1. Home
  2. Tag "Taja Samachar"

અફઘાનિસ્તાનથી 13 વર્ષનો કિશોર વિમાનના ટાયર પાસે છુપાઈ ભારત પહોંચ્યો !

નવી દિલ્હીઃ એક ચોંકાવનારી અને જોખમી ઘટના સામે આવી છે. અફઘાનિસ્તાનનો 13 વર્ષનો એક છોકરો વિમાનના પાછળના ટાયર પાસે છુપાઈને કાબુલથી ભારત સુધી આવી પહોંચતા તંત્ર દોડતું થઈ ગયું છે. જાનને જોખમ હોવા છતાં તે 94 મિનિટની ફ્લાઈટ દરમિયાન જીવિત રહી દિલ્લીના ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથકે સુરક્ષિત ઉતર્યો હતો. જમીન પર પહોંચતાં જ અધિકારીઓ આશ્ચર્યમાં […]

ગાઝા: ત્રણ પેલેસ્ટીની નાગરિકોની ઇઝરાઇલની મદદ કરવાના આરોપ સાથે હમાસે કરી હત્યા

ગાઝા પટ્ટી અને વેસ્ટ બેંકમાં ઇઝરાઇલના ચાલુ હુમલાઓ વચ્ચે કટ્ટરપંથી સંગઠન હમાસનો એક વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડિઓમાં જોવા મળે છે કે, હમાસના લડવૈયાઓએ ત્રણ પેલેસ્ટીની નાગરિકોને રસ્તા પર ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. મૃતકો પર ઇઝરાઇલને મદદ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. હમાસ સંકળાયેલા ટેલિગ્રામ ચેનલ પર મુકાયેલા વિડિઓમાં ત્રણ […]

રાષ્ટ્રપતિ મુર્મુ અને પ્રધાનમંત્રીએ રોશ હશનાહ નિમિત્તે ઇઝરાયલને શુભકામનાઓ પાઠવી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યહૂદી નવા વર્ષ, રોશ હશનાહ નિમિત્તે ઇઝરાયલના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિત વિશ્વભરના યહૂદી સમુદાયને શુભકામનાઓ પાઠવી હતી. બંને નેતાઓએ શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની કામના કરી છે. રાષ્ટ્રપતિ મુર્મુએ મંગળવારે ઇઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગને સંબોધીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “ભારત સરકાર અને લોકો વતી, હું […]

અલીગઢમાં કાર-ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત : આગમાં 4 વ્યક્તિ ભડથું

લખનૌઃ ઉત્તર પ્રદેશના અલીગઢમાં મંગળવારની વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે-34 પર ગોપી પુલ નજીક પૂરઝડપથી દોડતી કાર અને ટેન્કર વચ્ચે જોરદાર અથડામણ થતાં કારમાં ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચમાંથી ચાર લોકોનાં ભુંજાયા હતા. જેમાં એક મહિલા અને એક બાળકનો પણ સમાવેશ થાય છે. ગંભીર રીતે દાઝેલી […]

કોલકાતામાં રાતભરના ભારે વરસાદથી જનજીવન ઠપ : 7ના મોત, રેલ-મેટ્રો-હવાઈ સેવાઓ ખોરવાઈ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં રાતભર પડેલા મૂશળધાર વરસાદે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં અને વીજ કરંટ લાગવાને કારણે અત્યાર સુધીમાં 7 લોકોનાં મોત થયા છે. 6 કલાકમાં 250 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું છે. રાતભરના વરસાદના પ્રભાવથી રેલ, […]

એશિયા કપમાં આજે શ્રીલંકા અને પાકિસ્તાનની ટીમ વચ્ચે રમાશે રોમાંચક મેચ

એશિયા કપના સુપર 4 રાઉન્ડમાં પાકિસ્તાન અને શ્રીલંકા પોતાનું ખાતું ખોલવા માટે આજે મંગળવારે સામ-સામે ટકરાશે. આ મેચ અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં રમાશે. અગાઉ, પાકિસ્તાની ટીમને સુપર 4ની તેની પહેલી મેચમાં ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે શ્રીલંકાએ હજી સુધી આ રાઉન્ડમાં એક પણ મેચ રમી નથી. પાકિસ્તાનને ફરહાન અને ફખર ઝમાન […]

‘ફેરપ્લે’ ઓનલાઈન સટ્ટાબાજી કેસમાં ઈડી દ્વારા રૂ. 307.16 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મુંબઈ ઝોનલ ઓફિસે 19 સપ્ટેમ્બરના રોજ એક મોટા મની લોન્ડરિંગ કેસમાં ફેરપ્લે સાથે જોડાયેલી 307.16 કરોડ (આશરે 3.07 બિલિયન)ની સંપત્તિને કામચલાઉ રીતે જપ્ત કરી હતી. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ કરવામાં આવી હતી. જપ્ત કરાયેલી સંપત્તિઓમાં બેંક ખાતાઓમાં રાખેલી જંગમ સંપત્તિ અને દુબઈ (UAE)માં સ્થિત […]

ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ગુજરાતે રોડ મેપ અને ગુજરાત વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કર્યો

ગાંધીનગરઃ કેન્દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી રાજીવરંજન સિંહની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી એસ.પી. સિંઘ બઘેલની પ્રેરક ઉપસ્થિતિમાં આજે દેશના વિવિધ રાજ્યોના પશુપાલન મંત્રીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી પરામર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાતના પશુપાલન મંત્રી રાઘવજી પટેલ, પશુપાલન વિભાગના સચિવ સંદીપકુમાર અને પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. ભારતને […]

ઈન્દોરમાં કોમર્શિયલ ઈમારત ધરાશાયી થઈ, 14 વ્યક્તિ થયા ઘાયલ

ભોપાલઃ ઇન્દોરના વ્યસ્ત વિજય નગર વિસ્તારમાં એક મોટી કોમર્શિયલ ઇમારત અચાનક ધરાશાયી થતાં 14 લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પોલીસ કમિશનર સંતોષ કુમારે જણાવ્યું હતું કે, “અકસ્માત સમયે ઇમારતની અંદર 10 લોકો ફસાયેલા હતા, અને તેમને સફળતાપૂર્વક બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.” તેમણે […]

નાગાલૅન્ડની રાષ્ટ્રીય સમાજવાદી પરિષદ—ખાપલાન્ગ સંગઠન સામે કરાઈ આકરી કાર્યવાહી

નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે નાગાલૅન્ડની રાષ્ટ્રીય સમાજવાદી પરિષદ—ખાપલાન્ગ સંગઠનને પાંચ વર્ષ માટે ગેરકાયદેસર જાહેર કરી. ગૃહ મંત્રાલયે આજે તેના તમામ જૂથ, શાખાઓ અને અગ્રીમ સંગઠનોને આ મહિનાની 28 તારીખથી પાંચ વર્ષના સમયગાળા માટે ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું છે. મંત્રાલયે એક જાહેરનામામાં જણાવ્યું, આ સંગઠન દેશના સાર્વભૌમત્વ અને અખંડિતતાને નુકસાન પહોંચાડનારી તેમજ ગુનાખોરી પ્રવૃત્તિઓમાં સામેલ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code