1. Home
  2. Tag "News in Gujarati"

રક્ષા મંત્રી રાજનાથ સિંહ મોરક્કોની બે દિવસીય મુલાકાત લેશે

નવી દિલ્હીઃ ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ તા. 22 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર સુધી મોરક્કોની બે દિવસીય સત્તાવાર મુલાકાત લેશે. આ મુલાકાત મોરક્કોના રક્ષા મંત્રી અબ્દેલતીફ લોદીના આમંત્રણ પર થઈ રહી છે. ભારતીય રક્ષા મંત્રીની આ મોરક્કોની પ્રથમ મુલાકાત છે, જે ભારત અને મોરક્કો વચ્ચેના વધતા વ્યૂહાત્મક સહયોગને દર્શાવે છે.રક્ષા મંત્રાલયના જણાવ્યા મુજબ, રાજનાથ સિંહની આ […]

ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ઓખા બીચ પર સફાઈ અભિયાન હાથ ધરાયું

દ્વારકાઃ ભારતીય કોસ્ટ ગાર્ડ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર નંબર 15 (ઉત્તર ગુજરાત) દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન-અપ ડે 2025 નિમિત્તે ઓખા બીચ, દ્વારકા ખાતે એક ભવ્ય સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ સામુદાયિક ભાગીદારી દ્વારા આપણા દરિયાઈ પર્યાવરણનું સંરક્ષણ અને જાળવણી કરવાનો હતો.આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ કમાન્ડર, ઓખા, દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમના […]

દિલ્હી : DPS સહિત અનેક શાળાઓમાં બોમ્બની ધમકી, કેમ્પસ ખાલી કરાવાયા

નવી દિલ્હી : દિલ્હીમાં ફરી એકવાર અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. શનિવારે સવારે દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS) દ્વારકા,  સર્વોદય સિનિયર સેકન્ડરી સ્કૂલ,  કુતુબ મિનાર નજીકની શાળા અને નજફગઢની કૃષ્ણા મોડેલ પબ્લિક સ્કૂલને ઈ-મેઈલ મારફતે બોમ્બની ધમકી મળી હતી. સ્કૂલ મેનેજમેન્ટે ધમકી ભર્યો મેઈલ મળતાં જ તાત્કાલિક એક્શન લઈ કેમ્પસ ખાલી કરવામાં આવ્યું […]

છત્તીસગઢમાં કરોડો રૂપિયાની GST ચોરીનો પર્દાફાશ, 170 થી વધુ બોગસ કંપનીઓ બનાવીને કરી ચોરી

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં GST વિભાગે GST એનાલિટિક્સ અને ઇન્ટેલિજન્સ નેટવર્ક અને GST પ્રાઇમ પોર્ટલનો ઉપયોગ કરીને છેતરપિંડી કરતી પેઢી અને બોગસ બિલિંગ કામગીરીમાં સંડોવાયેલા સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. માસ્ટરમાઇન્ડ મોહમ્મદ ફરહાન સોરઠિયા છે, જે GST ટેક્સ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતો હતો. આ સિન્ડિકેટના કારણે રાજ્યને દર મહિને કરોડો રૂપિયાની કર આવકનું નુકસાન થઈ રહ્યું હતું. […]

મહેસાણાઃ વડનગરમાં ધરોઈ કેનાલમાં ત્રણ બાળકો ડૂબ્યા, બે બાળકોનો બચાવ

ગાંધીનગરઃ વડનગર તાલુકાના મોલીપુર નજીક ધરોઈ કેનાલમાં ત્રણ બાળકો ડૂબવાનાો બનાવ બન્યો હતો. માહિતી પ્રમાણે, બાળકો સ્કૂલના આઈ કાર્ડ લેવા માટે કેનાલમાં કૂદ્યા હતા, જેમાં બે બાળકોને સ્થાનિક તરવૈયાઓએ તુરંત બચાવી લીધા છે, જ્યારે હજુ એક બાળક ગૂમ છે. માટે મળેલી વિગતો અનુસાર, ત્રણેય બાળકો 8મા ધોરણમાં અભ્યાસ કરતા હતા. સ્કૂલના આઈ કાર્ડ કેનાલમાં પડતા […]

