1. Home
  2. Tag "rajkot"

રાજકોટમાં સ્વાઈન ફ્લુના કેસમાં થયો વધારો, છેલ્લા બે મહિનામાં 150થી વધુ કેસ નોંધાયા

રાજકોટઃ શહેરમાં સ્વાઈન ફ્લુના કેસમાં વધારો થઈ રહ્યો છે. સામાન્યરીતે શિયાળાની ઠંડી ઋતુમાં સ્વાઈન ફ્લુના વધુ કેસ નોંધાતા હોય છે. પરંતુ ઉનાળાની ગરમીની સીઝનમાં પણ સ્વાઈન ફ્લુના કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા બે મહિનાથી શહેરમાં સ્વાઈન ફ્લૂનાં 150થી વધુ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે સ્વાઇન ફ્લૂને એક સામાન્ય ફ્લૂની શ્રેણીમાં મૂક્યો હોવાથી તેના સત્તાવાર આંકડાઓ […]

રાજકોટમાં કેમિકલની ફેકટરીમાં લાગી ભીષણ આગ, સદનસીબે કોઈ જાનહાની નહીં

રાજકોટઃ શહેરના સ્વાતિ પાર્ક વિસ્તારમાં  આવેલી એક કેમિકલની ફેકટરીમાં ભીષણ આગ ફાટી નિકળી હતી. આગ લાગતા ફેકટરીમાં કામ કરતા કામમદારોમાં નાસભાગ મચી ગઈ હતી દરમિયાન આગની જાણ કરતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. આગ એટલી ભયાનક હતી કે,  દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળતા સ્થાનિક લોકો પણ ફેકટરીની બહાર એકઠા થઈ ગયા હતા., […]

રાજકોટ શહેરમાં બાળકોમાં ગાળપચોળિયાનો વાવર, પ્રતિદિન નોંધાતા 300 કેસ, વેક્સિન માટે અપીલ

રાજકોટઃ શહેરમાં છેલ્લા બે મહિનાથી ગાલપચોળિયાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. દવાખાનામાં પ્રતિદિન 300 જેટલા કેસ નોંધાય રહ્યા છે. સામાન્ય રીતે જ્યારે સીઝન બદલાય ત્યારે વાઇરલ ઇન્‍ફેક્શનને કારણે આવા કેસો બનતા હોય છે, પરંતુ તેની સંખ્‍યા પ્રમાણમાં મર્યાદિત હોય છે. જોકે એકસાથે આટલી મોટી સંખ્‍યામાં ગાલપચોળિયાના કેસો નોંધાતા હવે બાળકોને વેક્સિનેશન એકમાત્ર ઉપાય હોવાથી […]

રાજકોટમાં મોટામૌવા વિસ્તારમાં પાણીની સમસ્યા સામે મહિલાઓએ કર્યો ચક્કાજામ

રાજકોટઃ સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી આજી સહિતના ડેમોમાં સમયાંતરે ઠાલવવામાં આવતું હોવાથી રાજકોટ શહેરની પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ છે, પરંતુ વહિવટી તંત્રની લાપરવાહીને કારણે શહેરમાં કેટલાક વિસ્તારોમાં પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. ત્રણેક વર્ષ પહેલાં શહેરમાં ભળેલા છેવાડાના વિસ્તારમાં લોકોને પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે શહેરના […]

રાજકોટમાં RTO ટ્રેક બે દિવસથી બંધ, લાયસન્સ માટે આવેલા 800 અરજદારો મુશ્કેલીમાં મુકાયા

રાજકોટઃ શહેરની આરટીઓ કચેરીમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટેનો ટ્રેક છેલ્લા બે દિવસથી બંધ હોવાથી લાયસન્સ માટે આવતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. આરટીઓમાં રોજ 400 જેટલા અરજદારો ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે આવતા હોય છે. એટલે બે દિવસથી ડ્રાઈવિંગ ટેસ્ટ માટેનો ટ્રેક બંધ પડતા 800 જેટલા અરજદારોને પરત ફરવાની ફરજ પડી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ RTOના ટ્રેકના […]

રાજકોટમાં ભાજપે બે મહિલા કોર્પોરેટરને ગેરરીતિના મુદ્દે પક્ષમાં સસ્પેન્ડ કર્યા, પણ કોર્પોરેટરપદે યથાવત

