1. Home
  2. Tag "protest"

અમદાવાદ મ્યુનિ.ના લોક દરબારને ભાજપનો કાર્યક્રમ બનાવી દેવાની હિલચાલથી કોંગ્રેસનો વિરોધ

અમદાવાદઃ શહેરની મ્યુનિ.ની આવક વધારવા માટે પ્રોપર્ટી ટેક્સ ખાતા દ્વારા વ્યાજમાફી યોજના અને સીલિંગ ઝુંબેશ બાદ હવે પ્રોપર્ટી ટેક્સના બિલો અંગે નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે આગામી તા.4થી માર્ચથી લોકદરબાર યોજવાનુ નક્કી કર્યુ છે અને તેમાં ફક્ત ભાજપના કોર્પોરેટરો, શહેર-વોર્ડના હોદ્દેદારોને જ લોકદરબાર કાર્યક્રમની જાણ કરવાની હિલચાલથી મ્યુનિ. કોંગ્રેસ પક્ષ નેતા ઉકળી ઊઠ્યા છે. મ્યુનિ. કોંગ્રેસપક્ષ […]

વડોદરાના કારેલીબાગમાં વૈષ્ણવોની હવેલીની જગ્યા સ્વામિનારાયણ મંદિરને સોંપવા સામે વિરોધ

વડોદરા : શહેરના કારેલીબાગ સ્થિત શ્રી ગોવર્ધનનાથજી હવેલીની જગ્યા સ્વામિનારાયણ મંદિરને આપી દેવાનો મુદ્દે ટ્રસ્ટીઓ જ વિરોધ કરી રહ્યા છે. અને  હવેલીના ટ્રસ્ટીઓ સહિત વૈષ્ણવોમાં ભારે નારાજગી વ્યાપી છે. સતત બીજા દિવસે વૈષ્ણવો હવેલી ખાતે ભેગા થઈને હવેલી અને તેમાં બિરાજમાન ઠાકોરજીનું સ્વરૂપ અન્ય સ્થળે ન ખસેડાય તેવી માંગણી કરી દેખાવો કર્યા હતા. સૂત્રોના જણાવ્યા […]

ભાવનગર જિલ્લામાં 100થી વધુ સરકારી શાળાઓ મર્જના નામે બંધ કરવા સામે કોંગ્રેસનો વિરોધ

ભાવનગરઃ જિલ્લામાં જે સરકારી શાળાઓમાં ઓછા વિદ્યાર્થીઓ હોય તો તેવી શાળાઓને બીજી સાળાઓમાં મર્જ કરવામાં આવી રહી છે. સરકારની આ નીતિ સામે કોંગ્રેસે વિરોધ કર્યો છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના જિલ્લામાં 100 જેટલી શાળાઓ સરકારી નીતિને કારણે બંધ થઈ રહી હોવાનું  કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારના […]

વઢવાણના ઐતિહાસિક ગણાતા ગઢની દીવાલ તોડી પાડવામાં આવી, પાલિકાના સત્તાધિશો નિષ્ક્રિય

સુરેન્દ્રનગરઃ  વઢવાણ શહેરની ફરતે ઐતિહાસિક ગઢ આવેલો છે. ત્યારે આ ગઢની દીવાલ તોડી ત્યાં કોઈ ચોક્કસ જ્ઞાતીના લોકો દ્વારા ગેરકાયદેસર રીતે ગેટ બનાવવાની હિલચાલ શરૂ કરવામાં આવી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. વઢવાણ શહેર ઐતિહાસિક છે. અને શહેર ફરતે ગઢને લઈને તેની આગવી ઓળખ છે. ત્યારે અંગત લાભ માટે ગઢની દીવાલ તોડીને ગેઈટ મુકવા […]

ગોહિલવાડ પંથકમાં ખાતરના ભાવ વધારાનો ખેડુતો દ્વારા કરાયો વિરોધ

ભાવનગર: ગોહિલવાડ પંથકમાં રવિ સીઝનમાં સારૂંએવું વાવેતર કરાયુ છે. ચોમાસામાં સારા વરસાદને લીધે હાલ સિંચાઈ માટે પુરતુ પાણી મળી રહેતું હોવાથી ખેડુતોને પણ સારાએવા ઉત્પાદનની આશા છે. હાલ રવિ સીઝનમાં ખાતરની ખાસ માગ ઊભી થઈ છે. ત્યારે જિલ્લામાં ખાતરની તંગી ઊભી થઈ છે. બીજીબાજુ ખાતરના ભાવોમાં પણ છેલ્લા 3 માસમાં 40% થી લઇ 100% સુધીનો ભાવ […]

