વડોદરા મ્યુનિ.કોર્પોરેશ સંચાલિત રેનબશેરાના લાભથી ફુટપાથવાસીઓ વંચિત, તંત્ર નિષ્કિય
વડોદરાઃ રાજ્ય સરકાર અને મ્યુનિ,કોર્પોરેશન દ્વારા ગરીબો માટે અનેક યોજનાઓ બનાવવામાં આવે છે પણ તેનો લાભ ગરીબોને મળે છે કે કેમ તેની કોઈ દરકાર લેવામાં આવતી નથી, વડોદરા શહેરમાં ફૂટપાથવાસીઓ તેમજ ગરીબ ઝૂંપડાવાસીઓને કુદરતી આપત્તીમાં આશરો આપી શકાય તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં પાંચ નવા સહિત 10 જેટલા રેનબશેરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઊભા કરવામાં આવ્યા છે. […]