1. Home
  2. Tag "Tourists"

ગિરિમથક સાપુતારાના ‘મેઘ મલ્હાર પર્વ’ માં 30 દેશના પ્રવાસીઓ ઉમટ્યાં

અમદાવાદઃ ગુજરાતના ગિરીમથક સાપુતારામાં હાલ ‘મેઘ મલ્હાર પર્વ‘ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વમાં દેશ-વિદેશના પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે. આ પર્વમાં 30 દેશના 64 પર્યટકોએ ભાગ લીધો છે. ચોમાસાની મદમસ્ત આહલાદક મોસમમાં ઝરમર ઝરમર વરસતા વરસાદી માહોલનો લુફત ઉઠાવતા વિદેશી પર્યટકો સંગીતના દેશી તાલે ઝૂમી ઉઠ્યા હતા. TCGL ના ‘મોન્સૂન ફેસ્ટિવલ‘ ના આયોજનને બિરદાવતા […]

મહીસાગરના અલદરી માતા ધોધ પર પ્રવાસીઓ માટે પ્રતિબંધ, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદઃ મહીસાગર જિલ્લો પોતાના કુદરતી સૌંદર્યના કારણે રાજ્યમાં આગવી ઓળખ ધરાવે છે. મહીસાગર જિલ્લામાં ગત સપ્તાહમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે અનેક નદી નાળાઓ વહેવા લાગ્યા છે. જેમાં ઘોધ અને ઝરણાં પણ સક્રીય થયાં છે. ત્યારે ખાનપુર તાલુકાના બકોર- પાંડરવાળા પાસે આવેલ વાવકુવા જંગલ વિસ્તારમાં અલદરી માતાનો ધોધ પણ સક્રિય થયો છે. આ ધોધ […]

ધ્રાંગધ્રા: ઘુડખર અભ્યારણમાં દુલર્ભ પક્ષી-પ્રાણીઓની સંખ્યા વધી, પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો

અમદાવાદઃ ધ્રાંગધ્રા નજીક આવેલા ઘુડખર અભ્યારણમાં છેલ્લા કેટલાક વર્ષોથી દુલર્ભ પક્ષીઓ અને પ્રાણીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, બીજી તરફ પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી-બજાણા તેમજ ધ્રાંગધ્રા વિસ્તારને અડીને આવેલ ઘુડખર અભ્યારણમાં સમગ્ર એશિયામાં માત્ર અહીં જોવા મળતી દુર્લભ પક્ષી તેમજ પ્રાણીઓની પ્રજાતિમાં ઘુડખર મુખ્ય આકર્ષણ છે. આ વર્ષે અભયારણ્ય અધિકારીઓના […]

ગુજરાતમાં પ્રવાસીઓના રિયલ ટાઈમ ડેટા માટે ‘આતિથ્યમ’ ડેશબોર્ડનું લોન્ચિંગ કરાયું

અમદાવાદઃ પ્રવાસન ક્ષેત્રના વિકાસ થકી વધુ રોજગારી ઉપલબ્ધ કરાવવા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના રિયલ ટાઈમ ડેટા માટે ‘આતિથ્યમ’ ડેશબોર્ડનું લોન્ચિંગ કરનાર ગુજરાત એ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે તેમ, ગાંધીનગરથી ‘આતિથ્યમ’ ડેશબોર્ડનું લોન્ચિંગ કરતા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું. મંત્રી કહ્યું હતું કે, પ્રવાસનના ક્ષેત્રમાં ગુજરાતે ખૂબ ઊંચી ઉડાન ભરી છે, આજથી  20 વર્ષ […]

અમદાવાદ- ભૂજની ફ્લાઈટના પ્રવાસીઓને 6 કલાક બેસાડી રાખયા બાદ કહ્યું કે, ફ્લાઈટ રદ કરી છે

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ડોમેસ્ટીક એરપોર્ટ પરથી સ્ટાર એરની ફલાઇટમાં ભુજ જતા 50 પેસેન્જરોએ એરપોર્ટ પર છ કલાક રાહ જોયા બાદ ફલાઇટ રદ કરાતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બેલગામથી અમદાવાદ આવતી ફલાઇટમાં ટેકઓફ પહેલા કેપ્ટનને એન્જિનમાં યાંત્રિક ખામી હોવાનું જણાયું હતું. આમ ફલાઇટને ટેકનિશિયનો દ્વારા ચેક કરવામાં આવતા પહેલા થોડીવારમાં રિપેર થઇ ગયા […]

