલ્સ પર હુમલાના માસ્ટરમાઇન્ડની ધરપકડ

મણિપુર : ઉત્તરપૂર્વી પ્રદેશમાં સુરક્ષા દળોને મોટી સફળતા મેળી છે. મણિપુરમાં આસામ રાઇફલ્સના કાફિલા પર થયેલા હુમલામાં મુખ્ય આરોપી ખોન્ડોંગબમ ઓજિત સિંહ (47)ને પકડી લેવામાં આવ્યો છે. આરોપી ઇમ્ફાલ વેસ્ટ જિલ્લાના અવાંગ લેકિંથબીનો રહેવાસી છે. તેની તપાસ દરમિયાન સુરક્ષા દળોએ મોટી માત્રામાં હથિયાર અને ગોળાગોળો પણ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અસામ રાઇફલ્સ […]

બનાસ ડેરીની ચૂંટણીમાં વધુ ત્રણ બેઠક બિનહરીફ, શંકર ચૌધરી જુથનો દબદબો

દિયોદર,લાખણી અને સાંતલપુર બેઠક બિનહરીફ બની, 29મી એ ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ, 16માંથી 10 બેઠકો પર શંકરભાઈ જૂથના ઉમેદવારો બિનહરીફ પાલનપુરઃ સૌથી મોટી ગણાતી બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં વધુ ત્રણ બેઠકો બિનહરિફ બની છે. જેમાં દિયોદર,લાખણી અને સાંતલપુર બેઠક બિનહરીફ થઈ છે. આમ કૂલ 16 ડિરેક્ટરોની ચૂંટણીમાં 10 બેઠકો બિન હરીફ બની છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code