1. Home
  2. Tag "News Article"

મુંબઈમાં ફરી બોમ્બ વિસ્ફોટની ધમકી, પોલીસે એલર્ટ જારી કરીને સુરક્ષા વધારી

મુંબઈમાં ફરી એકવાર બોમ્બ હોવાની ધમકી મળી છે. મળતી માહિતી મુજબ, આજે સવારે એક અજાણ્યા વ્યક્તિએ હેલ્પલાઈન નંબર 112 પર ફોન કરીને કહ્યું કે મુંબઈના દરિયાઈ વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટ થઈ શકે છે. ફોન આવતાની સાથે જ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. મુંબઈ પોલીસે એલર્ટ જાહેર કર્યું ધમકી મળતાની સાથે જ મુંબઈ પોલીસે તાત્કાલિક સુરક્ષા […]

AMC વીજ થાંભલાની મરામત માટે કરોડોનો કોન્ટ્રાક્ટ આપે છે, છતાંયે અકસ્માતો સર્જાય છે

કોન્ટ્રાકટરોને એક પોલ માટે રૂ.100 ચૂકવાય છે, પણ મેન્ટેનન્સ ઝીરો, નારોલમાં ખુલ્લા વીજ વાયરને કારણે દંપતીનું મોત થયું હતું, તંત્રની બેદરકારીથી નાગરિકનું મૃત્યુ થાય તો તેમાં કોઈ વળતરની જોગવાઈ નથી અમદાવાદઃ શહેરમાં ઈલેક્ટ્રિક પોલ યાને વીજળીના થાંભલાની મરામત માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. છતાંયે સ્ટ્રીટ લાઈટ માટેના વીજળીના થાંભલાની યોગ્યરીતે મરામત […]

અમદાવાદમાં નવરાત્રીના ગરબા આયોજકો માટે ફાયર વિભાગે SOP જાહેર કરી

ફાયર, પોલીસ અને અન્ય વિભાગનું NOC ફરજિયાત, ખેલૈયાઓની સંખ્યાનો રેકોર્ડ પણ રાખવો પડશે, પંડાલની કેપેસીટી મુજબના વ્યક્તિઓને પ્રવેશ આપવાનો રહેશે, અમદાવાદઃ નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા નવરાત્રી ગરબા આયોજકો માટે ખાસ એસઓપી જોહેર કરવામાં આવી છે, જેમાં ગરબા આયોજકોએ ફાયર, પોલીસ અને અન્ય સંબંધિત વિભાગો પાસેથી […]

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં 16 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું

નવી દિલ્હીઃ છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં 16 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ તમામ નક્સલીઓએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. નારાયણપુરના પોલીસ અધિક્ષક રોબિન્સન ગુડિયાએ જણાવ્યું કે નક્સલીઓ “ખોખલી” માઓવાદી વિચારધારા, નિર્દોષ આદિવાસીઓ પર થતાં અત્યાચાર અને પ્રતિબંધિત સંગઠનમાં વધતા આંતરિક મતભેદોથી નિરાશ થઈ ગયા હતા. આત્મસમર્પણ કરનારાઓ બધા જ નીચલા સ્તરના […]

ગુજરાત શિક્ષણ બોર્ડમાં હવે વિદ્યાર્થીઓ માર્કશીટ-પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારો કરી શકશે

માર્કશીટમાં વેરીફિકેશન માટે વિદ્યાર્થીઓને બેન્ક મારફતે ફી ભરવામાં મુશ્કેલી પડતી હતી, વિદ્યાર્થીઓ ક્યુઆરકોડ મારફતે ઓનલાઈન ફી ભરી શકશે, માર્કશીટ-પ્રમાણપત્ર વેરિફિકેશન, વિદેશ જવા માટે કવરમાં નામ અટક, પિતાનું નામ, જન્મ તારીખમાં સુધારો કરી શકાશે ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને માર્કશીટ-પ્રમાણપત્ર વેરિફિકેશન, વિદેશ જવા માટેના […]