નવસારી નગરપાલિકાએ મર્જ કરેલા વિસ્તારોમાં વેરો વધારતા નાગરિકોમાં રોષ, વેપારીઓની પણ રજુઆત

નવસારીઃ શહેરની નગરપાલિકામાં કબીલપોર અને વિજપોરનો સમાવેશ કરાયા બાદ નગરપાલિકાએ વેરામાં વધારો કરતા આ વિસ્તારના નાગરિકોમાં અસંતોષ ઊભો થયો છે. જેમાં GIDC વિસ્તારનાવેપારીઓ માટે હદ વિસ્તરણ બાદ સમસ્યાઓમાં વધારો થયો છે. નગરપાલિકાના હદ વિસ્તરણ બાદ વેરામાં વધારો કરી દેવામાં આવ્યો છે. પણ સામે પાલિકા દ્વારા એટલી સુવિધા ન અપાતી હોવા છતાં વેરો વધારાતા વેપારીઓમાં પણ રોષ […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મિલ્કતની ટ્રાન્સફર ફી લેવાના નિર્ણય સામે વિરોધ

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરની મ્યુનિ.કોર્પોરેશને આવક વધારવા હવે મિલ્કતોના ટ્રાન્સફર ફી લેવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે ગાંધીનગર શહેરના નાગરિકોમાં સખત વિરોધની સાથે આક્રોશ વ્યાપ્યો છે. મ્યુનિસિપલ કમિશ્નરને શહેર વસાહત મહાસંઘ દ્વારા રજૂઆત પણ કરાઈ છે. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશને મિલ્કતોની ટ્રાન્સફર ફી લેવાના નિર્ણયથી શહેરીજનો પર બોજ વધશે. આ સંદર્ભે ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેસરીસિંહ બીહોલાએ […]

બિલીમોરા નગરપાલિકામાં મર્જ કરવા સામે 6 ગામોનો વિરોધ

નવસારીઃ  રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાઓમાં આજુબાજુના નજીકના ગામોનો સમાવિષ્ટ કરવામાં આવતો હોય છે. પણ નગરપાલિકામાં જે ગામોને મર્જ કરવામાં આવે તો ત્યાર બાદ તે ગામોનો ટેક્સ વધી જતો હોય છે. આથી મોટાભાગના ગામડાં શહેરો સાથે મર્જ થવામાં રાજી થતાં નથી. વિજલપોર નગરપાલિકાના હદ વિસ્તરણ બાદ બિલીમોરા નગરપાલિકા પણ વિવાદમાં સપડાઈ છે. બુલેટ ટ્રેનના સ્ટેશનને લઈ […]

કચ્છના શ્વેતરણની તંબુનગરીનું ગટરનું પાણી ખૂલ્લા રણમાં છોડાતા વિરોધ

ભૂજઃ કચ્છનો પ્રવાસન ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. જેમાં શ્વેતનગરી ગણાતા ધોરડામાં પ્રવાસી માટે તંબુ નગરી ઊભી કરવામાં આવી છે. રણોત્સવની આકર્ષણરૂપ ગણાતી તંબુનગરીમાં ગટરના દૂષિત પાણી બહાર ખુલ્લા રણમાં ટેન્કરો દ્વારા છોડાતાં માનવ અને પશુ તંદુરસ્તી માટે મોટો ખતરો ઊભો થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. કચ્છમાં રણોત્સવ માણવા દેશ-વિદેશોમાંથી આવતા સહેલાણીઓ શ્વેતરણ વચ્ચે […]

અમદાવાદમાં SVP હોસ્પિટલમાંથી 350 નર્સ અને 150 વોર્ડબોયને છૂટા કરાતા વિરોધ

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેલન સંચાલિત એસવીપી હોસ્પિટલમાં 350થી વધુ નર્સો અને 150થી વોર્ડબોયને છૂટા કરવામાં આવતા વિરોધ ઊભો થયો છે. કોરોનાના કાળ દરમિયાન એસવીપી હોસ્પિટલમાં નર્સો અને વોર્ડબોયએ સારી કામગીરી કરી હતી પણ ચર્ચા એવી ચાલી રહી છે.કે, એસવીપી હોસ્પિટલનું પ્રાઇવેટાઇઝેશન કરવાનું હોવાથી વધારાના કર્મચારીઓને છૂટા કરવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળી બાદ શહેરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code