1. Home
  2. Tag "News Blog"

પંજાબની જેલમાં બંધ કેદીઓને સ્કીલ ટ્રેનીંગ અપાશે, જેલોમાં 11 નવી ITI ખોલાશે

નવી દિલ્હીઃ પંજાબની જેલોમાં બંધ કેદીઓ માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. એમ્પાવરિંગ લાઈવ્સ બિહાઈન્ડ બાર્સ પહેલ હેઠળ પંજાબ સરકાર અને પંજાબ-હરિયાણા હાઈકોર્ટ દ્વારા 11 જેટલી નવી આઈટીઆઈ જેલોમાં ખોલવામાં આવશે. જેના મારફતે 24 જેલમાં બંધ 2400 કેદીઓ એનસીવીટી અને એનએસક્યુએફ સર્ટીફાઈડ સ્કિલ ટ્રેનિંગ મેળવી શકશે. આ પ્રોગ્રામની શરૂઆત સુપ્રીમ કોર્ટના ચીફજસ્ટીસ સૂર્યાકાંતની ઉપસ્થિતિમાં પટિયાલા […]

ગુજરાત બોર્ડ દ્વારા ધૂળેટીના દિવસે જ ધો.10-12ની પરીક્ષા ગોઠવાતા વાલીઓનો વિરોધ

બોર્ડ દ્વારા જાહેર રજાઓ જોયા વિના જ પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરાયું, 4થી માર્ચના રોજ ધૂળેટીના દિને પણ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા જવું પડશે, બોર્ડના છબરડા સામે વાલીઓમાં રોષ અમદાવાદઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં 26મી ફેબ્રુઆરીથી પરીક્ષાનો પ્રારંભ થશે. અને […]

સુરતમાં કૂતરાએ 4 વર્ષિય બાળકી પર હુમલો કરતા લોહીલૂહાણ, ત્રણ દિવસમાં બીજો બનાવ

સુરતમાં રખડતા કૂતરાનો આતંક વધતો જાય છે, છતાં મ્યુનિનું તંત્ર નિષ્ક્રિય, બપોરના ટાણે ઘર નજીક બાળકી રમી રહી હતી ત્યારે રખડતા કૂતરાએ હુમલો કર્યો, બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાઈ સુરતઃ શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ દૂર થતો નથી, ડોગ બાઈટના રોજબરોજ બનાવો બની રહ્યા છે. છતાં મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર નિષ્ક્રિય છે. ત્રણ દિવસ પહેલા જ એક […]

દક્ષિણ ભારતમાં સર્જાયેલા દિતવા ચક્રવાતને લીધે સુરતના કાપડ ઉદ્યોગને પડ્યો ફટકો

દક્ષિણ ભારતમાં પોંગલના તહેવારમાં સુરતથી કરોડો રૂપિયાનું કાપડ મોકલાતું હતુ વાવાઝોડાને લીધે તામિલનાડું-ચેન્નઈમાં સ્થાનિક કાપડ બજારો ઠપ્પ થઈ ગઈ છે ગત વર્ષે સુરતના વેપારીઓએ દક્ષિણ ભારતમાં 900 કરોડનો વેપાર કર્યો હતો, સુરતઃ દક્ષિણ ભારતના તામિલનાડુ સહિત રાજ્યોમાં તાજેતરમાં સર્જાયેલા દિતવા ચક્રવાતે ભારે ખાના ખરાબી કરી હતી. ચેન્નાઈ સહિત શહેરોમાં વેપાર ઉદ્યોગને સારૂએવું નુકસાન થયું છે. […]

વેરાવળના દરિયામાં ફિશિંગ બોટ પલટી જતા એક માછીમારનું મોત, ત્રણનો બચાવ

ફિશિંગ ટ્રોલર બોટએ ઓવરલોડના કારણે પલટી ખાધી વેરાવળના દરિયામાં બે નોટિકલ માઈલ દુર બન્યો બનાવ માછલીઓ ભરેલી જાળ ખેંચતા જ બોટ ઊંધી વળી સોમનાથઃ  વેરાવળ બંદર નજીક અરબી સમુદ્રમાં માછીમારી કરીને પરત ફરી રહેલી એક ફિશિંગ ટ્રોલર બોટ ઓવરલોડના કારણે પલટી જતાં બોટમાં સવાર એક માછીમાર અરવિંદ ભારાવાલાનું ડૂબી જવાથી મોત નિપજ્યુ હતું. જ્યારે બોટમાં […]