ભારતીય સેનાની 10 મહિલા અધિકારીઓ INSV ત્રિવેણી પર સવાર થઈને વિશ્વભ્રમણ માટે રવાના

નવી દિલ્હીઃ ભારતીય સેનાની ત્રણેય પાંખ આર્મી, નેવી અને એરફોર્સની 10 મહિલા અધિકારીઓ આજે ઇતિહાસ રચવા જઈ રહી છે. તેઓ INSV ત્રિવેણી પર સવાર થઈને વિશ્વભ્રમણ માટે રવાના થશે. આ અનોખા અભિયાનને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ મહિલા દળ મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાથી પોતાની ઐતિહાસિક સફર શરૂ કરશે. […]

પ્રધાનમંત્રીએ શિકાગો ખાતે વિશ્વ ધર્મ સંસદમાં સ્વામી વિવેકાનંદના ઐતિહાસિક સંબોધનને શેર કર્યું

શિકાગોમાં વિશ્વ ધર્મ સંસદમાં સ્વામી વિવેકાનંદના ઐતિહાસિક સંબોધનની 132મી વર્ષગાંઠના ગૌરવપૂર્ણ પ્રસંગે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તે એક મહત્વપૂર્ણ ક્ષણ હતી જેમાં સંવાદિતા અને સાર્વત્રિક ભાઈચારા પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે તે ખરેખર આપણા ઇતિહાસમાં સૌથી પ્રખ્યાત અને પ્રેરણાદાયક ક્ષણોમાંની એક હતી. પીએમ મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું હતું […]

મોહન ભાગવતજીના 75મા જન્મદિવસ પ્રસંગે, નરેન્દ્ર મોદીએ ​​એક લેખ શેર કર્યો

નવી દિલ્હીઃ મોહન ભાગવતજીના 75મા જન્મદિવસના ખાસ પ્રસંગે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​એક લેખ શેર કર્યો, જે તેમના પ્રેરણાદાયી જીવન અને રાષ્ટ્ર સેવા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા પર પ્રતિબિંબિત થાય છે. પ્રધાનમંત્રીએ વધુમાં મા ભારતીની સતત સેવામાં તેમની સમગ્ર જીવનની સમર્પિતતા અને સામાજિક પરિવર્તન, સંવાદિતા અને બંધુત્વની ભાવનાને મજબૂત બનાવવા માટે મોહનજીના લાંબા અને સ્વસ્થ જીવન […]

ભારત દુનિયાની સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થાઃ પીયૂષ ગોયલ

નવી દિલ્હીઃ કેન્‍દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે, ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકાસ પામતી મોટી અર્થવ્યવસ્થા છે અને દેશ સમાવે લેતા, સાતત્યપૂર્ણ તેમજ મજબૂત વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેઓ નવી દિલ્હીમાં યોજાયેલા FICCI Leads 2025માં મુખ્ય વક્તા તરીકે સંબોધન કરી રહ્યા હતા. ગોયલે જણાવ્યું કે ભારતની વિકાસગાથા ત્રણ સ્તંભો પર આધારિત […]

લઘુમતીઓની સુરક્ષા મામલે ટીપ્પણી કરનાર સ્વિત્ઝર્લેન્ડને UNHRCમાં ભારતે બતાવ્યો અરીસો

નવી દિલ્હીઃ ભારતે સ્વિત્ઝર્લેન્ડની લઘુમતીઓની સુરક્ષા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અંગેની ટિપ્પણી પર આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ના 60મા સત્રમાં ભારતીય રાજદ્વારી ક્ષિતિજ ત્યાગીએ આ ટિપ્પણીને આશ્ચર્યજનક, ભ્રામક અને ખોટી માહિતી પર આધારિત ગણાવી. તેમણે સ્વિત્ઝર્લેન્ડને ભારતને ઉપદેશ આપવાને બદલે પોતાના દેશમાં ફેલાયેલા જાતિવાદ, ભેદભાવ અને ઝેનોફોબિયા (વિદેશીઓ પ્રત્યેની નફરત) ને દૂર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code