1. Home
  2. Tag "presentation"

રાજકોટમાં સિટીબસની સમસ્યા સામે કોંગ્રેસ દ્વારા મ્યુનિ. કમિશનરનો ઘેરાવ કરાયો

મ્યુનિ.કમિશનરને રમકડાંની બસો આપતા પોલીસ સાથે ઝપાઝપી 45 ડિગ્રીમાં સિટીબસોને બંધ કરવાની ફરજ પડે છે સિટી બસ સેવાનાં નામે કરોડો ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ રાજકોટઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત સિટીબસસેવા કથળતી જાય છે. તાજેતરમાં શહેરના ઈન્દિરા સર્કલ પાસે સિટી બસના અકસ્માતમાં ચાર વ્યક્તિનાં મોત નીપજ્યા હતા. તેમજ છેલ્લા થોડા દિવસોથી 45 ડિગ્રી ગરમીનાં કારણે 100થી પણ […]

હીરા ઉદ્યોગમાં મંદી અંગે હીરા ઉદ્યોગ અગ્રણીઓએ મુખ્યમંત્રી સમક્ષ કરી રજૂઆત

ગાંધીનગરઃ હીરા ઉદ્યોગમાં મંદીને લઈને રત્નકલાકારોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. ત્યારે ગુજરાતના અલગ-અલગ શહેરોના ડાયમંડ એસોસિએશના હોદ્દોદારોની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠક મળી હતી. જેમાં ભૂપન્દ્ર પટેલે કહ્યું હતું કે અમે રત્ન કલાકારોની મદદ કરવા માટે તત્પર છીએ. આગામી બે દિવસમાં કોઈ એક્શન પ્લાન ચોક્કસ બનાવીશું. છેલ્લાં 50 વર્ષના ઈતિહાસમાં ડાયમંડ ઉદ્યોગમાં સૌથી લાંબી […]

ભાવનગર-સુરતની દૈનિક ધોરણે ટ્રેન શરૂ કરવા રેલવે મંત્રીને રજુઆત

ભાવનગર-સુરત વચ્ચે નિયમિત ટ્રેન દોડાવાય તો સારો ટ્રાફિક મળે તેમ છે, ભાવનગર-અયોધ્યા વચ્ચે નવી ટ્રેન દોડાવવા માગ, ભાવનગરથી ટ્રેનો વાયા સુરેન્દ્રનગરને બદલે ધંધુકા-ગાંધીગ્રામથી દોડાવવા માગ ભાવનગરઃ શહેર અને જિલ્લાના લોકો રોજગાર-ધંધા માટે સુરત સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલી જિલ્લાના ઘણાબધા પરિવારો સુરતમાં સ્થાયી થયેલા છે. અને વાર-તહેવારોમાં તેમજ અન્ય પ્રસંગોમાં સુરતના વસવાટ કરતા […]

વલસાડમાં વિવિધ ટ્રેનના નવા સ્ટોપેજ તથા જરૂરી માળખાકીય સુવિધાઓ અંગે રેલવે મંત્રીને કરાઈ રજૂઆત

અમદાવાદઃ લોકસભાના દંડક અને વલસાડ/ડાંગના સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને વલસાડ જિલ્લામાં વિવિધ ટ્રેનના નવા સ્ટોપેજ તેમજ જરૂરી માળખાકીય સુવિધાઓ અંગે કરી લેખીત રજૂઆત વલસાડ જિલ્લામાં વિવિધ રેલવે સ્ટેશનો ઉપર પેસેન્જરોના હિતમાં વિવિધ ટ્રેનોના સ્ટોપેજ તેમજ જિલ્લાના તમામ રેલવે સ્ટેશન પર જરૂરી સુવિધાઓ અંગેની મળી રહેલી સતત રજૂઆતોની સાંસદ ધવલ પટેલે નોંધ […]

ગ્રાન્ટેડ શાળાઓમાં ફાયર સેફ્ટી અને સીસીટીવીનો ખર્ચ આપવા સરકારને સંચાલકોની રજુઆત

ગાંધીનગરઃ રાજકોટના અગ્નિકાંડ બાદ તમામ શાળા-કોલેજોમાં ફાયર સેફ્ટીના સાધનો તેમજ સીસીટીવી લગાવવાનો શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. ત્યારે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ પાસે ફાયર સેફ્ટી અને સીસીટીવી લગાવવાના ખર્ચનું બજેટ નથી. આથી ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળે રાજ્યના નાણા મંત્રીને પત્ર લખીને રજુઆત કરી છે. કે, રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં એક હજાર કરોડ રૂપિયા રાજ્યની સરકારી […]

