1. Home
  2. Tag "News in Gujarati"

પ્રાકૃતિક ખેતી જ ભાવી પેઢીના સ્વસ્થ ભવિષ્યની સાચી દિશા છે: રાજ્યપાલ

ગોબર આધારિત સ્વચ્છ ઊર્જાને નવી દિશા આપતો બનાસ બાયો-સીએનજી પ્લાન્ટ શરૂ કરાયો   પાલનપુર, 19 જાન્યુઆરી 2026: બનાસકાંઠાના વિકાસમાં એક નવો અને મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાતાં વડગામ તાલુકાના ભૂખલા ખાતે બનાસ ડેરી દ્વારા  સ્થપાયેલ બનાસ બાયો-સીએનજી- બનાસ મોડેલ પ્લાન્ટનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તકતી અનાવરણ કરીને લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ બાયોગેસ પ્લાન્ટની મુલાકાત લઈને વેસ્ટેજ […]

સુરતના દરિયામાં હોડી સ્પર્ધામાં ત્રણ બોટ પલટી, નાવિકોનો બચાવ

સુરત, 19 જાન્યુઆરી 2026:  શહેર નજીક દરિયામાં હોડી સ્પર્ધાનું આયોજન યોજાઈ હતી. શહેરના હજીરા રો-રો ફેરી (એસ્સાર જેટી) થી મગદલ્લા પોર્ટ સુધી 21 કિમીની સઢવાળી હોડી સ્પર્ધા દરમિયાન ત્રણ હોડી અચાનક પલટી જતા અફડા-તફડી મચી ગઈ હતી. જોકે તંત્ર અને અન્ય નાવિકો દ્વારા ત્વરિત બચાવ કામગીરી હાથ ધરીને તમામ નાવિકોને બચાવી લેવામાં આવ્યા હતા. ગુજરાત […]

દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટાને લીધે આંબાઓ પર આમ્રમંજરી કાળી પડી

 નવસારી, 19 જાન્યુઆરી 2026:  દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં ઠંડી-ગરમી મિશ્રિત વાતાવરણને લીધે આંબાઓ પર બેઠેલા મોર કાળા પડી રહ્યા છે. તેને લીધે કેસર કેરીના ઉત્પાદનમાં ફટકો પડે તેવી ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. આ વર્ષે પણ લાંબા ચોમાસા બાદ હવે વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ દક્ષિણ ગુજરાતના, ખાસ કરીને નવસારીના આંબાવાડીઓ ધરાવતા ખેડૂતોની ઊંઘ હરામ કરી […]

માળિયા તાલુકામાં ખેતીની જમીનમાં વળતર ચુકવ્યા વિના વીજ પોલ નાંખવા સામે વિરોધ

મોરબી,18 જાન્યઆરી 2026:  જિલ્લાના માળિયા તાલુકામાં ખેડૂતોને વળતર ચુકવ્યા વિના હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ કંપની દ્વારા 765 કેવીની વીજ લાઇનના પોલ ઉભા કરવાની કામગીરી શરૂ કરાતા ખેડૂતોએ ભારે વિરોધ કર્યો છે. અને માળિયા નજીક આવેલા રાસંગપર ગામ પાસે ખેડૂતોએ કંડલા-જામનગર હાઈવે ચક્કાજામ કર્યો હતો. લગભગ દોઢ કલાક સુધી હાઈવે બંધ રહેતા ટ્રક સહિતના વાહનોના થપ્પા લાગી […]

ખેરાળુ હાઈવે પર માડી રાત બાદ બે ડમ્પરો સામસામે અથડાતા બન્ને ચાલકોને ગંભીર ઈજા

મહેસાણા,18 જાન્યઆરી 2026:  જિલ્લાના ખેરાળુ નજીક હાઈવે પર ગત મોડી રાતે બે ડમ્પરો વચ્ચે અકસ્માત સર્જાતા બન્ને ડમ્પરોના ચાલકોને ગંભીર ઈજા થઈ હતી. બન્ને ડમ્પરો વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે બંને ડમ્પરોના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને 108 એમ્બ્યુલન્સમાં બન્ને ચાલકોને સારવાર […]

