1. Home
  2. Tag "released"

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ICC એ વન-ડે રેકિંગ લિસ્ટ જાહેર કર્યું, ભારતનો દબદબો યથાવત

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા જ કેટલીક ટીમો વન-ડે સીરિઝ રમી રહી છે. તાજેતરમાં જ પાકિસ્તાનમાં ટ્રાઈ નેશન સીરીઝ ખત્મ પૂર્ણ થઈ છે જે પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. આ ઉપરાંત ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચની વન-ડે સીરિઝ અને ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે બે મેચની વન-ડે સીરિઝ રમાઈ હતી. હવે ચેમ્પિયન્સ […]

ઝારખંડ વિધાનસભા ચૂંટણીઃ પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

નવી દિલ્હીઃ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પંચે આજે જાહેરનામું બહાર પાડ્યું છે. આ તબક્કામાં 13 નવેમ્બરે 43 બેઠકો પર મતદાન થશે. 25 ઓક્ટોબર નામાંકન ભરવાની છેલ્લી તારીખ છે. ઉમેદવારો સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી નોમિનેશન ફાઇલ કરી શકશે. 28 ઓક્ટોબરે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. નામ પાછા ખેંચવાની છેલ્લી તારીખ […]

કંગના રનૌત દ્વારા સ્વ-સંપાદિત પુસ્તક ‘પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીઃ ફ્રોમ ધ રેડ ફોર્ટ’નું વિમોચન કરાયું

નવી દિલ્હીઃ બીજેપી સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 74 માં જન્મદિવસ નિમિત્તે નરેન્દ્ર મોદી સેન્ટર ફોર સ્ટડીઝ દ્વારા આયોજિત પુસ્તક વિમોચન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં કંગના રનૌત દ્વારા સ્વ-સંપાદિત પુસ્તક ‘પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીઃ ફ્રોમ ધ રેડ ફોર્ટ’નું પણ વિમોચન કર્યું હતું. કંગના રનૌતે પોતાના ભાષણમાં પ્રધાનમંત્રીના નેતૃત્વની પ્રશંસા […]

શ્રીલંકાએ 17 ભારતીય માછીમારોને મુક્ત કર્યા

શ્રીલંકાના જળસીમામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવા બદલ ધરપકડ કરાયેલા ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. શ્રીલંકન નૌકાદળ દ્વારા ધરપકડ કરાયેલા 17 ભારતીય માછીમારોને આજે ભારત પરત મોકલવામાં આવ્યા હતા. માછીમારી કરવા ગયેલા આ તમામ ભારતીય માછીમારો શ્રીલંકન નેવીની જાળમાં ફસાઈ ગયા હતા. કાયદાકીય કાર્યવાહી બાદ હવે તમામને મુક્ત કરવામાં આવ્યા છે. ભારતીય મિશન દ્વારા આ […]

બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલિદા ઝિયાને જેલમાંથી મુક્ત કરવા રાષ્ટ્રપતિએ કર્યો આદેશ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં રાજકીય અશાંતિ વચ્ચે શેખ હસીનાએ સોમવારે પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપી દેશ છોડી દીધો હતો. જે બાદ પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીને ઢાકામાં બંગભવન ખાતે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ, વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ અને નાગરિક સમાજના પ્રતિનિધિઓ સાથે વચગાળાની સરકારની રચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં BNP […]

‘કલ્કી’ 500 કરોડના ક્લબમાં પહોંચી, ઉત્તર અમેરિકામાં આ મોટી સિદ્ધિ હાંસલ કરી

‘કલ્કી 2898 એડી’ દેશની સાથે વિદેશમાં પણ ધૂમ મચાવી રહી છે. ફિલ્મને દુનિયાના ખૂણે ખૂણેથી પ્રેમ મળી રહ્યો છે. 27 જૂને રિલીઝ થયેલી આ ફિલ્મ જબરજસ્ત કમાણી સાથે દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. વૈશ્વિક સ્તરે આ ફિલ્મ 500 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. જંગી કમાણી કરીને, આ ફિલ્મ ઉત્તર અમેરિકામાં સૌથી વધુ કમાણી […]

વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજેને બ્રિટીશ જેલમાંથી મુક્ત કરાયા

નવી દિલ્હીઃ વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજેને બ્રિટીશ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. સોમવારે સાંજે લંડનના સ્ટેનસ્ટેન્ડ એરપોર્ટ પર ફ્લાઈટમાં સવાર થતાં જુલિયન અસાંજેનો વિડીયો વિકિલીક્સે સોશિયલ મિડીયા પર શેર કર્યો છે. લંડનના અખબાર ધ ગાર્ડિયને તેના અહેવાલમાં આ ઘટનાની વિગતવાચર ચર્ચા કરી છે. સોમવારે રાત્રે જાહેર કરાયેલા કોર્ટના દસ્તાવેજો અનુસાર 52 વર્ષીય અસાંજે તેમની આઝાદીના […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો બહાર પાડ્યો

લખનૌઃ દેશભરના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં આયોજિત કિસાન સન્માન સંમેલનમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો બહાર પાડ્યો છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ DBT દ્વારા દેશના 9.3 કરોડ ખેડૂતોના ખાતામાં કુલ 20 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. PM કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો બહાર પાડ્યા […]

ફિલ્મ ‘મેં અટલ હું’ રિલીઝ થઈઃ દર્શકોએ ફિલ્મ અને પંકજ ત્રિપાઠીના અભિયનની કરી પ્રશંસા

મુંબઈઃ ફિલ્મ અભિનેતા પંકજ ત્રિપાઠી અભિનીત ફિલ્મ ‘મૈં અટલ હું’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીની બાયોપિક છે, જેમાં પંકજ ત્રિપાઠીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મનું નિર્દેશન રવિ જાધવે કર્યું છે. પ્રથમ દિવસે ફિલ્મ જોઈને નીકળેલા દર્શકોએ ફિલ્મની પ્રશંસા કરી છે. દર્શકોએ પંકજ ત્રિપાઠીના અભિનિયની પણ પ્રશંસા કરી હતી. […]

ટ્રાફિક સેવામાંથી TRB જવાનોને છૂટા કરવા સામે અસંતોષ, અમદાવાદમાં કલેક્ટરને અપાયુ આવેદન

અમદાવાદઃ ગુજરાતમાં ટ્રાફિકના નિયમન માટે 9000થી વધુ ટીઆરબી જવાનો માનદ સેવા આપી રહ્યા છે. જેમાં પાંચ કે તેથી વધુ વર્ષથી સેવા આપતા 6400 ટીઆરબી જવાનોને છૂટા કરવાનો રાજ્યના ડીજીપી દ્વારા નિર્ણય લેવામાં આવતા ટીઆરબી જવાનોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. અને તમામ જિલ્લાઓમાં ટીઆરબી જવાનો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code