રાજકોટમાં જ્ઞાતિની વાડીઓને ફાયર NOCના મુદ્દે સીલ કરાતા મ્યુનિ. કમિશનરને રજુઆત

રાજકોટઃ શહેરના અગ્નિકાંડ બાદ મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર સફાળુ જાગ્યુ હતુ. અને બીયુ અને ફાયર એનઓસી ન હોય એવા બિલ્ડિંગોને સીલ કરવામાં આવ્યા હતા. શહેરમાં અનેક બિલ્ડિંગો સીલ કરી દેવામાં આવતા વેપારીઓ અને શૈક્ષણિક સંસ્થાના આગેવાનો દ્વારા સીલ ખોલી આપવાની માંગ કરવામાં આવી હતી. જેને શરતોને આધિન મંજૂર કરી અત્યાર સુધી 400 કરતા વધુ મિલકતોનાં સીલ ખોલવામાં […]

GCERTએ બાલવાટિકાનો અભ્યાસક્રમ તૈયાર કર્યો, તે નવી શિક્ષણ નીતિ મુજબનો નથીઃ શાળા સંચાલકો

અમદાવાદઃ ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટે બાળકોની ઉંમર નક્કી કરવામાં આવી છે. અને 6 વર્ષ સુધીના બાળકો માટે બાલવાટિકા શરૂ કરવામાં આવી છે. બાલવાટિકા માટે જીસીઈઆરટી દ્વારા જે અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. તે નવી શિક્ષણ નીતિને અનુરૂપ નથી. આથી રાજ્ય શાળા સંચાલક મંડળે પ્રાથમિક શિક્ષણ નિયામકને પત્ર લખીને બાલવાટિકાના અભ્યાસક્રમમાં ફેરફાર […]

વન વિભાગની સ્થાયી પરામર્શ સમિતિની બેઠકમાં ક્લાઈમેટ ચેન્જ અંગે પ્રેઝન્ટેશન રજુ કરાયું

ગાંધીનગરઃ વન અને પર્યાવરણ, પ્રવાસન, કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતા તથા રાજ્ય મંત્રી  મુકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર શહેરના વન ચેતના કેન્દ્ર ખાતે સ્થાયી પરામર્શ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં મંત્રીના વહીવટી ક્ષેત્રમાં નીતિના અમલને લાગતી બાબતો પર વિચાર વિનિમય કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં મંત્રીઓ ઉપરાંત ધારાસભ્યો તથા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સંબંધિત […]

અમદાવાદમાં પશુપાલકોના લાયસન્સ અને પરમીટના પ્રશ્ને માલધારીઓ આજે મેયરનો ઘેરાવ કરશે

અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોર સામે મ્યુનિ,કોર્પોરેશન દ્વારા નવી પોલીસી બનાવવામાં આવી છે. નવી પોલીસીને 90 દિવસ પૂર્ણ થવાને બે દિવસ બાકી છે. ત્યારે શહેરમાં વસવાટ કરતાં માલધારીઓ દ્વારા લાયસન્સ અને પરમિટ માટે દસ્તાવેજવાળી જગ્યાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. માલધારી એકતા સમિતિ અને પશુપાલન બચાવો સમિતિના દ્વારા આજે મંગળવારે બપોરે 12 વાગ્યે શહેરના મેયરનો […]

જુનમાં જન્મેલા નિવૃત થતાં કર્મચારીઓને ઈજાફાનો લાભ ન મળતા શૈક્ષિક મહાસંઘે સીએમને કરી રજુઆત

ગાંધીનગરઃ રાજ્ય સરકારના કર્મચારી /અધિકારીઓ વય મર્યાદાને કારણે નિવૃત થાય છે અને પેન્શનના તમામ મળવાપાત્ર લાભો મેળવે છે, પરંતુ જેની જન્મ તારીખ જૂન મહિનામાં નોધાયેલી છે અને પુરો સમય પોતાની ફરજો બજાવવી હોવા છતાં તા 1 જુલાઈ મળવાપાત્ર ઈજાફાનો લાભ મળી શકતો નથી અને પેન્શનની ગણતરીમાં લેવામાં આવતો નથી, જે આ સમયગાળામાં નિવૃત્ત થનારા કર્મચારીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code