1. Home
  2. Tag "News in Gujarati"

ગુજરાતઃ યુનિટી માર્ચ અંતર્ગત યોજાનારી રાષ્ટ્રીય પદયાત્રાની સાક્ષી બનશે 5 નદી

અમદાવાદઃ યુનિટી માર્ચ અંતર્ગત યોજાનારી “રાષ્ટ્રીય પદયાત્રા” એકતા અને અખંડિતતાનું પ્રતિબિંબ તો બનશે સાથે જ આ ઐતિહાસિક રાષ્ટ્રીય પદયાત્રાની સાક્ષી રાજ્યના ઇતિહાસ અને સંસ્કૃતિની ધરોહર સમાન પાંચ સરિતાઓ પણ બનશે. કરમસદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી યોજાનારી આ રાષ્ટ્રીય પદયાત્રા આણંદ, વડોદરા અને નર્મદા એમ ત્રણ જિલ્લામાંથી પસાર થશે, ત્યારે ગુજરાતની પાંચ પવિત્ર અને સાંસ્કૃતિક રીતે મહત્ત્વની […]

નૌસેનાના તમામ જહાજો ભારતીય શિપયાર્ડ્સમાં જ તૈયાર થાય છે: રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે ભારતીય નૌસેનાના તમામ નિર્માણાધીન જહાજો ભારતીય શિપયાર્ડ્સમાં સ્વદેશી રીતે તૈયાર થઈ રહ્યા છે, જે ‘આત્મનિર્ભર ભારત’ વિઝનનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. તેમણે કહ્યું કે નૌસેનાની 262 ડિઝાઇન પરિયોજનાઓ અદ્યતન તબક્કે છે, અને ભારતીય શિપયાર્ડ્સ આ દાયકામાં 100% સ્વદેશી સામગ્રીના ઉપયોગ તરફ આગળ વધી રહ્યા છે. તેમણે ભારતની સમુદ્રી […]

સગાઈના ફોટા-વીડિયો ડિલીટ કર્યા બાદ ચર્ચામાં સ્મૃતિ મંધાના: પલાશ મુચ્છલ સાથેના લગ્ન ટળ્યાં

મુંબઈઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપકપ્તાન અને લોકપ્રિય ક્રિકેટર સ્મૃતિ મંધાના અને મ્યુઝિક કમ્પોઝર તથા ફિલ્મમેકર પલાશ મુચ્છલ 23 નવેમ્બરે લગ્નગ્રંથિથી જોડાવવાના હતા. બંનેની પ્રી-વેડિંગ સેરેમની ધામધૂમથી ચાલી રહી હતી. પરંતુ સંગીત નાઇટ દરમિયાન સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાને હાર્ટ એટેક આવતા લગ્નને તાત્કાલિક મુલતવી રાખવામાં આવ્યા હતા. હાલમાં પલાશની બહેન અને જાણીતી સિંગર પલક મુચ્છલે […]

સાઉદી અરબમાં મોટો ફેરફાર: ધહરાન અને જિદ્દામાં ખુલશે દારૂના બે નવા સ્ટોર

વિશ્વભરના લાખો મુસ્લિમો દર વર્ષે હજ અને ઉમરાહ અદા કરવા માટે સાઉદી અરબ જાય છે. ઇસ્લામમાં આ પવિત્ર યાત્રાનું વિશેષ મહત્વ છે અને માન્યતા મુજબ હજ અથવા ઉમરાહ અદા કર્યા બાદ મુસ્લિમોના પાપ માફ થઈ જાય છે. પરંતુ આ જ દેશમાં, જ્યાં દારૂને હંમેશા હરામ ગણવામાં આવી છે, હવે દારૂના બે નવા સ્ટોર ખુલવાના છે. […]

શિયાળામાં આરોગ્ય માટે ફાયદાકારક ડ્રાયફ્રુડ લાડુ ટ્રાય કરો, જાણો રેસીપી

શિયાળામાં તાપમાન ઘટતાં લોકોમાં આરોગ્ય સંબંધિત તકલીફો વધતી જોવા મળે છે. ખાસ કરીને 40 વર્ષથી ઉપરના લોકોમાં હાડકાંનો દુખાવો, સાંધાનો દુખાવો અને કમરના દુખાવાની ફરિયાદ સામાન્ય બની જાય છે. આવી સમસ્યાઓમાં રાહત મેળવવા માટે દવાઓ પર આધાર રાખવાની સાથે કુદરતી અને સ્વાદિષ્ટ ઉપચાર તરીકે ‘ડ્રાયફ્રૂટ લાડુ’ ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. શિયાળામાં તેનો નિયમિત […]