શ્રીલંકાની એક જ મહિનામાં એક લાખથી વધારે પ્રવાસીઓની લીધી મુલાકાત

બેંગ્લોરઃ ભારતનો પડોશી દેશ શ્રીલંકા આર્થિક સંકટમાંથી ધીમે-ધીમે બહાર આવી રહ્યું છે. શ્રીલંકાની મોટાભાગની આવક પ્રવાસન ક્ષેત્રમાંથી થાય છે. દર વર્ષે શ્રીલંકામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પરંતુ કોરનાને પગલે કેટલાક પ્રતિબંધોને પગલે શ્રીલંકામાં પ્રવાસીઓની સંખ્યા ઘટી હતી. જેથી શ્રીલંકામાં આર્થિક સમસ્યા ઉભી થઈ હતી. આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા શ્રીલંકાને ભારતે પણ આર્થિક મદદ પુડી પાડી […]

ગુજરાતઃ 3 વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં ડબલ થઈ, 2022માં 12 કરોડ ટુરીસ્ટોએ લીધી મુલાકાત

અમદાવાદઃ ગુજરાતમાં ધાર્મિક સ્થળોની સાથે જ પ્રવાસન સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ, કચ્છનું સફેદ રણ, અંબાજી, ગીર અભ્યારણ, બનાસકાંઠાના રીંછ અભ્યારણ તથા મોઢેરા સૂર્યમંદિર સહિતના સ્થળો ઉપર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યાં છે. પ્રવાસન સ્થળોના વિકાસને પગલે પ્રવાસીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2019માં છ કરોડ પ્રવાસીઓ […]

ગુજરાતઃ 5 વર્ષમાં પ્રવાસન સ્થળોની મુલાકાતે આવેલા પ્રવાસીઓની સંખ્યામાં 168 ટકાનો વધારો

અમદાવાદઃ કેન્દ્રીય પ્રવાસન અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી જી.કિશન રેડ્ડી ગુજરાત મુલાકાતે છે ત્યારે અમદાવાદમાં કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ ગુજરાતમાં પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના કાર્યરત પ્રોજેક્ટ્સની વિગતો મેળવી હતી અને આગામી સમયમાં ભારત સરકાર તરફથી પૂરતો સહયોગ આપવામાં આવશે, તેવી ખાતરી આપી […]

સ્પેન, દક્ષિણ કોરિયા અને ઈઝરાયેલે ચીનના પ્રવાસીઓના કોવિડ-19 પરિક્ષણ પર ભાર મુક્યો

નવી દિલ્હીઃ WHOના વડાએ ચીનના કોવિડ-19 ના વ્યાપક ફેલાવના જવાબમાં પ્રતિબંધો દાખલ કરનારા દેશોના નિર્ણયને ‘સમજી શકાય તેવું’ ગણાવ્યું છે. બેઇજિંગ તરફથી માહિતીના અભાવને ધ્યાનમાં રાખીને, WHOના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે પણ ચીનને દેશમાં રોગચાળાની સ્થિતિ પર સ્પષ્ટ પ્રકાશ પાડવા વિનંતી કરી છે. બેઇજિંગ દ્વારા તેની શૂન્ય-કોવિડ નીતિના નિર્ણય પછી ફ્રાન્સ, સ્પેન, દક્ષિણ કોરિયા અને […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર પ્રવાસીઓ માટેની સુવિધામાં વધારો કરાશે

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રવાસીઓમાં રેકર્ડબ્રેક વધારો નોંધાયો છે. દરમિયાન પ્રવાસીઓની સુવિધા વધારવા માટે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને એરપોર્ટ પર મહિનાઓથી કામ ચાલી રહ્યું છે. વર્ષ 2023માં મુસાફરોને એરપોર્ટમાં બંને ટર્મિનલ મોટા, નવા પાર્કિંગ, મુસાફરો લેવા મુકવા માટેનો નવો રસ્તો અને મુસાફરોના આગમન તથા પ્રસ્થાન માટેના નવા દ્વાર જોવા મળશે. સૂત્રોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code