1. Home
  2. Tag "start"

રાજ્યભરમાં લાભપાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ, ખેડુતોને મણના ભાવ રૂ.1110 મળશે

જામનગરઃ  દિવાળી અને નવા વર્ષ બાદ આવતી કાલે લાભ પાંચમ છે,  લાભપાંચમના શુભ  દિવસે લોકો વેપાર ધંધાની પૂજા-અર્ચના કરતા હોય છે. ત્યારે આ જ દિવસે જગતના તાત ગણાતા ખેડૂતો માટે પણ વર્ષની શુભ શરૂઆત થશે. આવતી કાલથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવશે. સત્તાવાર રીતે રાજ્ય સરકારે આ અંગે જાહેરાત કરી હતી. તે […]

જૂનાગઢઃ અંતરિયાળ નેસ વિસ્તારમાં બાળકો માટે સાયન્સ લેબવાનનો પ્રારંભ

અમદાવાદઃ  જૂનાગઢ જિલ્લાના નેસ વિસ્તારના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન વિષયમાં રસ અને રૂચિ વધે તેવા આશયથી જિલ્લા શિક્ષણ સમિતિ ઘ્વારા સાયન્સ લેબવાન શરૂ કરવામાં આવી છે. જેનું જિલ્લા પંચાયત ખાતેથી આજે જિલ્લા પંચાયત ના પ્રમુખ શાંતાબેન ખટારિયા અને  જિલ્લા વિકાસ અઘિકારી મીરાંત પરીખે  ફલેગ ઓફથી પ્રસ્થાન કરાવ્યું હતુ. જૂનાગઢ જિલ્લાના ત્રણ તાલુકા મેદરડા,વિસાવદર અને ભેસાણ મા અંદાજે […]

સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2021નો ગુરૂવારથી પ્રારંભઃ 17,475 ગામોને આવરી લેવાશે

દિલ્હીઃ સ્વચ્છ ભારત મિશન ફેઝ -2 અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ આવતીકાલે 9 સપ્ટેમ્બર, 2021ના રોજ શરૂ કરવામાં આવશે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણનો હેતુ દેશમાં ODF હસ્તક્ષેપો અને પરિણામોને વેગ આપવાનો છે. સર્વેક્ષણ 2021 હાથ ધરવા માટે એક નિષ્ણાત એજન્સીની નિમણૂક કરવામાં આવી છે. સર્વેક્ષણના ભાગરૂપે, ગામો, જિલ્લાઓ અને રાજ્યોને મુખ્ય પરિમાણોનો […]

જન્માષ્ટમીના પંચ પર્વનો પ્રારંભઃ આજે બોળચોથ દિને ગાય માતાના પૂજનના કાર્યક્રમો યોજાયાં

અમદાવાદઃ ગુજરાતભરમાં જન્માષ્ટમીના પર્વનું પણ અનેરૂં મહાત્મય છે. અને ચોથથી જ પાંચ દિવસના પર્વનો પ્રારંભ થઈ જાય છે.  દરેક પંચાંગ તથા જયોતિષના નિયમ મુજબ આજે બોળચોથ છે. બોળચોથના ગાય માતાની પૂજા તથા પ્રદક્ષિણા કરવામાં આવે છે. ગામડાઓમાં આજે પણ બોળચોથ ઉત્સાહથી ઉજવાય છે. મહિલાઓ ઉપવાસ કે એકટાણા કરે છે. સાંજે ગાય માતાનું પૂજન કરવામાં આવે […]

ખનીજની બેરોકટોક થતી ચોરીઓ અટકાવવા માટે વ્હીકલ ટ્રેકિંગ મોનિટરિંગ સિસ્ટમનો પ્રારંભ

ગાંધીનગરઃ રાજ્યમાં ખનનની પ્રવૃતિ બેરોકટોક થઈ રહી છે. ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સમયાંતરે દરોડા પાડીને ખનનની ચોરી પકડી પાડતા હોય છે. પણ ભ્રષ્ટાચારને કારણે ફરી ખનનની ચોરીઓ બેરોકટોક થવા લાગે છે. રાજ્યમાં ગેરકાયદે રેત ખનનની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા દેશની સૌપ્રથમ અત્યાધુનિક વ્હીકલ ટ્રેકિંગ મોનિટરિંગ સિસ્ટમ વિકસાવવામાં આવી છે, જેના થકી […]

શ્રાવણ મહિનાના પ્રારંભ સાથે જ ફ્રુટ્સના ભાવમાં તોતિંગ વધારો

અમદાવાદ: પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા બાદ દરેક જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે. અસહ્ય મોંઘવારીથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે. દિવસેને દિવસે મોંઘવારી પણ માઝા મુકી રહી છે. પેટ્રોલ , ખાદ્ય તેલ અને દૂધમાં ભાવ વધારો લોકો હજુ સહન કરી રહ્યા છે. એવામાં હવે ફ્રૂટના ભાવમાં પણ […]

ગુજરાતઃ ધો-12 પછી ઈજનેરી કોર્સમાં પ્રવેશ માટે નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે કોરોનાને કારણે ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાઈ ન હતી. જેથી સરકાર દ્વારા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. દરમિયાન ધોરણ – 12 સાયન્સ પછી ઈજેનરી કોર્સમાં પ્રવેશ માટે આજથી નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ નોંધણી 16 ઓગષ્ટ સુધી ચાલશે પ્રાપ્ત માહિતી અનુસાર આ વર્ષે પણ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન […]

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝથી WTC-2નો થશે પ્રારંભ

દિલ્હીઃ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પ્રથમ સત્રનું આયોજન સંપન્ન થઈ ગયું છે. હવે આ ટૂર્નામેન્ટના બીજા સત્રનો પ્રારંભ થશે. ન્યૂઝીલેન્ડના રૂપમાં દુનિયાને પ્રથમ ટેસ્ટ ચેમ્પિન મળી છે. હવે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓગસ્ટમાં શરૂ થનારી ટેસ્ટ સીરિઝથી બીજા વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપનો આરંભ થશે. ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે પાંચ ટેસ્ટની સીરિઝ રમાશે. બીજી WTCમાં ઈંગ્લેન્ડમાં સૌથી […]

ભરૂચ શહેરમાં સીટી બસ સેવાનો પ્રારંભ, માર્ગો ઉપર દોડશે CNG બસો

અમદાવાદઃ વિશ્વ પર્યાવરણ દિવસે ભરૂચ શહેરના નાગરિકોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૧૨ સિટી બસની ભેટ આપી હતી. મુખ્યમંત્રી એ ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત ‘મુખ્યમંત્રી શહેરી બસ સેવા અન્વયે ભરૂચ નગર પાલિકા દ્વારા શરૂ કરાયેલી સિટી બસ સેવાનું આજે ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભરૂચના લોકોની સુવિધા માટે તેમજ પર્યાવરણને ધ્યાનમાં રાખીને […]

7મી જુનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે પણ હજુ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો મળ્યા નથી

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા આગામી તા. 7મી જુનથી નવુ શૈક્ષણિક સત્ર ઓનલાઈન શરૂ થશે. ઓનલાઈન અભ્યાસ માટે પ્રાથમિક જરૂરીયાત પુસ્તકોની હોય છે. આવામાં 7 જુનથી શરુ થતા નવા શૈક્ષણિક સત્રમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કુલ બોર્ડની શાળાઓમાં હજુ સુધી ધોરણ 1 થી 8 ના એકપણ પુસ્તકો પહોંચાડી શકાયા નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સ્કુલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code