1. Home
  2. Tag "rajya sabha"

સંસદમાં 5 દિવસમાં માત્ર 75 મિનિટનું કામ ચાલ્યું

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન સંસદના કામકાજની વાત કરીએ તો છેલ્લા 5 દિવસમાં માત્ર 75 મિનિટનું કામકાજ થયું છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે સંસદમાં આટલું ઓછું કામ કેમ થયું? વિપક્ષના હોબાળાને કારણે સંસદની કાર્યવાહી પ્રભાવિત થઈ રહી છે. વાસ્તવમાં દરરોજ વિપક્ષના હોબાળાને કારણે સંસદની કાર્યવાહી પ્રભાવિત થઈ […]

વિપક્ષના હંગામાને પગલે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરાઈ

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના સંભલ અને મણિપુરમાં હિંસા તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સહિત અન્ય કેટલાક મુદ્દાઓ પર તાત્કાલિક ચર્ચાની માગણીને ફગાવી દેવાયા બાદ સોમવારે રાજ્યસભામાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો, જેના કારણે ઉપલા ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. એક વખત મુલતવી રાખ્યા પછી આખા દિવસની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. આ ઉપરાંત લોકસભામાં પણ […]

રાજ્યસભામાં નિયમ 267ને વિક્ષેપની પદ્ધતિ તરીકે હથિયાર બનાવવામાં આવી રહ્યો છે : જગદીપ ધનખર

નવી દિલ્હીઃ આજે રાજ્યસભામાં વિક્ષેપ વચ્ચે અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું, માનનીય સભ્યો, અઠવાડિયા દરમિયાન આ મુદ્દાઓને વારંવાર ઉઠાવવામાં આવ્યા છે. જેના પરિણામે આપણે પહેલા જ કામકાજના ત્રણ દિવસો ગુમાવી દીધા છે. જે દિવસો જાહેર હેતુ માટે પ્રતિબદ્ધ હોવા જોઈએ. જેથી આપણાં દ્વારા લેવામાં આવેલા શપથ મુજબ આપણે આપણા કર્તવ્યોનું પાલન અપેક્ષા મુજબ નિભાવીએ છીએ. પ્રશ્નકાળ […]

સંસદમાં સંભલ હિંસા સહિતના મુદ્દે વિપક્ષનો હંગામો, કાર્યવાહી સ્થગિત કરાઈ

નવી દિલ્હીઃ દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સહિત વિવિધ મુદ્દાઓ પર તાત્કાલિક ચર્ચાની તેમની માંગને ફગાવી દેવાયા બાદ શુક્રવારે રાજ્યસભામાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો, જેના કારણે ઉપલા ગૃહની કાર્યવાહી શરૂ થયાના થોડા સમય બાદ દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. આ ઉપરાંત લોકસભામાં વિવિધ મુદ્દા ઉપર વિપક્ષ દ્વારા હંગામો મચાવ્યો હતો. જેથી લોકસભાની કાર્યવાહી સ્થગિત […]

લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષનો હંગામો, સંભાલ સહિતના મુદ્દા ઉઠાવ્યાં

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના ત્રીજા દિવસે સવારે 11 વાગ્યે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ હતી. આ દરમિયાન વિપક્ષના હોબાળાને કારણે બુધવારે લોકસભાની કાર્યવાહી શરૂ થયાની થોડીવારમાં જ સ્થગિત કરી દેવામાં આવી હતી. ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ કોંગ્રેસના સભ્યો પોતપોતાની જગ્યાએ ઉભા થઈ ગયા અને કેટલાક મુદ્દા ઉઠાવીને હંગામો મચાવ્યો હતો. કેટલાક […]

રાજ્યસભાની છ બેઠકોની પેટાચૂંટણી જાહેર, 20મી ડિસેમ્બરે યોજાશે મતદાન

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી બાદ હવે રાજ્યસભાની પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચે રાજ્યસભાની છ ખાલી બેઠકો માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ બેઠકો પર 20 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. પરિણામ એ જ દિવસે જાહેર કરવામાં આવશે. જે સીટો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમાંથી ત્રણ સીટો આંધ્રપ્રદેશની છે. આ […]

રાજ્યસભામાં શિયાળુ સત્રના પ્રારંભ સાથે જ વિપક્ષનો હંગામો

હંગામાને પગલે કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરાઈ હવે બુધવારે રાજ્યસભાની કાર્યવાહી કરવામાં આવશે નવી દિલ્હીઃ રાજ્યસભાના શિયાળા સત્રનો આજે પ્રારંભ થયો હતો. રાજયસભાના સભાપતિ જગદીપ ધનખડમાં દિવંગત સાંસદોની ઉપલબ્ધીઓનો ઉલ્લેખ કરીને તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી. રાજ્યસભાની કામગીરી શરૂ થતાની સાથે જ વિપક્ષે હંગામો મચાવતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડએ રાજયસભાની કાર્યવાહી આખા દિવસ માટે મુલત્વી રાખ્યો […]

રાજ્યસભામાં અધ્યક્ષ જગદીપ ધનખર અને સાંસદ જયાં બચ્ચન વચ્ચે તણખા ઝર્યાં

નવી દિલ્હીઃ રાજ્યસભામાં સાંસદ જયા બચ્ચન અને અધ્યક્ષ જગદીપ ધનખર વચ્ચે જોરદાર ચકમક ઝરી હતી. અધ્યક્ષ ધનખર દ્વારા જયા અમિતાભ બચ્ચન કહેવામાં આવતા જયા બચ્ચન ગુસ્સે થયા હતા. તેમણે કહ્યું કે, તેઓ એક કલાકાર છે અને બોડી લેંગ્વેજ સારી રીતે સમજે છે. જયાએ તો ત્યાં સુધી કહ્યું કે, મને માફ કરજો, પણ તમારો સ્વર મને […]

ભારતમાં નક્સવાદી પ્રવૃતિઓ ઘટી, 14 વર્ષમાં હિંસના બનાવમાં 73 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ ભારતમાં નક્સલી પ્રવૃતિઓમાં સતત ઘટાડો થયાનો સરકારે દાવો કર્યો છે. 14 વર્ષમાં ભારતમાં નક્સલવાદીઓ હુમલાની ઘટનાઓમાં 73 ટકાનો ઘટાડો થયો છે. તેમ ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું. લોકસભામાં સાંસદ સતીશ ગૌતમના પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે 2010ની સરખામણીમાં ઉગ્રવાદીઓની હિંસાની ઘટનાઓમાં 73 ટકાનો […]

રાજ્યસભામાં વિપક્ષી નેતાઓના જાસુસીનો મામલો ગુંજ્યો

નવી દિલ્હીઃ દેશમાં વિપક્ષના નેતાઓના મોબાઈલ ફોન હેક કરવા મામલે અગાઉ વિવાદ વકર્યો હતો. ફરી એકવાર વિપક્ષી નેતાઓના મોબાઈલ હેકિંગ-ટ્રેકિંગનો મામલો ફરી એકવાર રાજ્યસભામાં ગુંજ્યો હતો. જો કે, સરકારે ફરી એકવાર પોતાના તરફથી કોઈ હેકીંગ અને ટ્રેકિંગ કરવામાં આવતા હોવાનો ઈન્કાર કર્યો હતો. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ સવાલ કર્યો હતો કે, સરકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code