1. Home
  2. Tag "palitana"

જૈનોના તિર્થસ્થાન પાલિતાણામાં ઠેર ઠેર દબાણો અને ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન

પાલિતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા પાલિતાણામાં રોજબરોજ મોટી સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે. તેમજ તાલુકા મથક હોવાથી આજુબાજુના ગામડાંઓમાંથી લોકો ખરીદી કરવા માટે પણ પાલિતાણા શહેરમાં આવતા હોય છે. પાલિતાણાના જાહેર માર્ગો અને બજારોમાં ઠેર ઠેર દબાણો ખડકાયેલા છે. દબાણોને કારણે રસ્તાઓ સાંકડા થતાં વારંવાર ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે. ત્યારે નગરપાલિકાનું તંત્ર દ્વારા ગેરકાયદે […]

પાલિતાણા અને ગારિયાધાર તાલુકામાં અસહ્ય ગરમીના ટાણે વીજ ધાંધીયાથી લોકો પરેશાન

પાલિતાણાઃ ગોહિલવાડ પંથકમાં અસહ્ય ગરમીથી લોકો પરેશાન છે. ત્યારે પાલિતાણા અને ગારિયાધાર તાલુકામાં વીજળીના ધાંધિયાને લીધે અસહ્ય ગરમીમાં લોકો વધુ પરેશાન થઈ રહ્યા છે. ભર બપોરે વીજળી પુરવઠો ખોરવાતા લોકો પંખા પણ ચાલુ રાખી શકતા નથી. પીજીવીસીએલ તંત્રએ છેલ્લા એક માસથી પાલિતાણાની પ્રજાને જાણે કે બાનમાં લીધું હોય તેમ દરરોજ ગમે તે સમયે કોઈપણ જાતની […]

પાલિતાણામાં અખાત્રિજના દિને યાત્રિકો ઉમટી પડ્યાં, 1000થી વધુ ભાવિકોએ વર્ષીતપના પારણાં કર્યા

પાલિતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ તિર્થસ્થાન ગણાતા પાલિતાણામાં અખાત્રીજના દિને મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉમટી પડ્યા હતા. અને રેકોર્ડબ્રેક 1030થી વધારે જૈન યાત્રિકોએ કર્યા વર્ષી તપના પારણા કર્યા હતા. ઋષભદેવને વૈશાખસુદ-3 ના દિવસે શ્રેયાંસકુમાર ઇક્ષુ રસથી પારણું કરાવે છે.આમ તીર્થંકર ભગવાનના પારણાનો દિવસ અખાત્રીજ હોય આ દિવસનું મહત્વ ખુબજ રહેલું છે અખાત્રીજ દિવસનુ જૈન ધર્મમાં અનોખું […]

પાલિતાણામાં માંડવી ચોક સહિત મુખ્ય બજારમાં વારંવાર સર્જાતો ટ્રાફિક જામ, લોકો પરેશાન

પાલિતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગણાતા પાલિતાણામાં રોજબરોજ અનેક યાત્રાળુઓ આવે છે. બીજીબાજુ પાલિતાણામાં વસતીમાં વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેથી શહેરના મુખ્ય બજારોમાં ટ્રાફિક જામના વારંવાર દ્રશ્યો સર્જાય રહ્યા છે. શહેરના ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધીનો માર્ગ અગાઉ એક માર્ગીય હતો જે અકળ કારણોસર દ્વિમાગીય કરાતા આ રોડ ઉપર ચક્કાજામ અને અકસ્માતના […]

પાલિતાણામાં ગિરીરાજ શેત્રૂંજય પર છ ગાઉંની યાત્રામાં દેશ-વિદેશથી અનેક જૈનો ઉમટી પડ્યાં,

પાલિતાણાઃ જૈનોના તિર્થક્ષેત્ર એવા પાલીતાણા ખાતે ફાગણસુદ તેરસની પરંપરાગત છ ગાઉની યાત્રા-મેળો યોજાયો હતો. છ ગાઉંની યાત્રાનું જૈન સમાજમાં મહાત્મ્ય હોવાથી દેશ-વિદેશથી મોચી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શાશ્વત ગિરીરાજ શેત્રુંજયની છ ગાઉની યાત્રાનો  વહેલી સવારે તળેટીથી જય જય આદીનાથના જયઘોષ સાથે પ્રારંભ થયો હતો, પાલિતાણામાં ગિરીરાજ શેત્રુંજયની છ ગાઉની યાત્રામાં  મોટી સંખ્યમાં શ્રાવક-શ્રાવિકાઓ સાધુભવંતો, […]

