1. Home
  2. Tag "un"

વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર જનરલ એસેમ્બલીના 78મા સત્રના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસ સાથે કરી મુલાકાત

દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે  યુએન જનરલ એસેમ્બલીના 78મા સત્રના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી હતી. પ્રધાને ગયા અઠવાડિયે શુક્રવારે યુ.એસ.ની નવ-દિવસીય મુલાકાત શરૂ કરી હતી, મુખ્યત્વે ન્યુયોર્કમાં યુએન જનરલ એસેમ્બલી ના વાર્ષિક સત્રમાં હાજરી આપવા અને ગ્લોબલ સાઉથ પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવા માટે કરવામાં આવી છે. જયશંકરે ગયા અઠવાડિયે શુક્રવારે […]

ગેરકાયદે રીતે કબજો કરેલો ભારતીય વિસ્તાર પાકિસ્તાન ખાલી કરે, UNમાં ફરી એકવાર ભારતે પાક.ને આડેહાથ લીધું

નવી દિલ્હીઃ પાકિસ્તાને ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણમાં ફરી એકવાર કાશ્મીરનો રાગ આલોપ્યો હતો. પાકિસ્તાનના નિવેદનના પગલે ભારતે પણ આકરા પ્રહાર કરીને પડોશી પાકિસ્તાનને ત્રણ મુદ્દા સુધારવા સલાહ આવી હતી. ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય મિશનના પ્રથમ સેક્રેટરી અને યુવા રાજદ્વારી ગહલોતે કહ્યું કે, દક્ષિણ એશિયામાં શાંતિ કાયમ કરવા માટે પાકિસ્તાને 3 પગલા […]

UN:સુરક્ષા પરિષદમાં સુધારાની માંગ ઉગ્ર બની,ભારત સહિત આ દેશોની મહત્વની બેઠક યોજાઈ

દિલ્હી: લાંબા સમયથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાની માંગ કરવામાં આવી રહી છે. હવે આ અંગે રણનીતિ બનાવવાનું પણ શરૂ થઈ ગયું છે.  21 સપ્ટેમ્બરે ભારત, બ્રાઝિલ, જર્મની અને જાપાનના વિદેશ મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એ વાત પર સહમતિ સધાઈ હતી કે યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં વ્યાપક સુધારાની જરૂર છે જેથી કરીને તે સમકાલીન […]

યુએનમાં ભારતના રાજદૂત રૂચિરા કંબોજને સામાજિક વિકાસ આયોગના અધ્યક્ષ બનાવાયા

દિલ્હીઃ- સંયુક્ત રાષ્ટ્ર(યુએન)માં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે સામાજિક વિકાસ આયોગના 62માં સત્રના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. સામાજિક વિકાસ આયોગના 62માં સત્રની અધ્યક્ષતા સંભાળ્યા પછી, કંબોજે બે દિવસ અગાઉ એક ટ્વીટ કર્યું હતું  જેમાં કહ્યું, “ભારતને તેના અધ્યક્ષ બનવા પર અને વૈશ્વિક સમુદાયના કલ્યાણ અને સમૃદ્ધિ માટે તેના મૂળ સિદ્ધાંતો સાથે નેતૃત્વ કરવા […]

15 વર્ષમાં 41 કરોડ… ગરીબી રેખાને લઈને UNએ ભારતની કરી પ્રશંસા

દિલ્હી :  ભારતમાં 2005-06 થી 2019-2021 દરમિયાન માત્ર 15 વર્ષમાં 41.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. મંગળવારે સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) અને ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ (ઓપીએચઆઇ) દ્વારા બહાર પાડવામાં આવેલ ગ્લોબલ મલ્ટીડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ (એમપીઆઇ) ના નવીનતમ ડેટા […]

બાળકો ઉપર સશ્સત્ર સંઘર્ષની અસર પરના સંયુક્ત રાષ્ટ્રના અહેવાલમાં ભારતને રાહત

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ‘બાળકો પર સશસ્ત્ર સંઘર્ષની અસર’ રિપોર્ટમાંથી ભારતનું નામ હટાવી દીધું છે. એન્ટોનિયો ગુટેરેસનું કહેવું છે કે, ભારતે આ દિશામાં ઘણા પગલાં લીધા છે, જેના પછી ત્યાંની સ્થિતિમાં સુધારો થયો છે. ગયા વર્ષે એન્ટોનિયો ગુટેરેસે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે ભારત સરકાર અને તેમના વિશેષ પ્રતિનિધિ વચ્ચે વાતચીત ચાલી […]

UNમાં 21 જૂને PM મોદીની હાજરીમાં 180 દેશોના પ્રતિનિધિઓ યોગ કરશે

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂનના રોજ નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર અહીં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં પ્રથમ વખત યોગ સત્રનું નેતૃત્વ કરશે. સૂત્રોએ શનિવારે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 21 જૂને અહીં યોજાનારી યોગ દિવસની ઉજવણીમાં 180થી વધુ દેશોના લોકો ભાગ લેશે. જેમાં ઘણા રાજદ્વારીઓ, કલાકારો, શિક્ષણવિદો અને ઉદ્યોગસાહસિકો સામેલ થશે. 2014માં વડાપ્રધાન […]

પીએમ મોદી સાથે યુએનમાં યોગ દિવસ સમારોહમાં ભાગ લેશે યુએનજીએના પ્રમુખ,ટ્વિટ કરીને આપી માહિતી  

દિલ્હી : અમેરિકાની યાત્રા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂને સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 77મા સત્રના પ્રમુખ સબા કોરોસી પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. કોરોનાએ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી. તેમણે લખ્યું, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયના ઉત્તર લૉન પર આગામી સપ્તાહે […]

યુએનમાં શહીદ શાંતિ સૈનિકો માટે નવી સ્મારક દિવાલ બનાવવાની મંજૂરી,પીએમ મોદીએ કહ્યું-તમારા બધાનો આભારી છું

 યુએનમાં શહીદ શાંતિ સૈનિકો માટે નવી સ્મારક દિવાલ બનાવવાની મંજૂરી પીએમ મોદીએ કહ્યું- હું તમારા બધાનો આભારી છું દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએનજીએમાં શહીદ શાંતિ સૈનિકો માટે નવી સ્મારક દિવાલ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવા પર ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ ગુરુવારે કહ્યું કે શહીદ શાંતિ રક્ષકો માટે નવી સ્મારક દિવાલ બનાવવાના ભારતના પ્રસ્તાવને […]

આતંકવાદ મામલે ચીન ફરી ખુલ્લુ પડ્યું , UNમાં આતંકવાદી રઉફને બ્લેકલિસ્ટ કરવાના ભારતના પ્રસ્તાવનો કર્યો વિરોધ

આતંકવાદ મામલે ચીન ખુલ્લુ પડ્યું UNમાં આતંકવાદી રઉફને બ્લેકલિસ્ટ કરવા મામલે ભારતના પ્રસ્તાવનો ચીનનો વિરોધ દિલ્હીઃ-  ચીન ભલે આતંકવાદનો વિરોધ કરતો હોય જો કે ચીન પાકરિસ્તાનની જેમ આતંકવાદને ક્યાંકને ક્યાંક પ્રોત્સાહ આપતો દેશ છે ત્યારે ફરી આ વાત સાબિત થઈ છે,આતંકવાદને લઈને ચીન ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ બેનકાબ થયેલું જોવા મળ્યું છે. ચીને પાકિસ્તાન સ્થિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code