1. Home
  2. Tag "Taja Samachar"

અસરગ્રસ્ત ખેડૂતો કાલે 14મી નવેમ્બરથી 15 દિવસ સુધી સહાય માટે ઓનલાઈન અરજી કરી શકશે

251તાલુકાના 16500થી વધુ ગામોનો નુકસાની સર્વે કરાયો છે, ગામોનું ઓનલાઈન અરજીના પોર્ટલ સાથે મેપીંગ કરાશે, મળવાપાત્ર સહાયPFMS/RTGS મારફત DBT પદ્ધતિથી લાભાર્થી ખેડૂતના બેન્ક ખાતામાં સીધી જમા કરાવવામાં આવશે, https://krp.gujarat.gov.in પોર્ટલ પર ખેડૂતોને અરજી કરવા માટે VCE/VLE મદદરૂપ થશે  ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદને પરીણામે ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે સંપૂર્ણ સંવેદનાથી પડખે ઊભા રહીને ઐતિહાસિક રાહત […]

અમદાવાદના નવરંગપુરામાં બંગલામાં 14 લાખની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, બેની ધરપકડ

પોલીસે ચોરને પકડવા માટે 300 સીસીટીવી કૂટેજ તપાસ્યા, બંગલામાં લગાવેલા સીસીટીવી કૂટેજમાં ચોર દેખાયા જ નહી, તસ્કરોને વસ્ત્રાપુરમાં પણ ચોરી કરી હતી અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં કમલા સોસાયટીના બંગલામાં થયેલી 14 લાખની ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. ચોરીના આ ગુનામાં 3 આરોપીઓની સંડોવણી સામે આવી છે. જેમાં એક આરોપી સગીર હોવાનું સામે આવ્યું છે. […]

ગુજરાતમાં બે ઋતુ, સવારે ઠંડી અને બપોરે ગરમી, શરદી-ઉધરસ અને તાવના કેસમાં વધારો

આવતા સપ્તાહથી ઠંડીમાં વધારો થવાની શક્યતા, બેઋતુને લીધે વાયરલના કેસમાં થયો વધારો, સવાર અને બપોરના તાપમાન વચ્ચે 17થી 18 ડિગ્રીનો તફાવત અમદાવાદઃ રાજ્યમાં હાલ લોકોને બેઋતુનો અનુભવ થઈ રહ્યો છે. મોડી રાતથી સવાર સુધી ઠંડી અને બપોરે ગરમી એમ લોકો બે ઋતુનો અનુભવ કરી રહ્યા છે. બે ઋતુને કારણે વાયરલ બિમારીમાં વધારો થઈ રહ્યો છે. […]

અમરાઈવાડીમાં જર્જરીત ઈમારતની ગેલરી ધરાશાયી થઈ, 3 વ્યક્તિ ઘાયલ

પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી 40 વ્યક્તિઓના રેસક્યુ માટે કવાયત હાથ ધરાઈ અમદાવાદ: શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સંત વિનોબાનગર-સુખરામનગર ખાતે બ્લોક નંબર 17ની ગેલરી તુટી પડી હોવાનું જાણવા મળે છે. આ ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળે છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બ્લોક નંબર 17 ના […]

ગુજરાતમાં મતદાર યાદી સુધારણાને લીધે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પાછી ઠેલાવાની શક્યતા

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નવી યાદી જાહેર કરાશે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એપ્રિલ-મે સુધી પાછી ઠેલાવવાની શક્યતા, મુદત પૂર્ણ થતાં કેટલીક નગરપાલિકામાં વહિવદાર નિમાવવાની વકી અમદાવાદઃ રાજ્યમા અમદાવાદ સહિત મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયતો સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મતદાર સુધારણાની કામગીરીને લીધે પાછી ઠેલાય તેવી શક્યતા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હવે એપ્રિલ-મે મહિના […]

