1. Home
  2. Tag "Reduction"

ગુજરાતઃ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ બેઠકોમાં 30 ટકા ઘટાડો થવાની શકયતાઓ

અમદાવાદઃ પોસ્ટ ગ્રેજયુએશન મેડીકલ રેગ્યુલેશન 2021નાં ડ્રાફટનાં પગલે ગુજરાતની પીજી મેડીકલ સીટોમાં 30 ટકા જેટલો ઘટાડો થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. તજજ્ઞોના મતે દેશનાં અન્ય રાજયોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ ઉદભવવાની શકયતા છે. રાજયમાં કુલ 1874 પીજી મેડીકલ બેઠક છે. જો ડ્રાફટમાં પ્રસ્તાવિત કરાયેલા નવા નિયમો લાગુ કરાશે તો રાજયમાં અંદાજે 600થી 700 […]

ભારતમાં ત્રણ તલાક કેસોમાં લગભગ 80 ટકાનો ઘટાડો, કાયદાને બે વર્ષ પૂર્ણ

દિલ્હીઃ ભારતમાં ત્રણ તલાકના કાયદાને બે વર્ષ પૂર્ણ થયો છે. આ કાયદાને કારણે મુસ્લિમ મહિલાઓને મોટી રાહત મળી છે. દરમિયાન કેન્દ્રીય લઘુમતી મામલાઓના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે, મુસ્લિમ મહિલા (પ્રોટેક્શન ઑફ રાઇટ્સ ઑન મેરેજ) એક્ટ લાગુ થયા બાદ ત્રણ તલાકના કેસોમાં 80 ટકાનો ઘટાડો આવ્યો છે. 1 ઑગષ્ટ, 2019ના કાયદો લાગુ થવાથી […]

કચ્છમાં ઉદ્યોગોને લીધે ખેતીની જમીનમાં ઘટાડોઃ 2019-20માં 3.10 કરોડ ચો.મી. જમીન બિનખેતી થઈ

ભૂજઃ કચ્છમાં ઓદ્યોગિકરણને કારમે ખેતીની જમીનો ઘટતી જાય છે. કચ્છમાં વિનાશક ભૂકંપ બાદ વિકાસનો વાયરો ફુંકાતાં ખેતીની જમીનો ધડાધડ બિનખેતી થવા લાગી છે અને 2014થી 2019ના આંકડાઓ પર દ્રષ્ટિપાત કરીએ તો જિલ્લામાં 6 વર્ષમાં 11.66 કરોડ ચો.મી. જમીન બિનખેતી થઇ હતી. અને 5 વર્ષમાં પ્રીમિયમ પેટે 2.38 અબજની રકમ સરકારી તિજોરીમાં જમા થઇ હતી . […]

ગુજરાતમાં કોરોના ઓછો થતાં સેનિટાઇઝરના વેચાણમાં 50થી 60 ટકાનો ઘટાડો

અમદાવાદઃ   રાજ્યભરમાં કોરોનાના કેસો વધી રહ્યા હતા ત્યારે રાજ્યમાં સેનિટાઇઝરના વેચાણમાં ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ છેલ્લા 15થી 20 દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાં સેનિટાઇઝરનું વેચાણ પણ ઘટ્યું છે. સમગ્ર રાજ્યમાં સેનિટાઇઝરના વેચાણમાં 50થી 60 ટકાનો ઘટાડો થયો છે. ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો […]

પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા સરકાર ઇલેક્ટ્રિક વાહનો માટે પોલિસી જાહેર કરશે

અમદાવાદઃ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સેન્ચુરી વટાવવાની તૈયારીમાં છે. અસહ્ય ભાવ વધારાથી વાહનચાલકો પણ ત્રાહીમામ પોકારી ગયા છે, ત્યારે સકરારે પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા માટે અને લોકો ઈલેક્ટ્રિક વાહનો ખરીદે તે માટે પોલીસી બનાવીને તેની એક સપ્તાહમાં જ જાહેરાત કરાશે. ગુજરાત સરકાર આવતા સપ્તાહે ઇલેક્ટ્રિક વાહનો માટેની પોલિસીની જાહેરાત કરી શકે છે. આ […]

