1. Home
  2. Tag "News Article"

‘ફેરપ્લે’ ઓનલાઈન સટ્ટાબાજી કેસમાં ઈડી દ્વારા રૂ. 307.16 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મુંબઈ ઝોનલ ઓફિસે 19 સપ્ટેમ્બરના રોજ એક મોટા મની લોન્ડરિંગ કેસમાં ફેરપ્લે સાથે જોડાયેલી 307.16 કરોડ (આશરે 3.07 બિલિયન)ની સંપત્તિને કામચલાઉ રીતે જપ્ત કરી હતી. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ કરવામાં આવી હતી. જપ્ત કરાયેલી સંપત્તિઓમાં બેંક ખાતાઓમાં રાખેલી જંગમ સંપત્તિ અને દુબઈ (UAE)માં સ્થિત […]

ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ગુજરાતે રોડ મેપ અને ગુજરાત વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કર્યો

ગાંધીનગરઃ કેન્દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી રાજીવરંજન સિંહની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી એસ.પી. સિંઘ બઘેલની પ્રેરક ઉપસ્થિતિમાં આજે દેશના વિવિધ રાજ્યોના પશુપાલન મંત્રીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી પરામર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાતના પશુપાલન મંત્રી રાઘવજી પટેલ, પશુપાલન વિભાગના સચિવ સંદીપકુમાર અને પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. ભારતને […]

ઈન્દોરમાં કોમર્શિયલ ઈમારત ધરાશાયી થઈ, 14 વ્યક્તિ થયા ઘાયલ

ભોપાલઃ ઇન્દોરના વ્યસ્ત વિજય નગર વિસ્તારમાં એક મોટી કોમર્શિયલ ઇમારત અચાનક ધરાશાયી થતાં 14 લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પોલીસ કમિશનર સંતોષ કુમારે જણાવ્યું હતું કે, “અકસ્માત સમયે ઇમારતની અંદર 10 લોકો ફસાયેલા હતા, અને તેમને સફળતાપૂર્વક બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.” તેમણે […]

નાગાલૅન્ડની રાષ્ટ્રીય સમાજવાદી પરિષદ—ખાપલાન્ગ સંગઠન સામે કરાઈ આકરી કાર્યવાહી

નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે નાગાલૅન્ડની રાષ્ટ્રીય સમાજવાદી પરિષદ—ખાપલાન્ગ સંગઠનને પાંચ વર્ષ માટે ગેરકાયદેસર જાહેર કરી. ગૃહ મંત્રાલયે આજે તેના તમામ જૂથ, શાખાઓ અને અગ્રીમ સંગઠનોને આ મહિનાની 28 તારીખથી પાંચ વર્ષના સમયગાળા માટે ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું છે. મંત્રાલયે એક જાહેરનામામાં જણાવ્યું, આ સંગઠન દેશના સાર્વભૌમત્વ અને અખંડિતતાને નુકસાન પહોંચાડનારી તેમજ ગુનાખોરી પ્રવૃત્તિઓમાં સામેલ છે. […]

સુરક્ષા દળો નક્સલવાદીઓના ટોચના નેતૃત્વને વ્યવસ્થિત રીતે તોડી રહ્યા છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નક્સલવાદીઓ સામે સુરક્ષા દળો દ્વારા મેળવેલી મોટી સફળતાની પ્રશંસા કરી હતી. X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે આજે આપણા સુરક્ષા દળોએ નક્સલવાદીઓ સામે વધુ એક મોટી જીત મેળવી છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર-છત્તીસગઢ સરહદ પર નારાયણપુરના અબુઝમાડ […]

નવરાત્રિ અને દિવાળી દેશના લોકો માટે ડબલ બચત બોનાન્ઝા બનશે: ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનો આરંભ કરાવતાં કહ્યું કે, નવરાત્રિના પ્રથમ દિવસથી જ નવી પેઢીના વસ્તુ કર દરના અમલની આપેલી ભેટ આ વર્ષની નવરાત્રિ અને દિવાળીને દેશના લોકો માટે ઉમંગ ઉત્સવ સાથે બચત ઉત્સવ ડબલ બચત બોનાન્ઝા બનશે. “આહવાન માં આદ્યશક્તિ” થીમ પર એક હજારથી વધુ કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ […]

આત્મનિર્ભર ભારતના વિઝનને પ્રાપ્ત કરવામાં આગામી પેઢીના GST સુધારા મુખ્ય ભૂમિકા ભજવશે: અમિત શાહ

નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું છે કે મોદી સરકારે નવરાત્રિના શુભ અવસર પર દેશની તમામ માતાઓ અને બહેનોને NEXT-Gen GST સુધારા ભેટમાં આપ્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે X પ્લેટફોર્મ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે મોદી સરકારે નવરાત્રિના શુભ અવસર પર દેશની તમામ માતાઓ અને બહેનોને NEXT-Gen GST […]

છત્તીસગઢમાં સુરક્ષાદળોએ રૂ. 1 કરોડનો ઈનામી નક્સલી કોસા અને રાજૂને ઠાર માર્યાં

રાયપુર : છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના અબુઝમાડ વિસ્તારમાં ચાલી રહેલા નક્સલ વિરોધી અભિયાનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં નક્સલવાદીઓના ટોચના નેતાઓ કોસા અને રાજૂ ઉર્ફે વિકલ્પ ઠાર મરાયા છે. કોસા નક્સલવાદી સંગઠનની સેન્ટ્રલ કમિટીમાં સભ્ય હતો અને તેના પર 1 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું. જ્યારે રાજૂ […]

ગુજરાતઃ નવરાત્રીમાં પોલીસને સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલીંગ વધારવા ડીજીપીનો નિર્દેશ

ગાંધીનગરઃ નવરાત્રીના પાવન પર્વને ધ્યાનમાં રાખીને આજે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વિડિયો કોન્ફરન્સ દ્વારા તમામ શહેરના પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા અને રેન્જ વડા સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટેની પોલીસની તૈયારીઓ અને વ્યવસ્થાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તહેવાર દરમિયાન ચાર મુખ્ય બાબતો […]

CSMCRIએ SSUNGA 80 ખાતે દરિયાઈ સ્થાયીત્વ પર વૈશ્વિક વર્ચ્યુઅલ સત્રનું આયોજન કર્યુ

ભાવનગરઃ CSIR-સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSMCRI), ભાવનગર, ભારત દ્વારા “સ્થાયી વિકાસ માટે દરિયાઈ સંસાધનો” પર એક વર્ચ્યુઅલ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR)નાં નેજા હેઠળ, આ કાર્યક્રમ વિજ્ઞાન સમિટ 2025 દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (SSUNGA 80) સાથે જોડાણમાં વૈશ્વિક ટકાઉ વિકાસ માટે કનેક્ટ, કોલાબોરેટ, કન્વર્જ અને કન્વર્ટ (5C) […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code