1. Home
  2. Tag "News Article"

ગુજરાતમાં સિઝનનો 108%થી વધુ વરસાદ, 145 જળાશયો હાઈ એલર્ટ પર

ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝન અત્યાર સુધી નોંધપાત્ર રીતે સફળ રહી છે, જેમાં રાજ્યમાં સરેરાશ 108 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છમાં 135 ટકા જેટલો થયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 118 ટકા, દક્ષિણ ગુજરાતમાં 112 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 110 ટકા વરસાદ વરસ્યો છે. જોકે, સૌરાષ્ટ્રમાં હજુ પણ 93 ટકા સરેરાશ વરસાદ […]

બનાસકાંઠાઃ દાતીવાડા ડેમમાં પાણી આવવાથી ખેડૂતોમાં ખુશીની લહેર

ડીસાઃ બનાસકાંઠાની જીવાદોરી સમાન દાતીવાડા ડેમમાં પાણી આવવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજરોજ બનાસ નદી પર આવેલા દાંતીવાડા ડેમ ખાતેથી બનાસ નદીના નીરના વધામણા કરીને બનાસ નદીમાં 2000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત જિલ્લાના ધારાસભ્યો અને મહાનુભાવોના હસ્તે 9 અને 10 નંબરનો ગેટ ખોલીને […]

અફઘાનિસ્તાનમાં છોકરીઓને શિક્ષણ મેળવવાની મંજૂરી આપવાનું તાલીબાનોને યુનિસેફનું આહ્વાન

અફઘાનિસ્તાનમાં છોકરીઓને તમામ સ્તરે શિક્ષણ મેળવવાની મંજૂરી આપવાનું તાલીબાનોને યુનિસેફે આહ્વાન કર્યુ છે. યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ (યુનિસેફ)એ ચેતવણી આપી છે કે, છોકરીઓના શિક્ષણ પરના પ્રતિબંધોએ તેમને તેમના ઘરોમાં જ સીમિત કરી દીધી છે અને તેઓ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ, બાળ લગ્ન અને નાની ઉંમરે ગર્ભાવસ્થાનો સામનો કરી રહી છે. એક નિવેદનમાં, યુનિસેફે ચેતવણી […]

ભારતીય રેલવેનો દર વર્ષે સલામતી સંબંધિત પ્રોજેક્ટ્સ પર 1.30 લાખ હજાર કરોડથી વધુ ખર્ચ

નવી દિલ્હીઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું,, ભારતીય રેલવે દર વર્ષે સલામતી સંબંધિત પ્રોજેક્ટ્સ પર એક લાખ 30 હજાર કરોડથી વધુ ખર્ચ કરે છે. તેમણે કહ્યું કે, સરકારના સતત પ્રયાસોને કારણે, 2013-14માં અકસ્માતોની સંખ્યા 170 થી ઘટીને 31 થઈ ગઈ છે. મંત્રીએ જણાવ્યું હતું કે સરકારે ટેકનોલોજી અને સુધારેલી જાળવણી પદ્ધતિઓમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. […]

બેચરાજી ગ્રામ પંચાયતની ચૂંટણીના ત્રણ મહિના બાદ હવે નગરપાલિકાની જાહેરાત

સરકારના આ નિર્ણયથી સ્થાનિકો રોષે ભરાયા, નવી વોર્ડ રચના સાથે છ માસમાં ચૂંટણી કરવી પડશે, બેચરાજી નગપાલિકામાં હવે વહિવટદારનું શાસન મહેસાણાઃ ગુજરાત સરકાર દ્વારા નગરપાલિકા અધિનિયમ-1963 હેઠળ “બેચરાજી મ્યુનિસિપાલિટી”ની રચનાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગના જાહેરનામા અનુસાર બેચર-બેચરાજી વિસ્તારને મ્યુનિસિપાલિટીમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે. પરંતુ સરકારના આ નિર્ણયથી સ્થાનિકો રોષે […]