પાલિતાણા ડૂંગરમાં દીપડાંએ ઘેટા-બકરાનું મારણ કર્યું, છ ગાઉં યાત્રા પહેલા વન વિભાગે સુરક્ષા વધારી

પાલિતાણાઃ જૈનોના તિર્થધામ ગણાતા પાલિતાણાના ડુંગરાળ અને આસપાસના વિસ્તારોમાં દીપડાંઓ અવાર-નાવર જોવા મળતા હોય છે. ત્યારે તાજેતરમાં શેત્રુંજી નજીક આવેલા રાજવાડી વિસ્તારમાં દીપડાએ એક ડઝન જેટલા ઘેટા બકરાનું મારણ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. બનાવની જાણ થતા વનવિભાગનો સ્ટાફ સ્થળે દોડી ગયો હતો. દરમિયાન પાલિતાણામાં છ ગાંઉની યાત્રામાં ઘણાબધા ભાવિકો ભાગ લેતા હોય છે. ત્યારે […]

ભારતીય સંસ્કૃતિના પ્રાણ સમાન સત્ય, અહિંસા, અપરિગ્રહ જ જૈન ધર્મનાં મૂળ સિદ્ધાંતો છે : રાજ્યપાલ

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મંગળવારે ભાવનગર જિલ્લાનાં પાલિતાણા ખાતે ‘ ખરતરગચ્છ સહસ્ત્રાબ્દી મહોત્સવ’નાં સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલએ તેમનાં વકતવ્યમાં કહ્યું હતું  કે, સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહ જૈન ધર્મનાં મૂળ સિદ્ધાંતો છે અને આ  સિદ્ધાંતો જ ભારતીય સંસ્કૃતિનાં પ્રાણ છે. રાજ્યપાલએ વધુમાં ઉમેર્યું હતુ કે ‘ખરતગરચ્છ સહસ્ત્રાબ્દી’ એટલે કે એક હજાર વર્ષની […]

સૌરાષ્ટ્રમાં ભૂકંપનો આંચકો, પાલીતાણા નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું

વહેલી પરોઢે 4.12 કલાકે ધરા ધ્રુજી હતી ભૂકંપને આંચકાને પગલે લોકો ઘરની બહાર દોડી ગયા ભૂકંપમાં કોઈ જાનહાની નહીં થયાનું જાણવા મળે છે અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા નોંધાય છે દરમિયાન આજે વહેલી સવારે સૌરાષ્ટ્રના ભાવનગરમાં ધરા ધ્રુજી હતી. વહેલી પરોઢે આવેલા ભૂકંપની તીવ્રતા રિકટરસ્કેલ ઉપર લગભગ 3.5ની નોંધાઈ છે. તેમજ ભૂકંપનું કેન્દ્રબિનંદુ પાલિતાણા […]

પાલિતાણામાં ટ્રાફિકજામની વારંવાર સર્જાતી સમસ્યાથી વાહનચાલકો પરેશાન

પાલીતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ તિર્થસ્થાન પાલિતાણા શહેરની ટ્રાફિક સમસ્યા માથાના દુઃખાવારૂપ બનતી જાય છે. જેમાં ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધીનો માર્ગ અગાઉ એક માર્ગીય હતો જે દ્વિમાર્ગીય કરતા આ રોડ ઉપર ચક્કાજામ અકસ્માતના બનાવો વારંવાર બની રહ્યા છે. રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવવી રહ્યા છે. આ રોડ ઉપર મુખ્ય શાક માર્કેટ, ભૈરવનાથ મંદિર, હવેલી, […]

પાલિતાણામાં તાવ, ઝાડા-ઊલટી, ટાઈફોડ સહિતના રોગચાળાએ માથું ઉંચક્યુ, દવાખાના ઊભરાયાં

ભાવનગરઃ જિલ્લાના પાલિતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં વરસાદી માહોલમાં રોગચાળાએ માથું ઉંચકયું છે. તાવ, ઝાડા-ઊલટી, ટાઈફોડ, કમળો અને પેટના દર્દોના દર્દીઓથી સરકારી અને ખાનગી દવાખાના ઉભરાઈ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા વધુ રોગચાળો ફેલાતો અટકાવવા તાકીદે આરોગ્યલક્ષી પગલાં ભરવા માંગ ઉઠી છે. પાલિતાણામાં સરકારી તેમજ ખાનગી દવાખાનાઓમાં તાવ, ઝાડા-ઉલટી, ટાઇફોડ, કમળો, પેટના રોગોના દર્દીઓની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code