રાજકોટઃ શહેરના ગોકુલનગર આવાસ યોજનામાં મકાનોની ફાળવણીના ડ્રોમાં થયેલી ગેરરીતિમાં ભાજપના બે મહિલા કોર્પોરેટરોની સંડોવણી પ્રકાશમાં આવતા ભાજપએ વોર્ડ નં. 5નાં કોર્પોરેટર વજીબેન ગોલતર અને વોર્ડ નં. 6નાં કોર્પોરેટર દેવુબેન જાદવને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. જો કે બન્ને કોર્પોરેટરની સેવા અપક્ષ તરીકેની ચાલુ રહેશે. આરએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં  વોર્ડ નં. […]

રાજકોટમાં રિક્ષાચાલકે બસમાં ઘૂંસીને સિટી બસના ચાલકને મારમારતા ડ્રાઈવરો કર્યો ચક્કજામ

રાજકોટઃ શહેરના ત્રિકોણ બાગ નજીક સિટી બસના ચાલકે રિક્ષાને બસ સ્ટેન્ડથી દુર રોડ સાઈડ પર પાર્ક કરવાનું કહેતા રિક્ષાચાલક અને સિટીબસના ડ્રાઈવર વચ્ચે માથાકૂટ થઈ હતી. દરમિયાન રિક્ષાચાલકે બસમાં ઘૂંસીને બસના ડ્રાઈવરને મારમાર્યો હતો, આ બાબતની જાણ થતાં શહેરના સિટીબસના ડ્રાઈવરો એકાએક હડતાળ પર ઉતરી જતાં ચક્કાજામ સર્જાયો હતો. દરમિયાન એ-ડિવિઝન પોલીસ દોડી આવી હતી. […]

રાજકોટમાં આવાસ ફાળવણીમાં થયેલી ગેરરીતિના મુદ્દે ભાજપના કોર્પોરેટરનું રાજીનામું માગી લેવાયુ

રાજકોટઃ લોકસભાની ચૂંટણી નજીક છે. ત્યારે રાજકોટ શહેરમાં ભાજપના એક મહિલા કોર્પોરેટર સામે શહેરના ગોકુલનગર આવાસ યોજનાના મકાનોની ફાળવણીમાં ગેરરીતિ થયાના આક્ષેપો થતાં જ  શહેર ભાજપએ વોર્ડ-6ના કોર્પોરેટર અને મ્યુનિની એક કમિટીના ચેરમેન દેવુ જાદવનું રાજીનામું માગી લેવામાં આવ્યું છે. અને તપાસ સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી મ્યુનિ.ના કે પક્ષના કોઈપણ કાર્યક્રમમાં હાજર ન […]

રાજકોટમાં રખડતા કૂતરાનો ત્રાસ, એક મહિનામાં 500 કરતા વધુ લોકોને કરડ્યાં

રાજકોટઃ શહેરમાં કૂતરાની વધતી જતી વસતીને લીધે કૂતરા કરડવાના બનાવો વધતા જાય છે. જો કે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા મહિને 250થી વધુ કૂતરાના ખસ્સીકરણનો દાવો કરવામાં આવી રહ્યો છે. પણ છેલ્લા એક મહિનામાં કૂતરા કરડવાના 500થી વધુ કેસ નોંધાયા છે. ત્યારે મ્યુનિ.ની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે. રાજકોટ શહેરમાં ફેબ્રુઆરી મહિનામાં પણ શ્વાનનો આતંક યથાવત […]

રાજકોટમાં બે ઋતુને લીધે શરદી-ઉધરસ, ઝાડા-ઊલટી સહિત વાયરલ બિમારીના 1789 કેસ નોંધાયા

રાજકોટઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી બપોરે ગરમી અને રાતે ઠંડી એમ બે ઋતુંનો લોકો અનુભવ કરી રહ્યા હતા. ત્યાં જ માવઠાને લીધે અચાનક ઠંડીમાં વધારો થયો છે. ઉનાળાની ગરમી શરૂ થયા બાદ હાલ અચાનક શિયાળા જેવી ઠંડી પડતા રોગચાળો વકર્યો છે. મ્યુનિ.ના ચોપડે શરદી-ઉધરસના સૌથી વધુ 1,381 કેસ નોંધાયા છે. આ સિવાય તાવ અને ઝાડા-ઊલટીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code