1. Home
  2. Tag "south gujarat"

ગુજરાતમાં ચોમાસાની ધીરે-ધીરે જમાવટઃ 84 તાલુકામાં મેઘમહેર, વિસાવદરમાં 4 ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિધિવત પઘરામણી બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યાં છે અને ચોમાસુ આગળ વધી રહ્યું હોવાનું હવામાન વિભાગ માની રહ્યું છે. દરમિયાન 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં ચાર ઈંચ જેટલુ પાણી પડ્યું હતું. જ્યારે નવસારી અને જલાલપોરમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. […]

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ઉંમરગામમાં 9 ઈંચ,વલસાડ – વાપીમાં 4 ઈંચ

વલસાડઃ જિલ્લામાં મેઘરાજાનું વિધિવત આગમન થઈ ગયું છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.  જિલ્લામાં સૌથી વધુ ઉમરગામ તાલુકામાં 6 ઈંચ વરસાદ પડ્યા હતો ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પાણી ભરાતા વાહનચાલકોની મુશ્કેલી વધી હતી. ગુજરાતમાં સોમવારે 75 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં વલસાડના ઉંમરગાંમ  તાલુકામાં નવ ઈંચ, વલસાડ અને વાપીમાં 4 ઈંચ, અને […]

નવસારીમાં 10મી જૂને PM મોદીના હસ્તે રૂ. 3054 કરોડના વિકાસ કામો-યોજનાનું લોકાર્પણ-ખાતમૂહૂર્ત કરાશે

અમદાવાદઃ ગુજરાતના આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસની નેમ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આગામી તા. 10 જૂને નવસારીના ખૂડવેલ ખાતે રૂા. 3054 કરોડના ખર્ચે આદિજાતિ વિસ્તારમાં વિવિધ વિકાસ કામો અંતર્ગત 7 યોજનાઓના લોકાર્પણ, 12 યોજનાઓના ખાતમુહૂર્ત અને 14 યોજનાઓનું ભૂમિપૂજન કરવામાં આવશે. આદિજાતિ વિસ્તારના નાગરિકો પીવાના પાણી માટે માનવબળના ઉપયોગથી પાતાળમાંથી […]

ગુજરાતમાં 8મી જુનથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની પડવાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં 15મી જુન બાદ વિધિવત ચોમાસાનું આગમન થઈ જશે. હાલ મેઘરાજાનું વાજતે-ગાજતે આગમન દક્ષિણ ભારતના કેરળમાં થઈ ગયું છે. 10થી 15 દિવસમાં મહારાષ્ટ્રની મહેમાનગતિ માણીને મેઘરાજા ગુજરાતમાં પધારશે. દરમિયાન પ્રિમોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 8મી જુનથી હવામાનમાં પલટો આવશે. અને કેટલાક સ્થળોએ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત […]

ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે, દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળો આકરો બન્યો છે, દરમિયાન આજે દક્ષિણ ગુજરાતના વલસાડમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ રહ્યો હતો. દરમિયાન રાજસ્થાનમાં સર્જાયેલા સાઈક્લોનિક સરક્યુલેશનને પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાસ શહેરો-નગરોમાં ભારે પવન સાથે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ આગામી 28 અને 29મી મેના રોજ માછીમારોને […]

દક્ષિણ ગુજરાતના વસલાડમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો, અનેક સ્થળો ઉપર હળવો વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને ગઈકાલે રાજકોટ અને દક્ષિણ ગુજરાતના વલસાડ વરસાદ વરસ્યો હતો. દરમિયાન આજે સતત બીજા દિવસે પણ વલસાડમાં વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળે છે. વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે લોકોએ કાળઝાળ ગરમીમાં રાહત અનુભવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર વલસાડ જિલ્લામાં આજે સતત બીજા દિવસે પણ વાતાવરણમાં […]

દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી, તાપમાનમાં બે ડિગ્રીના ઘટાડોની શક્યતા

ગાંધીનગરઃ રાજયભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીમાં આંશિક ઘટાડો થયો છે,  સાથે જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 25મી મેથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.  તેમજ હજુ આગામી 4-5 દિવસ સુધી ગરમીમાં આંશિક રાહત મળશે અને તાપમાનમાં 2-3 ડિગ્રી સુધી ઘટવાનો અંદાજ છે. રાજ્યમાં કાળઝાળ ગરમી બાદ છેલ્લા બે-ત્રણ દિવસથી […]

દ.ગુજરાતઃ ધરમપુર અને કપરાળાના અંતરિયાળ ગામોમાં પીવાનું પહોંચાડવાની કામગીરી પૂર્ણતાના આરે

અમદાવાદઃ રાજયના આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા તેમજ વલસાડ જિલ્‍લા પ્રભારી મંત્રી નરેશ પટેલના અધ્‍યક્ષસ્‍થાને વલસાડ જિલ્લામાં આગામી ચોમાસા પહેલા ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્‍તારના લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે કપરાડા તાલુકાની અસ્‍ટોલ જૂથ પાણી પુરવઠા યોજના, સુજલામ સુફલામ યોજના અને નલ સે જલ યોજના અંતર્ગત જિલ્લામાં સંબધિત વિભાગ દ્વારા કરાયેલા આયોજન […]

સુરતઃ શહેરમાં સમાવાયેલી નગરપાલિકા અને ગ્રામપંચાયતમાં નિયમિત પાણી પહોંચાડાશે

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં નવા સમાવિષ્ઠ ગ્રામપંચાયત અને નગરપાલિકામાં નિયમિત પાણીનો જથ્થો મળી રહે તે દિશામાં મનપા દ્વારા કામગીરી કરવામાં આવી છે. નવા સમાવિષ્ટ વિસ્તારો માટે તબક્કાવાર 173.52 એમએલડી ક્ષમતાના 9 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 367 એમએલડી ક્ષમતાના 27 સુએઝ પમ્પિંગ સ્ટેશન, 67.15 કિ.મીની રાઈઝિંગ મેઈન લાઈન તથા કુલ 316.82 કિ.મી.ના ડ્રેનેજ નેટવર્ક માટે ડ્રાફ્ટ […]

વલસાડમાં 58 જર્જરીત ગ્રામ પંચાયતોના નવા મકાન બનાવાશે

જિલ્લા કક્ષાએ નવીન ડીઝાઇન તૈયાર કરવા મંજૂરી અપાઈ જિલ્લા વિકાસ અધિકારીએ વહીવટી મંજુરી આપી અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતોના જર્જરિત મકાનોની જગ્યાએ નવા મકાન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતોની 58 જેટલી ઈમારતોના નવા મકાન બનાવવામાં આવશે. કરોડોના ખર્ચે ગ્રામ પંચાયતોના નવા મકાન બનાવવામાં આવશે. વલસાડના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વહીવટી મંજુરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code