વટામણ-તારાપુર હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત બાદ લાગી વિકરાળ આગ

આણંદ,18 જાન્યઆરી 2026:  રાજ્યના હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે ત્યારે વટામણ-તારાપુર હાઈવે પર બે ટ્રક વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો.વટામણ-તારાપુર હાઈવે પર આવેલા ફતેપુરા બ્રિજ પર ગત મોડી રાત્રે બે ટ્રક વચ્ચે અકસ્માત બાદ બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં બંને ટ્રકો બળીને ખાક […]

વડોદરામાં વેપારી પર હુમલો કરીને રૂપિયા 10 લાખની લૂંટ કેસના 5 આરોપી પકડાયા

વડોદરા,18 જાન્યઆરી 2026: શહેરના વારસિયા વિસ્તારમાં સિનિયર સિટીઝન વેપારી ઉપર હુમલો કરી 10 લાખની લૂંટના બનાવવામાં ક્રાઈમ બ્રાન્ચે પાંચ લૂંટારાને ઝડપી પાડી ઇન્ડિયન અને વિદેશી કરન્સી મળી 25 લાખની મતા કબજે કરી છે. આ બનાવની વિગત એવી હતી કે, શહેરના વારસિયા હરણી રિંગ રોડ પર ચતુરભાઈ પાર્કમાં રહેતા લીલા રામ રેવાણી નામના 68 વર્ષીય વેપારી […]

કચ્છના વરસામેડી ટોલપ્લાઝા પર સ્થાનિક વાહનો પાસેથી ટોલ વસુલવા સામે વિરોધ

 ભૂજ,18 જાન્યઆરી 2026:  કચ્છના હાઈવે પર ટોલપ્લાઝાના મુદ્દે અવાર-નવાર વિરોધ થતો હોય છે. ત્યારે જિલ્લાના વરસામેડી ટોલપ્લાઝા પર સ્થાનિક વાહનચાલકો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાના મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વરસામેડી, મોડવદર, ભીમાસર અને અજાપર ગામના લોકોએ ભેગા મળીને ટોલ પ્રશાસનને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગ્રામજનોનો આક્ષેપ છે કે રોડનું કામ હજુ પૂર્ણ થયું નથી, […]

સુરેન્દ્રનગરમાં 6 કરોડના ખર્ચે જિલ્લા પુસ્તકાલય બન્યુ આધૂનિક, વાઈફાઈ સુવિધા ઉપલબ્ધ

સુરેન્દ્રનગર,18 જાન્યઆરી 2026: શહેરના વાંચન પ્રેમીઓ માટે રૂપિયા 6 કરોડના ખર્ચે સરકારી જિલ્લા પુસ્તકાલયને આધુનિક બનાવવામાં આવ્યું છે. વાતાનુકૂલિત પુસ્તકાલયમાં વાઈફાઈ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. 1958માં સ્થપાયેલું આ પુસ્તકાલય 6 દાયકાથી વધુ સમયથી શહેરના વાંચનપ્રેમીઓની જ્ઞાનની ભૂખ સંતોષી રહ્યું છે. સુરેન્દ્રનગર શહેરના હૃદય સમા વિસ્તારમાં સી. જે. હોસ્પિટલ સામે આવેલું સરકારી જિલ્લા […]

ગુજરાત બોર્ડ દ્વારા ધો. 10-12ની પરીક્ષા દરમિયાન ઘૂળેટીના દિને કાર્યક્રમમાં ફેરફાર કરાયો

અમદાવાદ,18 જાન્યઆરી 2026:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી – માર્ચમાં યોજાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં બોર્ડના અધિકારીઓએ શૈક્ષણિક કેલેન્ડર જોયા વિના જ તા.4થી માર્ચને ધૂળેટીના જાહેર રજાના દિવસે પણ પરીક્ષા લેવાનું જાહેર કર્યુ હતું. આ અંગે  શૈક્ષિક સંઘ દ્વારા રજુઆત કરાતા બોર્ડ દ્વારા પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરીને હવે ધો.10 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code