અમરેલી સેશન્સ કોર્ટે ગૌવંશની કતલ કરનારા ત્રણ શખસોને આજીવન સજા ફટકારી

કોર્ટે આરોપીઓને સજા ઉપરાંત રૂપિયા 18 લાખનો દંડ ફટકાર્યો, આરોપીઓ રહેણાકના મકાનમાં ગૌવંશની કતલ કરતા હતા, ગૌવંશ કતલ કરનારા તત્ત્વો માટે લાલબત્તી સમાન ચુકાદો અમરેલીઃ ગૌવંશની કતલના કેસમાં અમરેલીની સેશન્સ કોર્ટે એક ઐતિહાસિક અને દાખલારૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે ગાયોની કતલ કરનારા ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા અને 18 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ […]

વડોદરા નિવૃત બેન્ક કર્મચારીને રોકાણમાં આકર્ષક વળતરની લાલચ આપી 30 લાખની ઠગાઈ

ઠગ ટોળકીએ વિશ્વાસમાં લેવા માટે સેબીનું સર્ટિફિકેટ પણ મોકલ્યું હતું, પાંચ લાખ સુધીના ઇન્વેસ્ટમેન્ટ પર રોજ 10 થી 15 ટકા સુધી રિટર્ન લાલચ આપી હતી, બ્લોક ટ્રેડિંગ અને ક્વાર્ટર પ્રોફિટની લાલચમાં નિવૃત કર્મચારી ફસાયા વડોદરાઃ સાયબર માફિયાઓ ઓનલાઈન અવનવી લાલચ આપીને લોકોને ફસાવતા હોય છે. ત્યારે વડોદરાના એક નિવૃત બેન્ક કર્મચારી માફિયાને જાળમાં ફસાતા રૂપિયા […]

કચ્છના નાના રણમાં માવઠાને લીધે મીઠાના ઉત્પાદનમાં 25 ટકાનો ઘટાડો થશે

સુરેન્દ્રનગરના રણ વિસ્તારમાં 25 લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થાય છે, મીઠું પકવવાની સીઝન શરૂ થતાં જ માવઠુ પડ્યુ, કચ્છના નાના રણમાં હજુ પણ પાણી ભરાયેલા છે, સુરેન્દ્રનગરઃ જિલ્લાનો રણ વિસ્તાર કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે. રણ વિસ્તારમાં અગરિયાઓ કાળી મજુરી કરીને મીઠુ પકવે છે. દિવાળી બાદ મીઠાની સીઝન શરૂ થતાં અગરિયાઓ પરિવાર સાથે […]

બારાબંકીમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ બાદ વિસ્ફોટ, બે લોકોના મોત અનેક લોકો ઘાયલ

બારાબંકી: અયોધ્યા સરહદ પર આવેલા ટીકાનગરના સરૈન બારાઈ ગામની બહાર એક ફટાકડાની ફેક્ટરીમાં એક જોરદાર વિસ્ફોટ થયો. સતત વિસ્ફોટોને કારણે, લાંબા સમય સુધી કોઈએ નજીક જવાની હિંમત કરી નહીં. અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. ટિકૈતનગરના સરૈન બારાઈનો રહેવાસી લાઇસન્સ વાળા ફટાકડા ઉત્પાદક હોવાનું કહેવાય છે, ફેક્ટરી […]

બગોદરા-બાવળા હાઈવે પર ભાયલા ગામ પાસે ઈકોકાર પલટી ખાતા એકનું મોત, 4ને ઈજા

ઈકોકારમાં સુરેન્દ્રનગરનો પરિવાર લોકિકકાર્ય માટે દહેગામ જઈ રહ્યો હતો, અકસ્માતમાં ઈજાગ્રસ્ત 4 વ્યક્તિઓને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસોડાયા, પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. બગોદરા-બાવળા હાઈવે પર ભાયલા પાસે મોગલ ધામ નજીક વહેલી સવારે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code