1. Home
  2. Tag "News Article"

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓની ભરતી સામે નોકર મંડળનો વિરોધ

કર્મચારીઓની કાયમી ભરતી કરવા મ્યુનિ.કમિશનરને રજુઆત, હોસ્પિટલમાં આઉટસોર્સિંગ પ્રથા બંધ કરી મલ્ટિપલ પર હેલ્થ વર્કરોની નિમણૂક કરો, 18મી સપ્ટેમ્બરે નોકર મંડળ દ્વારા રેલી યોજાશે અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં છેલ્લા કેટલાક વર્ષોથી કાયમી કર્મચારીઓની ભરતી કરવાને બદલે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓની આઉટસોર્સથી ભરતી કરવામાં આવે છે. આ ઉપરાંત મ્યુનિ. સંચાલિત હોસ્પિટલોમાં હેલ્થ વર્કરોની કાયમી ભરતી ન કરીને આઉટસોર્સથી […]

અમદાવાદના નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્લેક્સનું 14મી સપ્ટેમ્બરે અમિત શાહના હસ્તે ઉદ્ધાટન

વર્ષ 2036માં ઓલમ્પિક અને 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે તૈયારીઓ શરૂ, કેન્દ્રિય મંત્રી અમિત શાહ જાહેર સભાને પણ સંબોધશે, નારણપુરામાં 824 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનાવવામાં આવ્યું છે અમદાવાદઃ શહેરના નારણપુરા ખાતે રૂપિયા 824 કરોડના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થઈ ગયું છે. જેનું આગામી તા, 14મી સપ્ટેમ્બરને રવિવારના રોજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહના […]

ખેડૂતોને નવા GST દરનો લાભ માટે ખેત સાધનોની ખરીદીની સહાયમાં સમયમર્યાદા વધારાઈ

ટ્રેકટર સહિત કૃષિ સાધનોની ખરીદી સહાયની સમયમર્યાદામાં ૩૦ દિવસનો વધારો, રાજ્યના અંદાજે એક લાખ ખેડૂતોને મહત્તમ રૂ. 35 થી 45 હજારનો નાણાકીય લાભ થશે, કૃષિ યાંત્રિકીકરણ સાધનો પરના 12 ટકા જીએસટીને ઘટાડીને 5 ટકા કરાયો ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં જાહેર અગત્યની બાબત પર ધ્યાન દોરતા કૃષિ મંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ […]

વારાણસીમાં ગંગા ફરી ખતરાના નિશાનને વટાવી ગઈ, બધા ઘાટ પર પાણી ભરાયા

ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લામાં, છેલ્લા 2 મહિનાથી ગંગાના વધતા જળસ્તર સમસ્યાઓનું કારણ બની રહ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં, વારાણસીમાં ગંગા ફરી એકવાર ચેતવણી સ્તરને વટાવી ગઈ છે. 9 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8:00 વાગ્યે વારાણસીમાં ગંગાનું જળસ્તર 70.77 મીટર નોંધાયું હતું. વારાણસીમાં પૂરને કારણે પરિસ્થિતિ હજુ પણ ખૂબ જ ખરાબ છે. અહીંના બધા ઘાટ પાણીમાં ડૂબી ગયા […]

પંજાબમાં પૂરથી મૃત્યુઆંક વધીને 52 થયો, 1.91 લાખ હેક્ટરમાં ફેલાયેલો પાક ધોવાયો

પંજાબમાં છેલ્લા 24 કલાકમાં વધુ એક વ્યક્તિનું મોત થતાં વિનાશક પૂરને કારણે મૃત્યુઆંક 52 પર પહોંચી ગયો છે. પંજાબના મહેસૂલ મંત્રી હરદીપ સિંહ મુંડિયનએ જણાવ્યું હતું કે હાલમાં 22 જિલ્લાઓના 2,097 ગામો પૂરથી પ્રભાવિત છે અને 1.91 લાખ હેક્ટર જમીનમાં ફેલાયેલા પાકને નુકસાન થયું છે. લુધિયાણામાં પૂરને કારણે વધુ એક વ્યક્તિનું મોત થયું, જેના કારણે […]

