1. Home
  2. Tag "Sayla"

સાયલાનો ક્વોરી ઉદ્યોગ 4 દિવસથી હડતાળ પર જતા 2500 ડમ્પરોના પૈડા થંભી ગયા

સુરેન્દ્રનગર, 9 ફેબ્રુઆરી 2026:  જિલ્લાના સાયલા તાલુકામાં ક્વોરી ઉદ્યોગકારોએ પોતાની વિવિધ પડતર માગણીઓના ઉકેલ માટે છેલ્લા ચાર દિવસથી અચોક્કસ મુદ્દતથી હડતાલ પાડી છે. ક્વોરી ઉદ્યોગની હડતાળ સામે સરકાર મક્કમ રહેતા બ્લેક્ ટ્રેપ (કપચી)નું વિતરણ ઠપ્પ થઈ ગયું છે. તેથી અમદાવાદ, ધોલેરા, વિરમાગામ, સાણંદ સહિતના વિસ્તારોમાં કેટલાક બાંધકામોને અસર થઇ છે. મટીરીયલ સપ્લાય કરતા 2500થી વધુ […]

સાયલામાં જુના જસાપરા ગામે ખનીજચોરીના કેસમાં 2.87 કરોડનો દંડ ફટકારાયો

સુરેન્દ્રનગર, 29 જાન્યુઆરી 2026:  જિલ્લાના ખનીજ ચોરી સામે તંત્રએ લાલ આંખ કરી છે. ખનીજચોરી સામે રેડ પાડીને માલ-સામન સીઝ કરવામાં આવે છે. ત્યારબાદ ખનીજચોરોને આકરી પેનલ્ટી પણ ફટકારવામાં આવે છે. જિલ્લાના સાયલાના જૂના જસાપરમાં ખનીજ ચોરી મામલે રૂ.2.87 કરોડનો દંડ ફટકારાયો છે. મામલતદારની રેડ બાદ ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી કરી જમીન માલિકો અને મશીન સંચાલકોને […]

સાયલાના ખીટલા ગામની સીમમાં કપાસની આડમાં ગાંજાનું વાવેતર પકડાયુ

પોલીસે 559 કિલો લીલા ગાંજાના 180 છોડ સાથે એક આરોપીની ધરપકડ કરી, ખેતરમાં ગાંજાના છોડ ઉખેડવા માટે એક ડઝન GRD જવાનની મદદ લેવી પડી, ગાંજાની કિમત આશરે 2,79,85,000 રૂપિયા આંકવામાં આવી સુરેન્દ્રનગરઃ જિલ્લાના સાયલા તાલુકાના ખીટલા ગામની સીમમાં પોલીસે કપાસની આડમાં ગાંજાનું વાવેતર પકડી પાડ્યુ છે. જિલ્લાની એસઓજી પોલીસે બાતમીને આધારે ખીટલાં ગામની સીમમાં રેડ […]

સાયલાના ઈશ્વરિયામાં લોકોએ વીજ ચેકિંગમાં આવેલા PGVCLના કર્મીઓ પાસે આઈકાર્ડ માગતા બબાલ

ગ્રામજનોએ કર્મચારીઓ પર દાદાગીરી અને ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો, PGVCLના અધિકારીઓ જે વાહનમાં આવ્યા હતા તેની નંબર પ્લેટ પણ નહોતી, ગ્રામજનોએ વીજ ચેકિંગ અટકાવતા અધિકારીઓને પરત ફરવાની ફરજ પડી, સુરેન્દ્રનગરઃ જિલ્લામાં વીજ લાઈન લોસ વધતો જતા અને વીજચોરીની ફરિયાદો વધતા પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે સાયલા તાલુકાના ઈશ્વરીયા ગામમાં પીજીવીસીએલના કર્મચારીઓ […]