ઝારખંડના સરાઈકેલામાં, કુડમી જાતિના વિરોધીઓએ હાવડા-મુંબઈ રેલ્વે ટ્રેક પર ધરણા કર્યા

ઝારખંડના સરાઈકેલા જિલ્લામાં કુડમી સમુદાયને અનુસૂચિત જનજાતિ (ST) શ્રેણીમાં સમાવવાની માંગણી સાથે ભારે વિરોધ પ્રદર્શન ફાટી નીકળ્યું. પ્રદર્શનકારીઓએ હાવડા-મુંબઈ રેલ્વે લાઇન પર સિની રેલ્વે સ્ટેશન નજીક પાટા પર ધરણા શરૂ કર્યા. આ સમય દરમિયાન, ઘણી મહિલાઓ પણ તેમના શિશુઓ સાથે હાજર હતી. પોલીસ સામે જ પ્રદર્શનકારીઓ હિંસક બન્યા, રેલ સેવાઓ ખોરવાઈ પ્રદર્શન દરમિયાન પોલીસ અને […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગયાજીમાં પરિવાર સાથે પિંડદાન કર્યું, રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન પણ હાજર રહ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગયાજીમાં વિષ્ણુપદ મંદિરમાં તેમના પૂર્વજોની આત્માની શાંતિ અને મુક્તિ માટે પિંડ દાન કર્યું,. તેઓ એક ખાસ ફ્લાઇટ દ્વારા ગયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યા. ત્યારબાદ રોડ માર્ગે બિહારના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન સાથે વિષ્ણુપદ મંદિર પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિએ પરિવાર સાથે પિંડદાન કર્યું રાષ્ટ્રપતિના પિંડદાન માટે જિલ્લા વહીવટીતંત્રે વિષ્ણુપદ મંદિર સંકુલમાં ખાસ વ્યવસ્થા કરવામાં […]

સુદાનમાં મસ્જિદ પર ડ્રોન હુમલો, 43 નમાઝીઓનાં મોત

ખાર્તૂમ : આફ્રિકન દેશ સુદાનમાં અર્ધ સૈન્ય દળ રેપિડ સપોર્ટ ફોર્સ (RSF)  દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલામાં 43 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં બાળકો અને વૃદ્ધો સહિતના મુસ્લિમ નમાઝીઓનો સમાવેશ થાય છે. આ અંગેની માહિતી સ્થાનિક સંગઠન સુદાન ડોક્ટર્સ નેટવર્ક દ્વારા જાહેર કરવામાં આવી હતી. સંગઠને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારી અર્ધ સૈન્ય દળ […]

બિહાર વિધાનસભા ચૂંટણી : અમિત શાહ સંભાળશે મહત્વની જવાબદારી, નિર્ણયો પટણામાંથી જ લેવાશે

પટણા : બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની ગઈ છે. તમામ પક્ષો પોતાની રણનીતિ ઘડવામાં અને જનસમર્થન મેળવવામાં વ્યસ્ત બન્યા છે. આ વચ્ચે ભાજપ હાઇકમાન્ડે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે પક્ષના તમામ ચૂંટણી સંબંધિત નિર્ણયો હવે સીધા પટણામાંથી જ લેવાશે. બેઠક વહેંચણી ફોર્મ્યુલા, ઉમેદવારોની પસંદગીથી લઈને પ્રચાર કાર્યક્રમ સુધીના બધા નિર્ણય પટણામાં […]

નવરાત્રીમાં મેઘરાજા ખેલૈયાઓની મજા બગાડશે, ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદઃ 2025નું ચોમાસું અંતિમ ચરણમાં હોવા છતાં હવામાનમાં ફરી અસ્થિરતા સર્જાઈ છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સાઇકલોનિક સર્ક્યુલેશન ઊભું થયું છે, જેના કારણે ગુજરાતમાં નવરાત્રીના દિવસોમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. તેમણે જણાવ્યું કે આમ તો ઉત્તર ગુજરાત અને કચ્છમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે, પરંતુ ભેજવાળા પવનના કારણે ચોમાસું હજુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code