1. Home
  2. Tag "News Article"

કોઈ ફીલિસ્તીન દેશ નહીં હોય, આ અમારી જમીન છેઃ ઈઝરાયલ PM નિતન્યાહૂ

યેરુશલેમ : ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્યામિન નિતન્યાહૂએ ફિલિસ્તીન અંગે કરેલી મોટી જાહેરાતથી અરબ દેશોમાં નારાજગી ફેલાઈ છે. વેસ્ટ બેંકને ઇઝરાયલની જમીન જાહેર કરતાં નિતન્યાહૂએ સ્પષ્ટ કહ્યું કે હવે કોઈ ફિલિસ્તીનો રાજ્ય રહેશે નહીં. કબ્જાવાળા વેસ્ટ બેંકમાં યોજાયેલા એક ઇઝરાયલી વસાહત પ્રોજેક્ટના હસ્તાક્ષર સમારંભમાં તેમણે જણાવ્યું હતું કે, “આ જગ્યા અમારી છે.” નિતન્યાહૂના આ નિવેદનથી ભવિષ્યમાં ફિલિસ્તીન […]

ઇઝરાયેલના યમન અને ગાઝા પર ભીષણ હુમલા, 76ના મોત

યેરુશલેમ : ઇઝરાયેલે યમન અને ગાઝામાં હવાઇ હુમલા ચાલુ રાખ્યા છે. યમનમાંથી મિસાઇલ છોડાયા બાદ ઇઝરાયેલે કરેલા એરસ્ટ્રાઇકમાં 35 લોકોના મોત થયા છે, જ્યારે 130થી વધુ ઘાયલ થયા છે. બીજી તરફ ગાઝામાં છેલ્લા 24 કલાક દરમિયાન કરાયેલા હુમલામાં 41 લોકોના મોત થયા છે. આમ બંને જગ્યાએ મળી કુલ 76ના ભોગ લેવાયા છે. યમનના હુથી શાસિત […]

રાધાકૃષ્ણનના શપથવિધી સમારોહમાં જોવા મળ્યા જગદીપ ધનખડ

નવી દિલ્હી : ચંદ્રપુરમ પોન્નુસામી રાધાકૃષ્ણને શુક્રવારે ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા વિધિવત્ સમારંભમાં 67 વર્ષીય રાધાકૃષ્ણને શપથ અપાવી હતી. લાલ કુર્તામાં આવેલા રાધાકૃષ્ણને ઈશ્વરના નામે અંગ્રેજીમાં શપથ ગ્રહણ કર્યાં હતા. રાધાકૃષ્ણને મંગળવારે સંયુક્ત વિરોધ પક્ષના ઉમેદવાર બી. સુદર્ષન રેડ્ડીને 152 મતોના અંતરથી હરાવી ચૂંટણી જીતી […]

સી.પી. રાધાકૃષ્ણનએ ઉપરાષ્ટ્રપતિ પદે શપથગ્રહણ કર્યાં

નવી દિલ્હી : સી.પી. રાધાકૃષ્ણને શુક્રવારે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા વિધિવત્ સમારંભમાં 67 વર્ષીય રાધાકૃષ્ણનને શપથ અપાવી હતી. એનડીએના ઉમેદવાર રાધાકૃષ્ણએ  ઇન્ડિ ગઠબંધનના ઉમેદવાર ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ બી. સુદર્શન  રેડ્ડીને 152 મતોના અંતરથી પરાજિત કરી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી. ગયા 21 જુલાઈએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ […]

મહાઠગ મુનવ્વર ખાનને કુવૈતથી ભારત પરત લાવવામાં સીબીઆઈને સફળતા મળી

નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ સંસ્થા- CBI-એ ઇન્ટરપૉલની મદદથી મુનવ્વર ખાનને કુવૈતથી ભારત પરત લાવવામાં સફળતા મેળવી છે. મુનવ્વર ખાન છેતરપિંડી કેસમાં વૉન્ટેડ હતો. આંતર-રાષ્ટ્રીય પોલીસ સહકાર એકમ, વિદેશ મંત્રાલય અને કુવૈતના NCBના સહકારથી મુનવ્વર ખાનને સફળતાપૂર્વક ભારત પરત લવાયો છે. કુવૈત પોલીસના એક દળે આજે મુનવ્વર ખાનને કુવૈતથી હૈદરાબાદના રાજીવ ગાંધી આંતર-રાષ્ટ્રીય વિમાનનથક પર પહોંચાડ્યો. […]