જામનગર જિલ્લામાં જૂદા જૂદા અકસ્માતના બનાવમાં મહિલા સહિત બેનાં મોત

જિલ્લામાં દરેડ નજીક બુલેટ મોટરસાયકલ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત લાલપુર નજીક બે બાઈક સામસામે અથડાતા એક બાઈકચાલકનું મોત પોલીસે બન્ને બનાવમાં અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં અકસ્માતના વધુ બે બનાવોમાં મહિલા સહિત બેના મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ દરેડ નજીક હાઈવે પર […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 54મો વાર્ષિક ખેલકૂદ મહોત્સવ 10મી ડિસેમ્બરથી યોજાશે

એથલેટિક્સની 26 ઇવેન્ટમાં 5 જિલ્લાના 400 ખેલાડીઓ ભાગ લેશે, વિજેતાઓ મેંગ્લોરમાં યોજાનારી ઓલ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લઈ શકશે, વિજેતા ખેલાડીઓને સ્થળ પર જ મેડલ પહેરાવી સન્માનિત કરાશે   રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 54મો વાર્ષિક ખેલકૂદ મહોત્સવ આગામી 10 થી 12 ડિસેમ્બર દરમિયાન યોજાશે. આ ખેલકૂદ મહોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 10મી ડિસેમ્બરે ખેલકૂદ […]

બેંગલુરુ પોલીસે 1.75 કરોડ રૂપિયાનું લાલ ચંદનની દાણચોરીનો રેકેટનો પર્દાફાશ

નવી દિલ્હી: બેંગલુરુ પોલીસે એક મોટી કાર્યવાહીમાં 1.75 કરોડ રૂપિયાનું લાલ ચંદન જપ્ત કર્યું છે. આંતરરાજ્ય દાણચોરી સંબંધિત બે અલગ અલગ કેસોમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેમને બાતમી મળી હતી કે લાલ ચંદન વહન કરતા વાહનો શહેરમાં પ્રવેશવાના છે. જેના પગલે પોલીસ ટીમોએ […]

રાજઘાટ ઉપર વિઝિટર્સ બુકમાં પુતિને શું લખ્યું, જાણો…

નવી દિલ્હી:  રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે પોતાના ભારત પ્રવાસ દરમિયાન રાજઘાટ પહોંચીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન તેમણે વિઝિટર્સ ડાયરીમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. પુતિને વિઝિટર્સ ડાયરીમાં લખ્યું કે, “આધુનિક ભારતના સ્થાપકોમાંના એક, મહાન દાર્શનિક અને માનવતાવાદી મહાત્મા ગાંધીએ સમગ્ર વિશ્વમાં શાંતિના ઉદ્દેશ્ય માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સ્વતંત્રતા […]

સુરતમાં વધુ 80 કિલો નકલી પનીર અને 168 કિલો અખાદ્ય માવો પકડાયો

SOG પોલીસે મ્યુનિના ફુડ વિભાગના અધિકારીઓને સાથે રાખીને રેડ પાડી, ઉધનાના સ્ટોર્સમાંથી નકલી પનીરનો જથ્થો પકડાયો, પૂણા વિસ્તારના ફ્લેટમાંથી 168 કિલો ભેળસેળયુક્ત માવો મળ્યો સુરતઃ શહેરમાં રોજબરોજ ભેળસેળયુક્ત અને નકલી ખાદ્યચિજવસ્તુઓ પકડાય રહી છે. શહેરના સ્પેશિયલ ઓપરેશન ગૃપ (SOG) પોલીસે મ્યુનિના ફુડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને સાથે રાખીને ઝૂંબેશ ચલાવતા ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code