1. Home
  2. Tag "Samachar Samachar"

‘વંદે માતરમ@150 વર્ષ’ની બીજા તબક્કાની ઊજવણી 31મી માર્ચ સુધી કરાશે

ગાંધીનગર, 24 માર્ચ 2026: ‘Vande Mataram@150 Years’ Celebrations  દેશવાસીઓની રાષ્ટ્રીય ભાવનાને પ્રેરણા આપતું અમર રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને ૧૫૦ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત ‘વંદે માતરમ @૧૫૦ વર્ષ’ના બીજા તબક્કામાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી તા.૨૩થી ૩૧ માર્ચ,૨૦૨૬ દરમિયાન  કરવામાં આવશે. જેનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં રાષ્ટ્ર ભાવનાને વધુને વધુ ઉજાગર કરવાનો છે. આ અભિયાન અંતર્ગત જિલ્લા, તાલુકા, […]

અમદાવાદ સહિત રાજ્યમાં આજે બીજા દિવસે પણ પેટ્રોલ પંપ પર વાહનોની લાઈનો લાગી

અમદાવાદ, 24 માર્ચ 2026: Lines of vehicles at petrol pumps  ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચેના યુદ્ધને લીધે પેટ્રોલ-ડીઝલની અછત સર્જાશે તેવી દહેશત અને અફવા ને કારણે ગઈકાલે સોમવારે વાહનચાલકોએ વાહનોમાં પેટ્રોલ- ડીઝલ ભરાવવા માટે લાઈનો લગાવી દીધી હતી. જોકે રાજ્યના મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પુરતો જથ્થો છે. એટલે […]

ગીરના જંગલમાં 400 હેકટરમાં કૂવાડિયા નામની વનસ્પતિને દૂર કરીને કૂદરતી ઘાસ ઉગાડાયું

જૂનાગઢ, 24 માર્ચ 2026: Kuwadia plant removed ગીરના જંગલના કુદરતી ઘાસના મેદાનો પર ‘કુવાડિયા’ (Senna tora) નામની આક્રમક વનસ્પતિએ કબજો જમાવ્યો હતો. આ બિનજરૂરી વનસ્પતિને કારણે જંગલમાં વસવાટ કરતા ચીતલ, સાબર અને નીલગાય જેવા તૃણાહારી પ્રાણીઓના ખોરાક પર માઠી અસર પડી હતી. તેથી જૂનાગઢ વન વિભાગ દ્વારા એક વિશેષ અને સફળ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો […]

કચ્છના કન્ટેનર ટ્રાન્સપોર્ટરોએ ભાડામાં 20 ટકાનો તોતિંગ વધારો કર્યો

ભૂજ, 24 માર્ચ 2026: Container transporters hike fares  કચ્છમાં કંડલા પોર્ટ અને મુદ્રા પોર્ટ પર સૌથી વધુ આયાત-નિકાસ થતી હોય છે. દેશના વિવિધ ભાગોમાં કન્ટેનરોની ટ્રક-ટ્રાન્સપોર્ટ દ્વારા હેરાફેરી કરાતી હોય છે. ત્યારે ડીઝલની અછત અને સ્પેરપાર્ટ્સના વધતા ભાવને પગલે કંડલા મુંદ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશન (KMCTWA) દ્વારા ટ્રાન્સપોર્ટ દરોમાં 20 ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં […]

ઉત્તર ગુજરાતમાં 2.17 લાખ હેકટરોમાં ઉનાળુ પાકની વાવણી પૂર્ણ, હજુ 50 ટકા વાવેતર બાકી

ગાંધીનગર, 24 માર્ચ 2026: Sowing of summer crops completed in 2.17 lakh hectares in North Gujarat  ઉત્તર ગુજરાતમાં રવિ સીઝન પૂર્ણ થતાં ખેડૂતો ઉનાળું વાવેતરના કામમાં પરોવાયા છે.  ઉત્તર ગુજરાતમાં ઉનાળુ સીઝન માટે કુલ 4,28,164 હેક્ટરમાં વાવેતરનો અંદાજ રાખવામાં આવ્યો હતો. જેની સામે અત્યાર સુધીમાં 2,17,615 હેક્ટર વિસ્તારમાં વાવણીની પ્રક્રિયા આટોપી લેવામાં આવી છે, એટલે […]