પંજાબના ફાઝિલ્કામાં 27 પિસ્તોલ અને 470 જીવતા કારતુસનો જથ્થો ઝડપાયોવ

નવી દિલ્હીઃ પંજાબના ફાઝિલ્કામાં પંજાબ પોલીસ સાથેની સંયુક્ત કાર્યવાહીમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા 27 પિસ્તોલ અને 470 જીવંત કારતૂસનો સૌથી મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને 2 સરહદ પારના હથિયારોના દાણચોરોને પકડી પાડવામાં આવ્યા છે. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર આ હથિયારો પાકિસ્તાનથી એક વિદેશી સંસ્થા દ્વારા લાવવામાં આવ્યા હતા અને પંજાબમાં ગુનાહિત ગેંગ દ્વારા […]

ઉત્તરાખંડના અસરગ્રસ્ત વિસ્તારો માટે રૂ. 1200 કરોડની કેન્દ્રની જાહેરાત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દહેરાદૂનમાં ઉત્તરાખંડના અસરગ્રસ્ત વિસ્તારો માટે બારસો કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી. નરેન્દ્ર મોદીએ પૂરની સ્થિતિ અને વાદળ ફાટવા, વરસાદ અને ભૂસ્ખલનને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવા ઉત્તરાખંડ પહોચીને પરિસ્થિતિનો તાગ મેળવી એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. પ્રધાનમંત્રીએ સમગ્ર પ્રદેશ અને તેના લોકોને સ્વસ્થ થવામાં મદદ કરવા માટે […]

વિશ્વ શતરંજ ચેમ્પિયન ડી. ગુકેશ આઠમા રાઉન્ડમાં મહિલા વર્લ્ડ કપ વિજેતા દિવ્યા દેશમુખ સામે રમશે

નવી દિલ્હીઃ વિશ્વ શતરંજ ચેમ્પિયન ડી. ગુકેશ આઠમા રાઉન્ડમાં મહિલા વર્લ્ડ કપ વિજેતા દિવ્યા દેશમુખ સામે રમશે. આ મુકાબલો ખાસ છે કારણ કે બંને 19 વર્ષીય ભારતીય ગ્રાન્ડમાસ્ટર છે અને પહેલી વાર મોટા આંતરરાષ્ટ્રીય મંચ પર આમને-સામને ટકરાશે. જુલાઈમાં મહિલા વર્લ્ડ કપ જીતીને દિવ્યા દેશમુખ પહેલેથી જ કૅન્ડિડેટ્સ ટુર્નામેન્ટમાં જગ્યા બનાવી ચૂકી છે. તેમને ફિડેએ […]

બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને તખ્તાપલટનું ષડયંત્ર કરવાના આરોપમાં 27 વર્ષની સજા કરાઈ

બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોને 27 વર્ષ અને ત્રણ મહિનાની જેલ સજા ફટકારાઈ છે. સુપ્રીમ કોર્ટના 5 માંથી 4 ન્યાયાધીશોએ તેમને દેશમાં તખ્તાપલટ કરવાના દોષી ઠેરવ્યા હતા. ત્યારબાદ કોર્ટએ તેમને જેલ સજા સંભળાવી છે. બોલ્સોનારોને પાંચ કેસોમાં દોષી માનવામાં આવ્યા છે, જેમાં તખ્તાપલટનું ષડયંત્ર ઘડવા, લોકશાહી કાયદો અને વ્યવસ્થાને હિંસક રીતે નાબૂદ કરવાનો પ્રયાસ, સશસ્ત્ર […]

સિક્કિમમાં ભૂસ્ખલનથી 4નાં મોત, 3 લોકો હજુ લાપતા

નવી દિલ્હીઃ સિક્કિમમાં ભારે વરસાદ દરમિયાન ભૂસ્ખલન થતાં 4 લોકોના મૃત્યુ થયાં, જ્યારે ત્રણે લોકો હજુ પણ લાપતા છે. હાલમાં લાપતા લોકોની શોધખોળ માટે રેસ્ક્યુ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભારે વરસાદ વચ્ચે પ્રશાસન દ્વારા જોખમી વિસ્તારોના નિવાસીઓને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. પશ્ચિમ સિક્કિમના યાંગથાંગ વિધાનસભા વિસ્તારમાંના અપ્પર રિમ્બીમાં ગુરુવારે મોડીરાત્રે ભૂસ્ખલનની ઘટના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code