1. Home
  2. Tag "public"

રાજ્યઃ 16 જિલ્લાના 35 ગામને સ્માર્ટ વિલેજ જાહેર કરાયાં

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાલુકા દિઠ એક ગામ સ્માર્ટ વિલેજ બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે 16 જિલ્લાના 35 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે. આ ગામો રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના અન્વયે પસંદ કરાયેલા ગામો છે. જેમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાધી ગામને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનામાં […]

શિયાળબેટની જનતાને પીવાનું શુદ્ધ પાણીની સમસ્યાથી મળશે કાયમી છુટાકારો

અમદાવાદઃ ગુજરાતમાં પીવાના પાણીની અછત હવે ભૂતકાળ બની છે. એક સમય હતો કે લોકોને પીવા માટે પાણી ભરવા છેક દૂર દૂર સુધી જવું પડતું હતુ. હવે હર ઘર નળ કનેક્શન થકી પીવાના પાણીની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. જાફરાબાદ તાલુકાના અંદાજિત 6500ની વસ્તી ધરાવતાં શિયાળબેટ ટાપુ ખાતે જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના વરદહસ્તે […]

પસવી જુથ સુધારણા પાણી પુરવઠા યોજનાઃ ત્રણ તાલુકાના ગામની જનતાને ફોર્સથી પાણી મળશે

અમદાવાદઃ ભાવનગર જિલ્લાની પાલિતાણા, તળાજા અને મહુવા તાલુકાને આવરી લેતી પસવી જુથ સુધારણા પાણી પુરવઠા યોજનાનું દેવળીયા ધાર ખાતે લોકાર્પણ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ યોજનાને પગલે 3 તાલુકાના ગામમાં ફોર્સથી પાણી ઉપલબ્ધ થશે. આ પ્રસંગ્રે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતુ કે, જે કામોનું ખાતમુર્હુત રાજ્ય સરકાર કરે છે એ કામોનું લોકાર્પણ […]

હનુમાન જ્યંતિને લઈને મોદી સરકાર એક્શન મોડમાં, રાજ્યો માટે એડવાઈજરી જાહેર કરી

નવી દિલ્હીઃ રામનવમીના પાવન પર્વ ઉપર બિહાર સહિતના કેટલાક રાજ્યોમાં કટ્ટરપંથીઓએ આચરેલી હિંસાના ઘેરા પડઘા પડ્યાં છે. દરમિયાન ગૃહ મંત્રાલયે હનુમાન જયંતિની તૈયારીઓને લઈને તમામ રાજ્યોને એડવાઈઝરી જાહેર કરી છે. જે અનુસાર રાજ્ય સરકારોને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા, તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી અને સમાજમાં સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડતા કોઈપણ પરિબળ પર નજર રાખવા માટે કહેવામાં […]

ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણીની જાહેરાત, 2 માર્ચે પરિણામ

નવી દિલ્હીઃ વર્ષ 2023માં રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. દરમિયાન ચૂંટણીપંચએ આજે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ સહિત 3 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરી, મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. તેમજ ત્રણેય રાજ્યોમાં 2 માર્ચે પરિણામ જાહેર કરવામાં આવશે. ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ […]

ધો.10 અને 12ની તા. 14મી માર્ચથી લેવાનારી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો,

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા  આગામી તા. 14મી માર્ચથી લેવાનારી ધોરણ 10 અને 12 ની  પરીક્ષા માટેનો કાર્યક્રમ જાહેર કરાયો છે.  ધો.10ની 14 માર્ચથી પરીક્ષાનો પ્રારંભ થશે. અને  28મી  માર્ચ સુધી પરીક્ષા ચાલશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી 29 માર્ચ સુધી ચાલશે.ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14 થી […]

સામાજિક પ્રગતિ સુચકાંક જાહેર,પુડુચેરીનો દેશમાં સૌથી વધુ 65.99 એસપીઆઇ

નવી દિલ્હીઃ સરકારે દેશના રાજયો અને જીલ્લાઓ માટે સોશ્યલ પ્રોગ્રેસ ઇન્ડેકસ એટલે કે સામાજિક પ્રગતિ સુચકાંક – SPI જાહેર કર્યા છે. પુડુચેરી, લક્ષદ્વીપ અને ગોવા સામાજિક પ્રગતિ સુચકાંકમાં તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમાંકે છે. પુડુચેરી, દેશમાં સૌથી વધુ 65.99 નો એસપીઆઇ ધરાવે છે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા […]

ભારતઃ રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કરાઈ, 18મી જુલાઈએ મતદાન

નવી દિલ્હીઃ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ આગામી દિવસોમાં પૂર્ણ થઈ રહ્યો છે. જેથી ચૂંટણીપંચ દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તા. 18મી જુલાઈના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે અને 21મી જુલાઈના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. દેશના સર્વોચ્ચ પદની ચૂંટણી માટેની સૂચના 15 જૂને જારી કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર રાષ્ટ્રપતિની ચૂંટણી […]

રાજ્યમાં નવી “ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022” જાહેર કરાઈ

અમદાવાદઃ ‘ઓપ્ટિકલ ફાઈબર’ અને ‘મોબાઈલ ટાવર’ પ્રસ્થાપિત કરવા માટે તેના ઇન્સ્ટોલેશન માટેની પરવાનગી આપતા રાજ્યના તમામ વહીવટી વિભાગોની એક સંકલિત પોલિસી “ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022” જાહેર કરવામાં આવી છે. આ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી થકી હવે અંડરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓવરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે Single Window Clearance પેટર્નથી ઇન્સ્ટોલેશન પરવાનગી મળતી થશે. પર્યાપ્ત બેન્ડવિથ સાથે એક મજબૂત […]

દેશના 6 એરપોર્ટમાં મુસાફરોને વધુ જનતાને શ્રેષ્ઠ સગવડો મળશે, એરપોર્ટના વિકાસ માટે અદાણીએ 250 મિલી ડોલરનું ધિરાણ મેળવ્યું

અમદાવાદ :અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.(AAHL)એ કંપનીના સંચાલન હસ્તકના દેશના ૬ એરપોર્ટમાં શ્રેષ્ઠ સુવિધાઓ પુરી કરવાના હેતુથી આજે ​​સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક (SCB) અને બાર્કલેઝ બેંક PLCના કન્સોર્ટિયમમાંથી ૩-વર્ષની ECB સિનિયર સિક્યોર્ડ સુવિધા સાથે ૨૫૦ મિલિઅન યુએસ ડોલરનું ફાયનાન્સિઅલ ક્લોઝર સફળતાપૂર્વક આખરી કર્યું હોવાની જાહેરાત કરી હતી. આ સુવિધામાં વધારાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code