રાજકોટની ફ્લાઈંગ સ્ક્વોર્ડેએ સાયલા નજીકથી ગેરકાયદે ખનીજ વહન કરતા 5 ડમ્પર પકડ્યા

સાયલા બાયપાસ રોડ પરથી ગેરકાયદે ખનીજનો બે કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો, ડમ્પરના ચાલકો પાસે જરૂરી દસ્તાવેજો રજૂ ન કરી શક્યા, પાંચમાંથી ચાર ડમ્પરો રોયલ્ટી પાસ વગર વહન કરતાં હતા સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ખનીજચોરીનું દૂષણ વધતું જાય છે. તંત્ર દ્વારા સમયાંતરે દરોડા પાડવામાં આવતા હોવા છતાંયે ખનીજચોરી અટકતી નથી. ત્યારે સુરેન્દ્રનગર ખાણ ખનીજ સહિત સ્થાનિક તંત્રને અંધારામાં […]

મહેસાણાના સામોત્રા ગામે પેપર મિલના પ્રદૂષણ સામે લોકોએ વિરોધ કરી હાઈવે ચક્કાજામ કર્યો

પ્રદૂષણથી સામેત્રા, ગોકળગઢ, મરેડા, લક્ષ્મીપુરા (ખારા), સહિત ગ્રામજનો પરેશાન, મહિલાઓને ભારે વિરોધ કરીને બહુચરાજી હાઈવે ચક્કાજામ કર્યો, ગ્રામજનોનો વિરોધને પગલે પેપર મિલ હંગામી બંધ કરવાનો નિર્ણય મહેસાણાઃ  જિલ્લાના સામેત્રા ગામમાં આવેલી પેપર મિલથી પ્રદૂષણ અને ગંદી વાસ આવતી હોવાથી સામેત્રા અને તેની આસપાસ આવેલા ગામોના લોકો ભારે વિરોધ કર્યો છે. આ પેપર મિલમાંથી નીકળતી દુર્ગંધ […]

ગુજરાતના બોર્ડ-નિગમના કર્મચારીઓને 7માં પગારપંચ મુજબ લઘુત્તમ પેન્શન મળશે

ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય, સાતમા પગારપંચ અનુસાર માસિક લઘુતમ પેન્શન રૂપિયા 9,000 સુનિશ્ચિત કરાયુ, 1લી ઓક્ટોબર-2025થી અમલ કરાશે ગાંધીનગરઃ રાજ્ય સરકારના જાહેર સાહસો, બોર્ડ અને નિગમોમાં કાયમી ધોરણે સમાવિષ્ટ થયેલા કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારના નાણા વિભાગે એક ઠરાવ પસાર કરીને આ કર્મચારીઓ માટે સાતમા પગારપંચ અનુસાર માસિક લઘુતમ […]

ડિપ્લામાં ઈજનેરીમાં ખાનગી કોલેજોની તુલનાએ સરકારી કોલેજોમાં 4 ટકા વધુ પ્રવેશ

ડિપ્લોમા કૉલેજોની બેઠકો પરની પ્રવેશપ્રક્રિયા 15 સપ્ટેમ્બરે પૂર્ણ થઈ, ગત વર્ષની તૂલનાએ સેલ્ફ ફાયનાન્સ કૉલેજોમાં પ્રવેશમાં 7 ટકાનો ઘટાડો નોંધાયો, ફીનું ધોરણ ઓછુ હોવાથી વિદ્યાર્થીઓએ સરકારી કોલેજો પસંદ કરી અમદાવાદઃ રાજ્યમાં સરકારી અને સ્વનિર્ભર ડિપ્લામાની કોલેજોમાં પ્રવેશ માટેની કાર્યવાહી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. જેમાં આ વખતે સરકારી કૉલેજોની બેઠકોમાં ગયા વર્ષ કરતાં 4 ટકા […]

ઊંઝા માર્કેટિંગ યાર્ડ (એપીએમસી)ના ચેરમેનની ચૂંટણી 26મી સપ્ટેમ્બરે યોજાશે

ડિરેક્ટરો ચૂંટાયા બાદ નવ મહિના પછી હવે ચૂંટણી યોજાશે, છેલ્લા ઘણા સમયથી ઊંઝા APMCમાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે, ચેરમેન પદ માટે કયા ઉમેદવારો મેદાનમાં ઉતરે છે, તે રસપ્રદ રહેશે. મહેસાણાઃ  ઊંઝા માર્કેટિંગ યાર્ડ APMC (એગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી)ના ચેરમેનની ચૂંટણીની તારીખ આખરે જાહેર થતા જિલ્લાના સહકારી ક્ષેત્રે ગરમાવો આવ્યો છે. ઊંઝા એપીએમસીના ડિરેક્ટરની ચૂંટણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code