અમદાવાદ-મહેસાણા હાઈવે પર અડાલજ બ્રિજ નીચે હીટ એન્ડ રન, બાઈકસવાર દંપત્તીનું મોત

ગાંધીનગર, 24 માર્ચ 2026: Biker couple dies in hit-and-run   રાજ્યમાં પૂરફાટ દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ અડાજલ નજીક બન્યો છે. અમદાવાદ મહેસાણા હાઈવે અડાલજ બટર ફ્લાય બ્રિજ નીચે રવિવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કલોલ ખાતે સંબંધીના ઘરે ખબર પૂછીને પરત અમદાવાદ જઈ રહેલા […]

ગુજરાત ચૂંટણી પંચે મતદાર યાદી જાહેર કરી, 27 માર્ચ સુધી સુધારા અરજીઓ સ્વીકારાશે

ગાંધીનગર, 24 માર્ચ 2026: Election Commission releases voter list  ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન પુનરાવર્તન (SIR)ની કામગીરી પૂર્ણ થયા બાદ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. પ્રાથમિક યાદી જાહેર થતા હવે મતદારો માટે પોતાના નામ, સરનામા સહિતની વિગતો ચકાસવાની તક મળશે. જો કોઈ ભૂલ અથવા સુધારો કરવાની જરૂર હોય તો […]

હવામાન વિભાગ કહે છે, હવે માવઠું નહીં પડે પણ આગાહીકારોએ 28મી માર્ચથી માવઠાની આગાહી કરી

અમદાવાદ, 24 માર્ચ 2026: Weather forecasters predicted unseasonal rain from March 28th ગુજરાતમાં ગઈ તા. 19મી માર્ચથી ત્રણ દિવસ વાવાઝોડા અને કમોસમી વરસાદથી ખેડૂતોને સારૂએવું નુકસાન થયું છે. જો કે, છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણ ચોખ્ખુ થતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. રાજ્યના હવામાન વિભાગે તાપમાનમાં વધીરો થવાની શક્યતા વ્યક્ત કરી છે અને આગામી એક સપ્તાહ […]

રાજકોટમાં આશા વર્કર બહેનોએ પ્રશ્નોના ઉકેલ માટે મ્યુનિની કચેરી સામે કર્યા ધરણાં

રાજકોટ, 24 માર્ચ 2026: Asha workers’ protest શહેરના મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં અર્બન આશા વર્કર તરીકે સેવા આપતી બહેનોએ પોતાના પડતર માંગણીઓના ઉકેલ માટે મ્યુનિની કચેરી સામે ધરણા કર્યા હતા. આશા વર્કરોના છેલ્લા લાંબા સમયથી બાકી રહેલા ઇન્સેન્ટિવના ચુકવણા મુદ્દે કોઈ નક્કર ઉકેલ ન આવતા આશા વર્કર બહેનોએ મ્યુનિની કચેરી ખાતે ઉમટી પડી વિવિધ બેનરો સાથે […]

સુરતના કાપોદ્રામાં પ્રવાસીઓ ભરેલી એસટી બસમાં લાગી આગ, કોઈ જાનહાની નહીં

સુરત, 24 માર્ચ 2026: Fire in ST bus શહેરના વરાછા-કાપોદ્રા વિસ્તારમાં જલારામ ફર્નિચર પાસે રોડ પર જતી 51 પ્રવાસીઓ ભરેલી એક એસટી બસમાં આગ લાગી હતી. એસટી બસના એન્જિનમાં ધૂમાડો નીકળતા બસના ડ્રાઈવરે રોડ સાઈટ પર બસ પાર્ક કરીને તમામ પ્રવાસીઓને ત્વરિત ઉતરી જવા કહ્યું હતું. અને પ્રવાસીઓ પર બસમાંથી ઉતરી ગયા હતા. દરમિયાન જોતજાતોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code