1. Home
  2. Tag "Rahul Gandhi"

લોકસભામાં પેપર લીક મામલે વિપક્ષે સરકારને ઘેરવાના કર્યાં પ્રયાસ

નવી દિલ્હીઃ લોકસભામાં આજથી ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે, આ સત્રમાં મોદી સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે. દરમિયાન સંસદમાં ફરી એકવાર પેપર લીકનો મુદ્દો ઉભો થયો છે. એટલું જ નહીં પેપર લીક મામલે વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવ્યાં હતા. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશ જોઈ રહ્યો […]

દેશમાં હિન્દુઓ સાથે અન્યાય થઇ રહ્યો છે તેના વિશે રાહુલ ગાંધી કેમ કંઇ બોલતા નથીઃ ગીરીરાજ સિંહ

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે મંગળવારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે દેશમાં પેલેસ્ટાઈનના ઝંડા લહેરાવામાં આવી રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધી કંઈ બોલતા નથી. બીજેપી નેતા ગિરિરાજ સિંહે કહ્યું, “દેશમાં ઘણી જગ્યાએ પેલેસ્ટાઈન ધ્વજ લહેરાવવામાં આવે છે, પરંતુ રાહુલ ગાંધી અને તમામ વિપક્ષી નેતાઓએ આ અંગે મૌન જાળવી રાખ્યું છે.” […]

અયોધ્યાની જેમ જ ગુજરાતમાં પણ ભાજપાને હરાવાશેઃ રાહુલ ગાંધી

અમદાવાદઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ કોંગ્રેસના નેતાઓને મળ્યા હતા. તેઓ રાજકોટ ગેમ ઝોન અકસ્માત, મોરબી બ્રિજ અને સુરત અકસ્માતના પીડિતોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યાં હતા. ભાજપ પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે ગુજરાતમાં ભાજપને હરાવવાના છીએ અને કોંગ્રેસનો કોઈ કાર્યકર […]

રાહુલ ગાંધી કાલે શનિવારે ગુજરાતની મુલાકાતે આવશે, દૂર્ધટનાના પિડિત પરિવારોને મળશે

અમદાવાદઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભાની વિપક્ષના નેતા રાહુલ ગાંધી આવતી કાલે શનિવારે ગુજરાતની મુલાકાતે આવશે. બપોરે 12.30 વાગ્યે અમદાવાદ આવી પહોંચશે. અને રાજીવ ગાંધી ભવન, પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય, પાલડી ખાતે કોંગ્રેસના કાર્યકરોને મળશે. ત્યારબાદ પથ્થરમારા મામલે કોંગ્રેસના જે કાર્યકરો પોલીસ કસ્ટડીમાં છે, તેમને પણ મળવા જશે. ત્યારબાદ મોરબી બ્રિજ,  હરણી બોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડના […]

હાથરસ ભાગદોડના પીડિત પરિવારોને કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી મળ્યા

લખનૌઃ રાયબરેલીના કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી શુક્રવારે ઉત્તર પ્રદેશના અલીગઢના પિલખાના ગામમાં પહોંચ્યા અને હાથરસ નાસભાગના પીડિત પરિવારોને મળ્યા. આ નાસભાગમાં 121 લોકોના મોત થયા હતા અને એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. રાહુલ ગાંધી દિલ્હીથી રોડ માર્ગે અલીગઢના પીલખાના પહોંચ્યા. અહીં તેઓ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને મળ્યા હતા. રાહુલ ગાંધી સૌથી પહેલા […]

હિન્દુઓ ઉપર ખોટા આરોપ લગાવવાના પ્રયાસ થઈ રહ્યાં છે, જે ગંભીર બાબત છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન તેમણે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું, “હું રાષ્ટ્રપતિના સંબોધન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે હાજર છું. રાષ્ટ્રપતિએ તેમના ભાષણમાં વિકસિત ભારતના સંકલ્પને વિસ્તાર્યો છે.” પીએમ મોદીએ કહ્યું, આજે હિન્દુઓ પર ખોટા આરોપો લગાવવાનો પ્રયાસ […]

લોકસભામાં રાહુલ ગાંધીએ ભાષણમાં હિંદુઓ મામલે કરેલી ટીપ્પણી રેકોર્ડમાંથી હટાવાઈ

નવી દિલ્હીઃ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં કરેલા સંબોધનમાં કરેલી ઘણી ટિપ્પણીઓ રેકોર્ડમાંથી હટાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં હિન્દુઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને RSS વિશે ટિપ્પણી કરી હતી. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, જેઓ પોતાને હિંદુ કહે છે, તેઓ 24 કલાક હિંસા-હિંસા, નફરત-દ્વેષમાં વ્યસ્ત રહે છે. પીએમ […]

લોકસભામાં રાહુલ અને રાજ્યસભામાં ખડગેનું માઈક બંધ કરાયું, કોંગ્રેસનો આરોપ

નવી દિલ્હીઃ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી NEETનો મુદ્દો ઉઠાવી રહ્યા હતા ત્યારે તેમનું માઈક બંધ થઈ ગયું હતું. કોંગ્રેસે એવો પણ આરોપ લગાવ્યો છે કે રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગેનું માઈક પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. કોંગ્રેસે તેને સરમુખત્યારશાહી ગણાવી છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરેલી પોસ્ટમાં […]

રાહુલ ગાંધીએ ઈન્ડી ગઠબંધનના સાંસદો સાથે ચા ઉપર ચર્ચા કરી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે ઈન્ડિ ગઠબંધનના સાંસદો સાથે ચા સાથે ચર્ચા કરતા જોવા મળ્યાં હતા. આ દરમિયાન તેમની સાથે અયોધ્યાના સમાજવાદીના સાંસદ અવધેશ પ્રસાદ પણ ઉપસ્થિત રહ્યાં હતા. ચા ઉપર ચર્ચાની એક તસ્વીર સામે આવી છે, જેમાં અવધેશ પ્રસાદ અને રાહુલ ગાંધી હસતા-હસતા વાતો કરતા જોવા મળે છે, […]

લોકસભાના ડેપ્યુટી સ્પીકર મામલે રાહુલ અને અખિલેશને ચિરાગ પાસવાનનો સણસણતો જવાબ

નવી દિલ્હીઃ લોકસભામાં સ્પીકર પદે ઓમ બીરલા ચૂંટાયા બાદ તમામ નેતાઓએ તેમને અભિનંદન આપ્યાં હતા. આ દરમિયાન રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે ઓમ બિરલા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. દરમિયાન ચિરાગ પાસવાને પોતાની આગવી સ્ટાઈલમાં ડેપ્યુટી સ્પીકર મામલે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને ચાબખા માર્યાં હતા. લોકસભા સ્પીકરની ચૂંટણીમાં મળેલી જીત બાદ એનડીએ ખુશ દેખાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code