1. Home
  2. Tag "Prime Minister Narendra Modi"

કેનેડામાં જી-7 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાજર રહેવા આમંત્રણ મળ્યું

નવી દિલ્હઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિને કેનેડાના કનાનાસ્કિસમાં G-7 સમિટમાં હાજરી આપશે. કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ ગઈકાલે પીએમ મોદીને ફોન કરીને સમિટમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. સોશિયલ મીડિયા પોસ્ટમાં પીએમ મોદીએ પ્રધાનમંત્રી કાર્નેને તેમની તાજેતરની ચૂંટણી જીત બદલ અભિનંદન આપ્યા હતા અને સમિટમાં આમંત્રણ આપવા બદલ તેમનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈદ-ઉલ-અઝહાની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈદ-ઉલ-અઝહાની શુભેચ્છા પાઠવી છે. બંનેએ એક્સ-પોસ્ટ દ્વારા તેને સંવાદિતા અને શાંતિના તાંતણામાં વણાયેલો તહેવાર ગણાવ્યો છે. રાષ્ટ્રપતિના સોશિયલ મીડિયા હેન્ડલ X પર લખ્યું છે કે, “ઈદ-ઉલ-અઝહાના શુભ પ્રસંગે હું બધા દેશવાસીઓને, ખાસ કરીને મુસ્લિમ ભાઈ-બહેનોને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. આ તહેવાર બલિદાન, […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીર સાવરકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નવી દિલ્હીઃ વિનાયક દામોદર સાવરકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને “ભારત માતાના સાચા પુત્ર” ગણાવ્યા. ભારતની સ્વતંત્રતા ચળવળમાં વીર સાવરકરના યોગદાનની પ્રશંસા કરતા, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્ર તેમના અદમ્ય સાહસ અને સંઘર્ષને ક્યારેય ભૂલી શકશે નહીં. તેમણે કહ્યું કે દેશ માટે સાવરકરનું બલિદાન અને સમર્પણ વિકસિત ભારતની રચનામાં માર્ગદર્શક રહેશે. […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 મેના રોજ મધ્યપ્રદેશની મુલાકાત લેશે

ભોપાલઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 31 મેના રોજ મધ્યપ્રદેશના પ્રવાસે જશે. જ્યાં પીએમ મોદી ભોપાલમાં મહિલા સશક્તિકરણ માટે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે અને રાજ્યના ઘણા ભાગોને મોટી ભેટ આપશે. તેવામાં ભોપાલના કાર્યક્રમને સફળ બનાવવાની જવાબદારી તમામ જિલ્લાઓના પ્રભારી મંત્રીઓને સોંપવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદી 31 મેના રોજ ભોપાલના જાંબોરી મેદાનમાં આયોજિત મહિલા સંમેલનને સંબોધિત કરશે. […]

શ્રીલંકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘મિત્ર વિભૂષણ સન્માન’ આપ્યું

નવી દિલ્હીઃ શ્રીલંકા સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ‘શ્રીલંકા મિત્ર વિભૂષણ એવોર્ડ’થી સન્માનિત કર્યા છે. શ્રીલંકા સરકાર આ સન્માન એવા દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને આપે છે જેમના શ્રીલંકા સાથે સારા સંબંધો હોય. ભારતના શ્રીલંકા સાથે ઐતિહાસિક રીતે સારા સંબંધો રહ્યા છે. ઉપરાંત, જ્યારે શ્રીલંકા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે ભારત શ્રીલંકાને મદદનો હાથ લંબાવનાર પ્રથમ દેશ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5મી એપ્રિલે શ્રીલંકાની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 એપ્રિલે શ્રીલંકાની મુલાકાત લેશે. આ મુલાકાતની જાહેરાત શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સંસદમાં પોતાના સંબોધન દરમિયાન કરી હતી. શ્રીલંકાના ન્યૂઝ પોર્ટલ Adedarana.lk ના અહેવાલ મુજબ, આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચે આર્થિક અને વ્યૂહાત્મક સહયોગને વધુ મજબૂત બનાવવાનો રહેશે. શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિતા હેરાથે પહેલાથી જ પુષ્ટિ આપી હતી […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુનિતા વિલિયમ્સને ભારત આવવાનું આમંત્રણ આપ્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને પત્ર લખીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને લખાયેલ પત્ર શેર કરતા ટ્વીટ કર્યું હતું. પીએમએ પત્રમાં લખ્યું છે કે, “આખી દુનિયા સુનિતા વિલિયમ્સના સુરક્ષિત વાપસીની રાહ જોઈ રહી છે. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11-12 માર્ચે મોરેશિયસની મુલાકાત લેશે: વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11-12 માર્ચે મોરેશિયસની મુલાકાત લેશે અને મોરેશિયસના 57મા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. શુક્રવારે વિદેશ મંત્રાલયે આ જાહેરાત કરી. “પ્રધાનમંત્રી મોદી 11 અને 12 માર્ચે મોરેશિયસમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે રહેશે. આ ઉજવણી 12 માર્ચે થશે. ભારતીય નૌકાદળના જહાજ સાથે ભારતીય સંરક્ષણ […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર માતૃશક્તિને નમન કર્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર માતૃશક્તિને નમન કર્યા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે દુનિયાનું તમામ જ્ઞાન દેવીના સ્વરૂપની અભિવ્યક્તિ છે. પીએમ મોદીએ પોતાની x પોસ્ટમાં લખ્યું, “મહિલા દિવસ પર અમે અમારી નારી શક્તિને સલામ કરીએ છીએ! અમારી સરકારે હંમેશા મહિલાઓને સશક્ત બનાવવા માટે […]

મહાશિવરાત્રિ પર્વની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હીઃ દેશમાં મહાશિવરાત્રીનો તહેવાર ધાર્મિક માહોલ સાથે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આજે પ્રયાગરાજ મહાકુંભનું છેલ્લું સ્નાન પણ છે, જેમાં લાખો લોકો પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. દરમિયાન મહાશિવરાત્રી નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. મહાશિવરાત્રીની શુભેચ્છાઓ પાઠવતા, પીએમ મોદીએ કહ્યું કે આ દિવ્ય અવસર તમારા બધા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code