1. Home
  2. Tag "Samachar Live"

જુનાગઢમાં મુખ્યમંત્રીના હસ્તે નરસિંહ મહેતા સરોવરનો 28મીએ લોકાર્પણ કરાશે

જુનાગઢ, 25 જાન્યુઆરી 2026:  શહેરના ઐતિહાસિક મહત્વ ધરાવતા નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશન કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આગામી 28 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે. છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલી આ કામગીરી બાદ હવે સરોવર નવા આકર્ષણો સાથે પ્રવાસીઓ અને સ્થાનિકો માટે તૈયાર કરાયુ છે. નરસિંહ મહેતા સરોવરના નવીનીકરણ […]

ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર દ્વારા મંગળવારે વહેલી પરોઢે 3 વાગ્યે સંમેલન યોજાશે

ગાંધીનગર, 25 જાન્યુઆરી 2026: ગાંઘીનગર દક્ષિણના ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના નેતૃત્વવાળી ઠાકોરસેના દ્વારા આગામી તા,27મી ને મંગળવારે સવારે ત્રણ વાગ્યે ગાંધીનગરના રામકથા મેદાનમાં અભ્યુદય નામે સંમેલન યોજાશે, આ સંમેલન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ સંમેલન વહેલી સવારે 3 વાગ્યે યોજાનાર હોવાથી સામાજિક અને રાજકીય વર્તુળોમાં ભારે કુતૂહલ અને ચર્ચાઓ જાગી છે.  ગુજરાતમાં સ્થાનિક […]

વડોદરાના ગોરવામાં બેટરીના ગોદામમાં લાગેલી વિકરાળ આગ પર કાબુ મેળવાયો

વડોદરા, 25 જાન્યુઆરી 2026:  શહેરના ગોરવા મધુનગર વિસ્તારમાં આવેલા કાર-બાઈકની બેટરીના ગોડાઉનના બેટરી સ્ટોરેજમાં લાગેલી આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગ્યાની જાણ થતાં જ પાંચ ફાયર સ્ટેશનનો સ્ટાફ ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે નજીકની સોસાયટીમાં એક તરફથી લોકોને દૂર […]

સુરતમાં રેલવે સ્ટેશન પર નાઈજરિયન મહિલા 2.30 કરોડના ડ્રગ્સ સાથે પકડાઈ

સુરત, 25 જાન્યુઆરી 2026: શહેરમાં ડ્રગ્સની હેરાફેરી સામે પોલીસ એલર્ટ મોડ પર છે. ત્યારે શહેરના રેલવે સ્ટેશન પર ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા બાતમીના આધારે મુંબઈ સેન્ટ્રલથી અમૃતસર જતી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાં પ્રવાસ કરી રહેલી એક વિદેશી મહિલાની જડતી લેતા તેની પાસેથી કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યુ છે. ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સને બાતમી મળી […]

અમદાવાદમાં ખારીકટ કેનાલનું કામ બાકી છે, ત્યારે કેનાલમાં પાણી છોડાતા કામગીરીને બ્રેક

અમદાવાદ, 25 જાન્યુઆરી 2026: શહેરમાં છેલ્લા ઘણા સમયથી ખારીકટ કેનાલનું કામ ચાલી રહ્યુ છે. મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે પણ હજુ 50 મીટરની કામગીરી બાકી છે. ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલમાં એકાએક પાણી છોડાતા પ્રોજેક્ટની કામગીરી પર બ્રેક વાગી ગઈ છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન અને સિંચાઈ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો છે. તેમજ ભાજપના […]

તાપી નદી પર બુલેટ ટ્રેન બ્રિજની કામગીરી દરમિયાન લોખંડની પ્લેટ પડતા બેનાં મોત

 સુરત, 25 જાન્યુઆરી 2026: શહેરના તાપી નદી પર નિર્માણાધિન બુલેટ ટ્રેન માટેના બ્રિજ નીચે હોડીમાં માછીમારી કરવા જઈ રહેલા પિતા-પૂત્ર પર લોખંડની ભારેખમ પ્લેટ પડતા બન્નેના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસ દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી […]

અમીરગઢના ઈકબાલગઢ નજીક ટ્રક અને ઈનોવા કાર વચ્ચે અકસ્માતમાં 6નાં મોત

પાલનપુર, 24 જાન્યુઆરી 2026:  રાજ્યના હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ નજીક નેશનલ હાઈવે પર સર્જાયો હતો. રોંગ સાઈડમાં આવી રહેલા આઈસર ટ્રકે ઈનોવા કારને અડફેટે લેતા 6 પ્રવાસીઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 3 પ્રવાસીઓને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા […]

એએમટીએસ બસે સ્કૂલવાન, ટેમ્પો અને રિક્ષાને અડફેટે લીધા, બેને ઈજા

અમદાવાદ,23 જાન્યુઆરી 2026:  શહેરના ગોતા વિસ્તારમાં સિરામિક માર્કેટ પાસે માતેલા સાંઢની જેમ પૂરફાટ ઝડપે આવેલી એએમટીએસ બસે એક સ્કૂલવાન, ટેમ્પો અને રિક્ષા એમ ત્રણ વાહનોને અડફેટે લીધાં હતાં. આ અકસ્માતમાં બે લોકોને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. CCTV ફૂટેજમાં બસ ઓવર સ્પીડમાં હોવાનું […]

ગાંધીનગર ખાતે ‘એડવાન્સિસ ઈન અર્થક્વેક સાયન્સની ત્રિદિવસીય વૈશ્વિક પરિષદનો‌ પ્રારંભ

ગાંધીનગર, 23 જાન્યુઆરી 2026:  દેશ-દુનિયામાં આવતા ભૂકંપ સામે અર્લી વોર્નિંગ સિસ્ટમ અને સંશોધન માટે આ ત્રિદિવસીય વૈશ્વિક પરિષદ મહત્વની ભૂમિકા ભજવશે. તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશમાં સૌ પ્રથમવાર વર્ષ ૨૦૧૧માં ગુજરાતના ગાંધીનગરમાં ભૂકંપ સંશોધન કેન્દ્ર-ISRની સ્થાપના કરવામાં આવી હતી, જે આજે ભૂકંપ સંશોધન ક્ષેત્રે દેશ- દુનિયાને માર્ગદર્શન કરી રહી છે. આ વૈશ્વિક […]

ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિસનો 6ઠ્ઠો પદવીદાન યોજાયો

અમદાવાદ, 23 જાન્યુઆરી 2026: ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિસના છઠ્ઠા પદવીદાન સમારંભમાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતે પદવી મેળવનારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે, ટ્રાન્સપ્લાન્ટેશન એ માત્ર ચિકિત્સા પદ્ધતિ નથી, પરંતુ નિરાશ થયેલા દર્દીઓના જીવનમાં ફરીથી ‘વસંત’ ખીલાવવાનું પુણ્યકાર્ય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના માં શારદા લક્ષ્મી હૉલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને માર્ગદર્શન આપતાં રાજ્યપાલએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code