1. Home
  2. Tag "Samachar Blog"

અમદાવાદ પ્લેન ક્રેશ: 137 મૃતકોના DNA મેચ

અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તાર નજીક 12મી જૂનના રોજ થયેલી એર ઇન્ડિયાની AI171 પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારની આ કામગીરી અંતર્ગત મૃત્યુ પામેલા 137 લોકોના DNA સેમ્પલ મેચ થઈ ગયા છે. પાટનગર ગાંધીનગર ખાતે આવેલી FSLની કચેરીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા બેઠક કરી હતી… જેમાં […]

નરેન્દ્ર મોદી G-7 સમિટમાં ભાગ લેવા માટે બે દિવસના કેનેડા પ્રવાસે

નવી દિલ્હીઃ કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીના નિમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના કેનેડાના પ્રવાસ પર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેનેડા પહોંચી ચુક્યા છે. જ્યાં તેઓ આલ્બર્ટા પ્રાંતના કનાનાસ્કિસમાં યોજાનારી 51મી G-7 શિખર સંમેલનમાં ભાગ લેશે. G-7 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી સતત છઠ્ઠી વખત ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી શિખર સંમેલન ઉપરાંત અનેક દ્વિપક્ષીય […]

આતંકવાદીઓ પાસે પૈસા અને ભંડોળ ટ્રાન્સફર કરવાના સાધનો વિના પહેલગામ જેવા હુમલા શક્ય નથીઃ FATF

નવી દિલ્હીઃ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે. આ હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિશ્વમાં આતંકવાદને નાણાકીય સહાય પૂરી પાડનારાઓ પર નજર રાખતી સંસ્થા FATF (ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ)એ 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરી […]

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, ગઢડામાં 14.6 ઈંચ વરસાદ

ગાંધીનગરઃ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘમહેર થઈ છે. તારીખ 18થી 22 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદની શક્યતા રહેલી છે. જેથી આજે કચ્છ, ગીર-સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ બોટાદના ગઢડામાં 14.6 ઈંચ વરસાદ નોંધાયો છે. તો ભાવનગરના […]

રાજકોટમાં ફુલો વરસાવીને લોકોએ સ્વ. વિજય રૂપાણીને અંતિમ વિદાય આપી

  મહાનુભાવો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલી આપી રાજકોટવાસીઓએ લોક લાડીલા નેતાને ભીની આંખે વિદાય આપી, અંતિમ દર્શન માટે લોકોની ભારે ભીડ જામી અમદાવાદઃ વિમાન દૂર્ઘટનામાં મૃત્યુ માપેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ લવાયો હતો. રૂપાણીના નિવાસસ્થાને ભાવાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.સ્વગર્સ્થની અંતિમ યાત્રામાં રાજકીય મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિમાન દૂર્ઘટનાના સારવાર લેતા દર્દીઓને મળી ખબર અંતર પૂછ્યા

ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી મુખ્યમંત્રીએ સમગ્ર કામગીરીની સમીક્ષા કરી, DNA નમૂના મેપિંગની પ્રક્રિયા તથા ઇજાગ્રસ્તોને ઝડપી સારવાર માચે નિર્દેશો આપ્યા, ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વિમાન દુર્ઘટનાના પીડિતોને મળી તેમના ખબરઅંતર પૂછ્યા હતા અને હતભાગીઓના પરિવારજનોની મુલાકાત લઈ, તેમને સાંત્વના પાઠવી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીએ મંત્રીશ્રીઓ તથા રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક […]

ભારત પાસે પરમાણુ શસ્ત્રોની સંખ્યા વધી 180 ઉપર પહોંચી, પરમાણુ શસ્ત્રો વહન કરતી મિસાઈલોની સંખ્યામાં વધારો

નવી દિલ્હીઃ વારંવાર પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવાની ધમકી આપતા પાકિસ્તાનને એ જાણીને મોટો ઝટકો લાગશે કે ભારતે પોતાના પરમાણુ શસ્ત્રોનો ભંડાર વધાર્યો છે. આ વર્ષે ભારતના પરમાણુ શસ્ત્રોની સંખ્યા 180 પર પહોંચી ગઈ છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) ના નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત પરમાણુ શસ્ત્રોની બાબતમાં પાકિસ્તાન કરતાં આગળ છે, […]

આતંકવાદ મુદ્દે સમર્થન બદલ નરેન્દ્ર મોદીએ સાયપ્રસના રાષ્ટ્રપતિનો આભાર માન્યો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સે સંયુક્ત રીતે મીડિયાને સંબોધિત કર્યું. પીએમ મોદીએ સરહદ પાર આતંકવાદ સામે ભારતની લડાઈમાં સાયપ્રસના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો. આ સાથે, બન્ને નેતાઓએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. પીએમ મોદીએ કહ્યું કે હું રાષ્ટ્રપતિનો ભવ્ય સ્વાગત અને આતિથ્ય માટે હૃદયપૂર્વક આભાર […]

કોસ્ટ ગાર્ડ માટે સ્વદેશી રીતે ડિઝાઈન કરાયેલ જહાજ ‘અચલ’ લોન્ચ કરાયું

મુંબઈઃ ભારતીય કોસ્ટ ગાર્ડ માટે 60 ટકા સ્વદેશી સામગ્રીથી બનેલ જહાજ ‘અચલ’ સોમવારે ગોવા શિપયાર્ડ લિમિટેડ ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ કિનારાના કોસ્ટ ગાર્ડ કમાન્ડર અનિલ કુમાર હરબોલાના પત્ની કવિતા હરબોલાએ ‘અથર્વવેદ’ ના મંત્ર સાથે જહાજનું નામકરણ કર્યું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડે આત્મનિર્ભર ભારત તરફ વધુ એક પગલું ભરીને આ સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે. લોન્ચિંગ […]

ભારત આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં વૈશ્વિક નેતા બનવા તરફ આગળ વધી રહ્યું છે: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રાહત કમિશનરો અને આપત્તિ પ્રતિભાવ દળોના વાર્ષિક પરિષદને મુખ્ય અતિથિ તરીકે સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય અને કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે જણાવ્યું હતું કે, બે વર્ષથી અમે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code