1. Home
  2. Tag "Samachar Samachar"

નળ સરોવરમાં પક્ષી ગણતરી સંપન્ન, 270 પ્રજાતિના 6.42 લાખ પક્ષીઓ નોંધાયા

અમદાવાદ, 11 જાન્યુઆરી 2026:  જિલ્લાના સાણંદ નજીક આવેલા વિશ્વ પ્રસિદ્ધ રામસર સાઈટ નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે તાજેતરમાં પક્ષી વસ્તી ગણતરી અભ્યાસ-૨૦૨૬નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા પક્ષી વૈવિધ્ય અને તેમની વસ્તીની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે દર બે વર્ષે આ પ્રકારનો વ્યાપક અભ્યાસ હાથ ધરવામાં આવે છે. આ વર્ષે યોજાયેલા આ સર્વેમાં […]

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ચણા અને રાઇની ટેકાના ભાવે ખરીદી કરાશે

ગાંધીનગર, 11 જાન્યુઆરી 2026: કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.  મંત્રીએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે, ભારત સરકારના […]

જેતપુરમાં ભાદર નદીમાં ઉદ્યોગોના પ્રદૂષિત પાણી છોડાતા ખેડૂતોનો વિરોધ

રાજકોટ, 11 જાન્યુઆરી 2026:  જિલ્લાના જેતપુરમાં ભાદર નદી પ્રદૂષિત બની છે. જેતપુર અને આજુબાજુના વિસ્તારોમાં કારખાનેદારો તેમજ કેમિકલની ફેકટરીઓ દ્વારા પ્રદૂષિત પાણી ભાદર નદીમાં છોડવામાં આવતું હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જેતપુરના કેરાળી-લુણાગરા પાસે ભાદર નદીમાં કેમિકલ માફિયાઓ દ્વારા ઝેરી પાણી છોડાતા નદી પ્રદૂષિત થઇ છે. આ ઘટનાને લઇને ખેડૂતો અને આમ આદમી પાર્ટીએ GPCB […]

મસાલા ભરવાની સીઝનના ટાણે જ લાલ મરચાના ભાવમાં થયો તોતિંગ વધારો

રાજકોટ, 11 જાન્યુઆરી 2026:  ગુજરાતમાં ગૃહિણીઓ સીઝનમાં અનાજ અને મરી-મસાલા 12 મહિના માટે ભરી લેતી હોય છે. ત્યારે હાલ મસાલા ભરવાની સીઝનના પ્રારંભે જ લાલ મરચાના ભાવ આસમાને પહોંચ્યા છે. એટલે કે ગયા વર્ષે લાલ મરચાના જે ભાવ હતા તે આ વખતે ડબલ થઈ ગયા છે. મરચાના ભાવ ₹3700થી વધીને ₹6450ની સપાટીએ પહોંચી ગયા છે. […]

સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બરૈયાએ કર્યો આપઘાતનો પ્રયાસ, Dysp સામે આક્ષેપ

ભાવનગર, 11 જાન્યુઆરી 2026:  શહેરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ ડીવાયએસપી રીમાબા ઝાલા સામે આક્ષેપ કરતો વિડિયો બનાવીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઈન્સ્ટ્રાગ્રામ સહિત સોશિયલ મીડિયામાં રિલ બનાવીને જાણીતી થયેલી નયના બારૈયા થોડા સમય પૂર્વે ભાવનગરના ભરતનગર પોલીસ મથકે ફરજ બજાવતી હતી. તે દરમિયાન આરોપીને આશરો આપવાના કેસમાં ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ હાલમાં જામીન પર […]

ઠાકોર-કોળી વિકાસ નિગમ દ્વારા લોન માટે 7/12માં બોજો મુકવા સામે વિરોધ

ગાંધીનગર, 11 જાન્યુઆરી 2026:   ઠાકોર અને કોળી વિકાસ નિગમ દ્વારા સમાજના યુવાનોને રોજગાર-ધંધા માટે લોન આપવામાં આવતી હોય છે. ત્યારે નિગમ દ્વારા લોન આપવાના નિયમોમાં ફેરફાર કરાતા તેની સામે ભારે વિરોધ ઉઠ્યો છે. નવા નિયમ મુજબ હવે લોન માટે જમીનના 7/12 ઉતારામાં બોજો મૂકવાની જોગવાઈ કરાતા અનેક લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. અગાઉના નિયમ મુજબ માત્ર […]

રાજુ કરપડાનું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું, ભાજપમાં જોડાવવાની શક્યતા

અમદાવાદ, 11 જાન્યુઆરી 2026:  આમ આદમી પાર્ટી ગુજરાતના નેતા અને ખેડૂત અગ્રણી રાજુ કરપડાએ પાર્ટીમાંથી એકાએક રાજીનામું આપી દેતા રાજકીય માહોલ ગરમાયો છે. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધુ છે. કરપડાના નજીકના લોકોના કહેવા મુજબ રાજુભાઈ ભાજપમાં જોડાઈ તેવી શક્યતા છે. આમ આદમી પાર્ટીના લડાયક નેતા તરીકે જાણીતા થયેલા અને […]

ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરકાયદે રહેતા 33 ભાડૂઆતો પકડાયા

ભાવનગર, 11 જાન્યુઆરી 2026:  શહેરમાં આર્થિકરીતે નબળા વર્ગના અને ઘર વિહોણા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો ફાળવવામાં આવ્યા છે. પણ મકાનો જે લાભાર્થીઓને ફાળવાયા હતા, તેમને મકાનો અન્ય લોકોને ભાડે આપી દીધા હતા. એટલે કેટલાક મકાનોમાં મુળ લાભાર્થીઓ રહેતા ન હોવાની ફરિયાદો મળતા શહેરના મ્યુનિ.કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા તરસમિયા રોડ પર આવેલા પ્રધાનમંત્રી આવાસ […]

રાજકોટમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ સામે મ્યુનિ.ના હેલ્થ વિભાગનું સઘન ચેકિંગ

રાજકોટ, 11 જાન્યુઆરી 2026:  શહેરના મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ખાદ્યતેલનું વેચાણ અને વપરાશ કરતા એકમો ઉપર સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્યતેલનું વેચાણ કરતા કુલ 15 જેટલા ધંધાર્થીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાં ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ […]

આંખોને આંજી દેતી મોડીફાઈ કરેલી LED લાઈટ સાથે 250 વાહનો રાજકોટથી પકડાયા

રાજકોટ, 11 જાન્યુઆરી 2026:  ગુજરાત સરકારે તમામ આરટીઓ કચેરીઓને વાહનો પર મોડીફાઈ કરેલી એલઈડી લાઈટ્સ સામે દંડનીય કાર્યવાહીનો આદેશ આપ્યા બાદ સુરત બાદ રાજકોટ આરટીઓએ ઝુંબેશ શરૂ કરી છે. અને છેલ્લા 15 દિવસમાં જ 250થી વધુ વાહનચાલકોને દંડ ફટકારી રૂ.5 લાખની વસૂલાત કરવામાં આવી છે. ગુજરાતમાં ખાસ કરીને રાતના સમયે અકસ્માતોના બનાવો વધતા જાય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code