1. Home
  2. Tag "News Blog"

શિક્ષકોને રખડતા કૂતરાની ગણતરીની કામગીરી સોંપાતા શૈક્ષિક મહાસંઘનો વિરોધ

અમદાવાદ,13 ફેબ્રુઆરી 2026:  રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને કૂતરાની ગણતરીની  કામગીરી સોંપાતા તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. અને સરકાર સામે શૈક્ષિક મહાસંઘ મેદાને આવ્યું છે. શિક્ષકને શિક્ષણ સિવાયની કોઈપણ કામગીરી ન સોંપાવી જોઈએ અને શિક્ષકોને શ્વાન ગણવાની જો આ પ્રકારની કામગીરી મામલે સરકાર ગંભીરતા નહિ દાખવે તો શિક્ષકોએ વિરોધની ચીમકી આપી છે. તો બીજી […]

સુરતના પલસાણા હાઈવે પર અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતા બે મહિલાનાં મોત

સુરત,13 ફેબ્રુઆરી 2026:  શહેરના પલસાણા નજીક નેશનલ હાઈવે પર આજે સવારે હિટ એન્ડ રનની ઘટના બની હતી. નેશનલ હાઈવે 48 પર રિક્ષાને ટક્કર મારીને અજાણ્યો વાહનચાલક ફરાર થયો હતો. જેમાં રિક્ષામાં સવાર બે મહિલાના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.જ્યારે બે લોકોને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.  આ બનાવની વિગત એવી છે કે, સુરતના […]

કચ્છના ભુંજયો અને કાળા ડુંગરને પ્રવાસન સ્થળ તરીકે વિક્સાવાશે

ભૂજ,13 ફેબ્રુઆરી 2026:  કચ્છ જિલ્લામાં ધોરડો અને ધોળાવીરાનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરાયા બાદ દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. અને પ્રવાસન થકી અનેક લોકોને રોજગાર પણ મળી રહ્યો છે. ત્યારે હવે ભૂજિયો ડુંગર અને કાળા ડુંગરનો પણ પ્રવાસન તરીકે વિકાસ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.  કચ્છ જિલ્લો ઔદ્યોગિક હરણફાળની સાથે પ્રવાસન […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ફોર્મ-7 ભરી મતદારોના નામો રદ કરાવાના પ્રયાસો સામે કોંગ્રેસનો ચક્કાજામ

સુરેન્દ્રનગર,13 ફેબ્રુઆરી 2026:  જિલ્લામાં SIRની કામગીરી દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકરોએ ફોર્મ-7 ભરીને ચોક્કસ વર્ગના અને કોંગ્રસના સમર્પિત ગણાતા મતદારોના નામ રદ કરી દેતા આ અંગે કોંગ્રસના પુરાવા સાથેના આક્ષેપ બાદ કોઈ પગલાં ન લેવાતા કોંગ્રસ દ્વારા ‘સર’ કાર્યક્રમ’ના વિરોધમાં હાઈવે ચક્કાજામ કર્યો હતું. દસાડાના જૈનાબાદ ચાર રસ્તા સહિત જિલ્લાના દરેક તાલુકા મથકોએ રસ્તા રોકો […]

જુનાગઢના ભવનાથમાં મેળાના આજે ત્રીજા દિવસે શિવભક્તિનો સાગર ઉમટ્યો

જૂનાગઢ,13 ફેબ્રુઆરી 2026:  ગિરનારની તળેટીમાં ભવનાથ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના 5 દિવસીય મેળાનો પ્રારંભ થયો છે. મેળાના આજે ત્રીજા દિવસે શિવભક્તિનો સાગર ઉમટી પડ્યો હતો. દેશના ખૂણેખૂણેથી આવેલા હજારો સાધુ-સંતોએ ભવનાથ તળેટીમાં ધામા નાખ્યા છે. અને હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ગુંજી ઊઠ્યુ છે.  ગિરનારની ગોદમાં બિરાજમાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં […]

વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીમાં ભાજપના પૂર્ણેશ મોદી સામે કોંગ્રસે શૈલેષ પરમારને ઉતાર્યા

ગાંધીનગર,13 ફેબ્રુઆરી 2026:  ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ માટે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ભાજપના ધારાસભ્યોનું સંખ્યાબળ વધુ હોવાથી જીત નિશ્વિંત છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ શૈલેષ પરમારને ઉપાધ્યક્ષની ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે.  વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી 16મી ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે યોજાશે.  ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષપદેથી જેઠાભાઈ ભરવાડે રાજીનામું આપ્યા બાદ ઉપાધ્યક્ષપદે ભાજપમાંથી કોને […]

ભાવનગરમાં પત્ની અને બે સંતાનોની હત્યાના કેસમાં ફોરેસ્ટ અધિકારી સામે ચાર્જશીટ દાખલ

ભાવનગર,13 ફેબ્રુઆરી 2026:  શહેરમાં ત્રણ મહિના પહેલા ફોરેસ્ટ વિભાગમાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાની પત્ની અને તેના બે સંતાનોની હત્યાનો બનાવ બન્યો હતો. અને હત્યારા શૈલેષે જ પત્ની અને સંતાનોની હત્યા કર્યા બાદ ત્રણેયના મૃતદેહ જમીનમાં દાટી દઈને ત્રણેય ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી હતી. પોલીસે ત્વરિત તપાસ હાથ ધરતા ફરિયાદી શૈલેષ આરોપી […]

આદિજાતિ વિસ્તારના 258 ગામોને પુરસ્કાર યોજના’ હેઠળ રૂ. 5 કરોડથી વધુની રકમ અપાઈ

ગાંધીનગર,13 ફેબ્રુઆરી 2026:  રાજયમાં આદિજાતિ સહિત છેવાડાના ગ્રામીણ વિસ્તારમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ‘જલ જીવન’ મિશન હેઠળ પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ મિશનનો વધુને વધુ ખાસ કરીને આદિજાતિના ગામોને લાભ મળે તે હેતુથી મરામત, નિભાવણી પ્રોત્સાહન અને પુરસ્કાર યોજના અમલી બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યના આદિજાતિ વિસ્તારના ૧૧ જિલ્લાઓમાં પાણી પુરવઠા યોજનાનું […]

અમદાવાદના ફતેહવાડીમાં મોડી રાતે ચાની કિટલી પર ફાયરિંગ એકને ગંભીર ઈજા

અમદાવાદ,13 ફેબ્રુઆરી 2026:  શહેરના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફતેવાડી નજીક ચાની કિટલી પર ગઈ મોડી રાતે ફાયરિંગનો બનાવ બન્યો હતો. ફતેવાડી વિસ્તારમાં મુદ્દસર અહેમદખાન પઠાણ પોતાની ચાની કિટલી પર હતો ત્યારે અગાઉની બોલાચાલીની અદાવત રાખીને ત્રણ શખસોએ આવીને ફાયરિંગ કરતા મુદ્દસરને પગમાં ગોળી વાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. આ બનાવની પોલીસને જાણ થતા વેજલપુર […]

વસ્ત્રાપુરમાં શિવાલિક હાઈસ્ટ્રીટ બિલ્ડિંગ અને ઈસ્કોન નજીક ગોદામમાં લાગી આગ

અમદાવાદ, 12 ફેબ્રુઆરી 2026:  અમદાવાદ શહેરમાં આજે આગના બે બનાવો બન્યા હતા, પ્રથમ બનાવ વસ્ત્રાપુર વિસ્તારમાં ITC નર્મદાની બાજુમાં આવેલા શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગના ચોથા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના બનાવના કારણે બિલ્ડિંગમાં કેટલાક લોકો ફસાયા હતા. ફાયર વિભાગની 8 થી 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. છે. જેમાં ફાયરની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code