ભૂપેન્દ્ર પટેલ નહીં પણ હર્ષ સંઘવી સુપર સીએમ છેઃ અરવિંદ કેજરિવાલનો આક્ષેપ

આમ આદમી પાર્ટીના ઉપક્રમે સાયલામાં ખેડૂત મહા પંચાયત યોજાઈ, કેજરિવાલ અને ભગવંત માને ભાજપ સરકાર પર કર્યા પ્રહારો, વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા તો ભાજપની ઝાડા થઈ ગયા સુરેન્દ્રનગરઃ જિલ્લાના સાયલા તાલુકાના વાંટાવચ્છ ગામમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરાયુ હતું. જેમાં આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ તેમજ […]

રાજકોટની ફ્લાઈંગ સ્ક્વોર્ડેએ સાયલા નજીકથી ગેરકાયદે ખનીજ વહન કરતા 5 ડમ્પર પકડ્યા

સાયલા બાયપાસ રોડ પરથી ગેરકાયદે ખનીજનો બે કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો, ડમ્પરના ચાલકો પાસે જરૂરી દસ્તાવેજો રજૂ ન કરી શક્યા, પાંચમાંથી ચાર ડમ્પરો રોયલ્ટી પાસ વગર વહન કરતાં હતા સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ખનીજચોરીનું દૂષણ વધતું જાય છે. તંત્ર દ્વારા સમયાંતરે દરોડા પાડવામાં આવતા હોવા છતાંયે ખનીજચોરી અટકતી નથી. ત્યારે સુરેન્દ્રનગર ખાણ ખનીજ સહિત સ્થાનિક તંત્રને અંધારામાં […]

સાયલાના ડોળિયા ગામે માથાભારે શખસે વીજપોલ તોડી નાંખતા 90થી વધુ ખેડુતોની રજુઆત

વીજપોલ તોડી નાંખ્યા બાદ માથાભારે શખસ નવો પોલ નાંખવા દેતો નથી, વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા, પીજીવીસીએલના નાયબ ઇજનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી સુરેન્દ્રનગરઃ જિલ્લાના સાયલા તાલુકાના ડોળીયા ગામના માથાભારે શખ્સે સિંચાઇ ટાણે જ વીજ પોલ તોડી નાખતા 90થી વધુ ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. માથાભારે ગણાતા શખ્સે વીજ પોલ નહીં નાખવા દેતા […]

સાયલા નજીક પૂર ઝડપે કાર રોડ સાઈડ ઉતરીને ઊંડા ખાડામાં ખાબકતા બેના મોત, ત્રણને ઈજા

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. સાયલાથી ત્રણ કિલોમીટર દૂર કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારીને રોડ સાઈડ પરથી ઉતરીને ઊંડા ખાડામાં ખાબકી હતી.  આ અકસ્માતમાં  બે વ્યક્તિના મોત થયા હતા. જ્યારે ત્રણ જણાંને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં […]

સાયલા તાલુકાના ચોરવીરાની સીમમાં કાર્બોસેલના ખોદકામ દરમિયાન ગેસ ગળતરથી બેના મોત

સુરેન્દ્રનગર: જિલ્લાના  સાયલા તાલુકાના ચોરવીરા ગામની સીમમાં ગેરકાયદેસર કાર્બોસેલના ખોદકામ દરમિયાન ગેસ ગળતર થતાં બે મજૂરોના કરૂણ મોત નિપજ્યા હતાં. જ્યારે એક મજૂરની હાલત ગંભીર છે. મૃતક બન્ને યુવાનો મુળી તાલુકાના ધોળીયા ગામના છે. મૃતકો પરિવારના અધારસ્તંભ હોવાથી બન્નેના મોતને લઇને પરિવારનો આધાર છીનવાઇ ગયો છે, સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલ સહિતના ખાડાઓ પુરી […]

સાયલા નજીક હાઈવે પર પુરફાટ ઝડપે આવેલી કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો, દંપત્તીનું મોત

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા નજીક પૂર ઝડપે આવી રહેલી ઈકોકારનું ટાયર ફાટતાં કાર પલટી મારીને રોડ સાઈડના 10 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતામાં પતિ-પત્નીના મોત નિપજ્યા હતા. જ્યારે પાંચ જેટલા પ્રવાસીઓને ઈજા થતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના બનાવની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code