ભારત અવકાશ સંશોધનમાં આગામી વર્ષોમાં વધુ 8 થી 10 વધુ વિક્રમો સર્જશે

નવી દિલ્હીઃ ISROના ચેરમેન વી. નારાયણને કહ્યું છે કે ભારતે અવકાશ સંશોધનમાં નવ મોટા વિશ્વ વિક્રમો પ્રાપ્ત કર્યા છે અને આગામી વર્ષોમાં 8 થી 10 વધુ વિક્રમ બનાવશે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા, વી નારાયણને ચંદ્રયાન મિશનથી લઈને મંગળ મિશન અને ક્રાયોજેનિક ટેકનોલોજીમાં ભારતની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે, 2014 માં મંગળ […]

TRAIનો આદેશ : DPOઓએ માસિક અને ત્રિમાસિક અહેવાલ ફરજિયાત સબમિટ કરવા પડશે

નવી દિલ્હી : ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એક્ટ, 1997ની કલમ 12 હેઠળ નવો આદેશ જાહેર કર્યો છે. આ આદેશ અનુસાર હવે તમામ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ ઓપરેટર્સ (DPOs), જેમ કે ડાયરેક્ટ-ટુ-હોમ (DTH) ઓપરેટર્સ, મલ્ટી સિસ્ટમ ઓપરેટર્સ (MSOs), હેડએન્ડ-ઈન-ધ-સ્કાય (HITS) ઓપરેટર્સ અને ઈન્ટરનેટ પ્રોટોકોલ ટેલિવિઝન (IPTV) ઓપરેટર્સ ને માસિક તથા ત્રિમાસિક […]

ઇન્દોર ફરી દેશમાં નંબર વન બન્યું, સ્વચ્છ હવામાં અમરાવતી અને દેવાસે પણ જીત મેળવી

દેશભરના શહેરોમાં સ્વચ્છ હવા તરફ કરવામાં આવેલા પ્રયાસો પરિણામો બતાવી રહ્યા છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે એવોર્ડ સમારોહમાં જણાવ્યું હતું કે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં ઇન્દોર ફરી એકવાર પ્રથમ ક્રમે છે. ઇન્દોર પછી, જબલપુર (મધ્યપ્રદેશ) બીજા સ્થાને અને આગ્રા (ઉત્તર પ્રદેશ) અને સુરત (ગુજરાત) સંયુક્ત રીતે ત્રીજા સ્થાને રહ્યા. મંત્રીએ કહ્યું કે […]

નેપાળમાં હિંસા વચ્ચે બિહારમાં હાઈ એલર્ટ, સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વધારાઈ

નેપાળમાં બગડતી પરિસ્થિતિની અસર હવે બિહારમાં પણ જોવા મળી રહી છે. પાડોશી દેશમાં ફાટી નીકળેલી હિંસાને ધ્યાનમાં રાખીને, બિહાર પોલીસ મુખ્યાલયે રાજ્યના તમામ સરહદી જિલ્લાઓમાં હાઇ એલર્ટ જારી કર્યું છે. સાત જિલ્લાઓ, પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, સીતામઢી, મધુબની, અરરિયા, સુપૌલ અને કિશનગંજ નેપાળ સાથેની સરહદો ધરાવે છે, જ્યાં તકેદારી વધારવામાં આવી છે. પોલીસ મુખ્યાલયે સ્પષ્ટ […]

હિંસાગ્રસ્ત નેપાળમાં ફસાયેલા ભારતીયો અને વિદેશી નાગરિકોએ વ્યક્ત કર્યો ભય

નવી દિલ્હીઃ નેપાળમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે કાઠમંડુમાં ઘણા ભારતીય અને વિદેશી પ્રવાસીઓ ફસાયેલા છે. હિંસાને ધ્યાનમાં રાખીને, નાગરિકોએ ભારતીય દૂતાવાસને મદદ માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે, અહીં પરિસ્થિતિ ખૂબ જ તંગ છે અને અમે ખૂબ ડરી ગયા છીએ. નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શનો બાદ ફસાયેલા એક ભારતીય પ્રવાસીએ જણાવ્યું કે, “અમે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code