1. Home
  2. Tag "Supreme Court"

સુપ્રીમ કોર્ટે MSP સંબંધિત અરજી પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો

નવી દિલ્હી, 14 એપ્રિલ 2026: સુપ્રીમ કોર્ટે કૃષિ પેદાશો માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ના નિર્ધારણ સંબંધિત અરજી પર કેન્દ્ર સરકાર અને અન્ય અધિકારીઓ પાસેથી જવાબ માંગ્યો છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બનેલી બેન્ચે કેન્દ્ર સરકાર, વિદેશ વેપાર મહાનિર્દેશાલય અને કૃષિ ખર્ચ અને કિંમતો કમિશનને નોટિસ જારી કરી છે. અરજીમાં MSP નક્કી […]

લાલુને સુપ્રીમમાંથી ના મળી રહાત, જમીનના બદલે નોકરી કૌભાંડમાં FIR રદ કરવાની અરજી ફગાવાઈ

નવી દિલ્હી, 13 એપ્રિલ 2026: રેલવેમાં ‘જમીનના બદલે નોકરી’ કૌભાંડ મામલે રાષ્ટ્રીય જનતા દળ(RJD)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે. સર્વોચ્ચ અદાલતે લાલુ યાદવ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ અને તપાસની કાર્યવાહી પર રોક લગાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. સોમવારે (13 એપ્રિલ, 2026) સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે, સીબીઆઈ તપાસ […]

સુપ્રીમ કોર્ટે જાતિગત વસ્તી ગણતરી પર રોક લગાવવાની માંગ કરતી અરજી ફગાવી દીધી

નવી દિલ્હી, 10 એપ્રિલ 2026: સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને જાતિગત વસ્તી ગણતરી પર રોક લગાવવાનો નિર્દેશ આપવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોય માલ્યા બાગચી અને ન્યાયાધીશ વિપુલ એમ. પંચોલીની બનેલી બેન્ચે આ અરજીને ફગાવી દીધી હતી, જેમાં એક બાળક ધરાવતા પરિવારોને નાણાકીય પ્રોત્સાહનો આપતી નીતિઓ ઘડવા માટે કેન્દ્ર […]

દેશમાં સતત વધી રહેલા બાળ તસ્કરીના કિસ્સાઓ પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હી, 9 એપ્રિલ 2026: દેશમાં સતત વધી રહેલા બાળ તસ્કરીના કિસ્સાઓ પર સુપ્રીમ કોર્ટે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની ખંડપીઠે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો આ બાબતે સક્રિય નહીં થાય, તો આ ગંભીર સમસ્યા હાથમાંથી નીકળી જશે. કોર્ટે અવલોકન કર્યું […]

ધર્મની વ્યાખ્યા કરવાનું કામ ન્યાયતંત્રનું નથીઃ સબરીમાલા મુદ્દે કેન્દ્ર સરકારે લેખિત જવાબ દાખલ કર્યો

સબરીમાલા કેસમાં કેન્દ્ર સરકારનું વલણ: 2018 ના ચુકાદા સામે પુનઃતપાસ અરજીનું સમર્થન, કહ્યું- ‘આ આસ્થાનો વિષય છે, લિંગ સમાનતાનો નહીં’ નવી દિલ્હી, 7 એપ્રિલ, 2026: સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓના પ્રવેશનો આદેશ આપતા 2018ના સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે દાખલ કરવામાં આવેલી પુનઃતપાસ અરજીઓ પર કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. આજથી શરૂ થનારી સુનાવણી […]

ભારતમાં ધર્મ હજુ પણ સામ્રાજ્યવાદી માનસિકતામાંથી મુક્ત થયો નથી: જૈનાચાર્ય યુગભૂષણસૂરીજી

દેશમાં હિન્દુ ધર્મસ્થાનો સરકારી નિયંત્રણમાંથી કેમ મુક્ત થઈ નથી શકતાં એ વિશે અનેક વખત અનેક સ્તરે ચર્ચા થતી રહી છે. રાજકીય ઈચ્છાશક્તિના અભાવે અને ક્યારેક અદાલતી ચુકાદાને કારણે મંદિરો અને ધાર્મિક પરંપરાઓ ઉપર કુઠારાઘાત થાય છે. કેરળમાં સબરીમાલા મંદિર, તમિલનાડુની થિરુપરમકુંદરમ પહાડી ઉપર વર્ષમાં એક વખત દીપમ પ્રાગટ્યની પરંપરા, તમિળનાડમાં જલિકટ્ટુ, મહારાષ્ટ્રમાં દહીં હાંડી, ગુજરાતમાં […]

મમતા સરકાર ઉપર સુપ્રીમ કોર્ટ સખત નારાજ, કેન્દ્રીય સુરક્ષા દળો તહેનાત કરવા આદેશ

નવી દિલ્હી, 2 એપ્રિલ, 2026:  Supreme Court પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં બુધવારે 7 ન્યાયિક અધિકારીઓને ઘેરીને બંધક બનાવવાની ઘટના પર સુપ્રીમ કોર્ટે અત્યંત ગંભીર વલણ અપનાવ્યું છે. આ અધિકારીઓમાં 3 મહિલા અધિકારીઓ પણ સામેલ હતી. સુપ્રીમ કોર્ટે ગુરુવારે સુનાવણી દરમિયાન મમતા બેનર્જી સરકારની સુરક્ષા વ્યવસ્થા સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત મિશ્રાએ […]

જમીન વિવાદોના નિકાલ માટે રેવન્યુ જ્યુડિશિયલ સર્વિસની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી

નવી દિલ્હી, 31 માર્ચ 2026: ભારતમાં જમીન સંબંધિત વિવાદોના ઝડપી અને સચોટ નિકાલ માટે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે, જમીનના કેસો ચલાવવા માટે ખાસ ‘રેવન્યુ જ્યુડિશિયલ સર્વિસ’ની સ્થાપના કરવામાં આવે. એક વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં દલીલ કરવામાં આવી છે કે, દેશના […]

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: લાંબા સમય સુધી કામ કરનાર કર્મચારી કાયમી ગણાશે, છૂટા કરી શકાશે નહીં

નવી દિલ્હી, 31 માર્ચ 2026: દેશભરના લાખો કરારબદ્ધ અને અસ્થાયી કર્મચારીઓ માટે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વનો અને રાહતદાયક ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ કર્મચારી પાસેથી લાંબા સમય સુધી કામ લેવામાં આવે છે, તો તે કાર્ય કુદરતી રીતે ‘કાયમી’ ગણાશે. જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ મનમોહનની બેંચે જણાવ્યું હતું […]

બ્રાહ્મણ ફોબિયા વિરુદ્ધની અરજી સ્વીકારવા પણ સુપ્રીમ કોર્ટનો ઈનકાર

નવી દિલ્હી, 21 માર્ચ, 2026: – Brahmophobia સુપ્રીમ કોર્ટે બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ નફરતભર્યાં ઉચ્ચારણ (Hate Speech), જેને અરજીમાં ‘બ્રાહ્મણ ફોબિયા’ તરીકે ઓળખાવવામાં આવ્યું હતું, તેને જ્ઞાતિ આધારિત ભેદભાવના ગુના તરીકે માન્યતા આપવાની માંગ કરતી અરજી સ્વીકારવાનો પણ 20 માર્ચે ઈનકાર કરી દીધો હતો. અહીં નોંધપાત્ર છે કે, થોડાં વર્ષ પહેલાં કાશ્મીરી પંડિતોએ 1990ના દાયકાના તેમની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code