રાજ્ય સરકાર દ્વારા સ્વનિર્ભર શાળાઓમાં ફી ઘટાડવા માટે કરાતી વિચારણા

અમદાવાદ: ગત વર્ષે શાળાની ફીમાં 25 ટકાનો ઘટાડો કર્યા બાદ રાજ્ય સરકાર આ વર્ષે પણ શાળા ફીમાં થોડો ઘટાડો કરવાની યોજના બનાવી રહી છે.  સરકાર આ વર્ષે પણ વિદ્યાર્થીઓના વાલીઓને રાહત આપવાના હેતુસર શાળાઓની ફી ઘટાડવાનો વિચાર કરી રહી છે. આ ઘટાડો કોવિડ પહેલા શાળાની જે ફી હતી તેના પર 10 ટકા થી 15 ટકાની […]

આવક કરતા ખર્ચ વધારે હોવાથી પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ઘટાડો કરવાનો હાલ યોગ્ય સમય નથીઃ ધર્મેન્દ્ર પ્રધાન

અમદાવાદઃ એક કહેવત છે કે, ‘આમદી અઠન્ની, ખર્ચા રૂપૈયા’. કોવિડ મહામારીમાં કંઈ આવી જ હાલમાં દેશનું અર્થતંત્ર છે. કેન્દ્ર સરકારની આવક ઘટી છે બીજી તરફ ખર્ચમાં વધારો થયો છે. આવામાં પટ્રોલ-ડિઝલના ભાવમાં થયેલો વધારો નજીકના ભવિષ્યમાં ઘટે તેમ નથી. આવો સંકેત પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો થઈ […]

ગુજરાતમાં મે મહિનાના 11 દિવસમાં કોરોનાના કેસમાં 16 ટકાનો ઘટાડોઃ ટેસ્ટિંગમાં પણ ઘટાડો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. મે મહિનાના 11 દિવસમાં કોરોનાના ટેસ્ટમાં પણ 15.5 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે કોરોનાના કેસમાં 16 ટકાનો ઘટાડો નોંધાયો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં હવે બેડ માટે રાહ જોવી પડતી નથી. આમ કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો બોવાથી સરકારી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ગુજરાતમાં સતત […]

સીરમ ઇન્સ્ટિટ્યૂટ બાદ હવે ભારત બાયોટેકએ રાજ્યો માટે પોતાની વેક્સીન ‘કોવેક્સીન’ની કિંમત ઘટાડી

ભારત બાયોટેકે હવે રાજ્યો માટે કોવેક્સીનના ડોઝની કિંમત ઘટાડી કંપનીએ રાજ્યો માટે કોવેક્સીનની કિંમત 200 રૂપિયા પ્રતિ ડોઝ ઘટાડી છે અગાઉ સીરમ ઇન્સ્ટિટ્યૂટે પણ પોતાની વેક્સીનની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો નવી દિલ્હી: ભારત બાયોટેકે હવે રાજ્યો માટે કોવેક્સીનની કિંમત 200 રૂપિયા પ્રતિ ડોઝ ઘટાડી દીધી છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકએ અગાઉ પોતાની કોવિડ […]

કોરોનાને લીધે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાય મંદિરની આવકમાં 50 ટકાનો ઘટાડો

નડિયાદઃ કોરોનાના કપરા કાળમાં મંદિરોની આવકમાં પણ ઘટાડો થયો છે. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત રણછોડ રાયજી મંદિરને મળનારા દાન, ચઢાવો અને જુદા જુદા પ્રકારની આવકમાં 50 ટકા કરતા વધારે ઘટાડો નોંધાયો છે. યાત્રાધામ રણછોડરાયજી મંદિરના ઓફિસ સ્ટાફ તરફથી મળતી વિગતો મુજબ કોરોના કાળ દરમિયાન ભક્તોની સંખ્યામાં વર્ષ 2020-21 દરમિયાન ઘટાડો નોંધાયો છે. જેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code