ગુજરાત સરકારની 12મી વાર્ષિક ચિંતન શિબિર તા. 27મી નવેમ્બરથી ધરમપુરમાં યોજાશે

ધરમપુર ખાતેના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં સરકાર સામુહિક ચિંતન કરશે, ચિંતન શિબિરમાં ગુજરાતના વિકાસનો રોડમેપ તૈયાર કરાશે, ચિંતર શિબિરમાં મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળના સભ્યો તથા 241 ઉચ્ચ સનદી અધિકારીઓ ભાગ લેશે ગાંધીનગરઃ રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિર આગામી 27 થી 29 નવેમ્બર 2025 દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર નજીકના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાશે. “સામૂહિક ચિંતનથી સામૂહિક […]

દિલ્હી બ્લાસ્ટ કેસમાં ચોંકાવનારો ખુલાસો: ડોક્ટર મોડ્યુલ હમાસની વ્યુહરચના અપનાવી રહ્યું હતું

નવી દિલ્હીઃ લાલકિલ્લા બોમ્બ વિસ્ફોટ કેસમાં તપાસ આગળ વધતી જતા અનેક ચોંકાવનારા બનાવો બહાર આવી રહ્યા છે. એનઆઈએને એવા મહત્વપૂર્ણ વીડિયો મળ્યા છે, જે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને ફિલિસ્તીની આતંકી ટીમ હમાસ વચ્ચેનાં ઊંડા અને કાર્યાત્મક સંબંધોને ઉજાગર કરે છે. સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ મુજબ આ સંપૂર્ણ કાવતરાની સ્ક્રિપ્ટ ફેબ્રુઆરીમાં જ તૈયાર કરી દેવાઈ હતી, જો […]

અમદાવાદમાં બનેવીએ સાળા પર કરેલા ફાયરિંગ કેસમાં બે આરોપી ઉજ્જૈનથી પકડાયા

બે મહિના પહેલા થલતેજ વિસ્તારમાં ફાયરિંગનો બનાવ બન્યા હતા. પારિવારિક ઝઘડામાં ફાયરિંગ કરતા સુધીર ઠક્કરને ગોળી વાગી હતી, પોલીસે રિવોલ્વર અને 10 જીવતા કાર્ટિઝ ઝપ્ત કર્યા અમદાવાદઃ શહેરના થલતેજ વિસ્તારમાં બે મહિના પહેલા પારિવારિક ઝઘડામાં બનેવીએ તેના સાળા પર ફાયરિંગ કરતા સાળા સુધીર ઠક્કરને પેટમાં ગોળી વાગી ગંભીર ઇજા થઈ હતી, જેને સારવાર માટે હોસ્પિટલ […]

છત્તીસગઢઃ પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી) ના 15 સભ્યોએ આત્મસમર્પણ કર્યું

આત્મસમર્પણ કરનારોમાં પાંચ મહિલાઓનો પણ સમાવેશ છત્તીસગઢમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 650 માઓવાદીઓએ કર્યું આત્મસમર્પણ નવી દિલ્હીઃ દેશમાં નક્સલવાદી પ્રવૃતિઓને ડામવા માટે સુરક્ષાદળો દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન છત્તીસગઢમાં પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી) ના 15 સભ્યોએ આત્મસમર્પણ કર્યું હતું. તેમના પર આશરે 50 લાખ રૂપિયાનું ઈનામ હતું. આત્મસમર્પણ કરનારાઓમાં 10 પુરુષો […]

ગીરના અભ્યારણ્યમાં લટાર મારતા એક સાથે 11 સિંહ જોવા મળ્યા, પ્રવાસીઓ ઝૂમી ઊઠ્યાં

ગીર જંગલ સફારીના સૂકા કડાયા રૂટ પર લટાર મારતા એકસાથે 11 સિંહ જોવા મળ્યા, 11 સિંહનો નજારો જોઈને પ્રવાસીઓએ મોબાઈલમાં ફોટા પાડ્યા, પ્રવાસીઓએ એક સાથે 11 સિંહના લટાર મારતા ફોટા વાયરલ કર્યા જૂનાગઢઃ સાસણના ગીર અભ્યારણ્યમાં વનરાજોને નિહાળવા માટે પ્રવાસીઓ આવતા હોય છે. અને અભ્યારણ્યમાં એકાદ-બે સિંહના દર્શન થતા હોય છે. ત્યારે તાજેતરમાં પ્રવાસીઓને ગીર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code