1. Home
  2. Tag "viral news"

ગાંધીનગરની સ્કૂલમાં વિદ્યાર્થિનીને લાફો મારવાના કેસમાં શિક્ષિકાને 3 વર્ષની કેદ

ગાંધીનગર, 2 ફેબ્રુઆરી 2026:  ગાંધીનગરના દેહગામમાં આવેલી એક સ્કૂલની 14 વર્ષની વિદ્યાર્થિનીને હોમવર્ક ન લાવતા શિક્ષિકા પારૂલબેન રજનીકાંત પટેલે લાફો માર્યો હતો, આથી વિદ્યાર્થિનીને ડાબા કાનમાં ગંભીર ઈજા થતાં બહેરાશની તકલીફ થઈ હતી. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી, તેનો કેસ ચાલી જતા આરોપી શિક્ષિકા પારૂલબેન રજનીકાંત પટેલને ફોજદારી […]

રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન પર હાઈકોર્ટે આપ્યો સ્ટે

રાજકોટ, 2 ફેબ્રુઆરી 2026:   શહેરના જંગલેશ્વર વિસ્તારના ડિમોલિશનની નોટિસ મામલે હાઈકોર્ટએ મહત્વનો આદેશ આપ્યો છે. 3 મહિના સુધી જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન નહીં થાય. હાઈકોર્ટે ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલને અપીલ પર નિર્ણય કરવા આદેશ આપ્યો છે. અરજદારોને રિહેબિલિટેશન માટે પણ કન્સીડર કરવા નિર્દેશ આપ્યો છે. અરજદારોએ ડિમ્પલેશનની નોટિસને હાઈકોર્ટ સાથે ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં ચેલેન્જ પણ કરી […]

સેમિકન્ડક્ટરથી સેટેલાઇટ સુધી ગુજરાતના યુવાનો ઇકોસિસ્ટમના બન્યા સર્જકઃ મોઢવાડિયા

ગાંધીનગર, 2 ફેબ્રુઆરી 2026: ઇન્ક્યુબેટર્સથી લઈને સેમિકન્ડક્ટર અને સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ સુધી ગુજરાતના યુવાનો માત્ર આઈડિયા નહીં, પરંતુ આખી ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છે. અગાઉ ઈનોવેશન અને સ્ટાર્ટઅપ માત્ર લેબમાં થતા હતા, જ્યારે અત્યારે રાજ્ય સરકારના પ્રયાસો અને યુવાઓની મહેનતથી ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશમાં પ્રથમ ક્રમે છે. જ્યારે સ્ટાર્ટઅપ્સનું નામ પણ અજાણ્યું હતું, ત્યાંથી લઈને આજે આપણે […]

સુરતમાં નબીરાએ પૂરફાટ ઝડપે કાર દોડાવીને 5 વાહનોને અડફેટે લીધા, ત્રણને ઈજા

સુરત,  2 ફેબ્રુઆરી 2026:  શહેરમાં રાતના સમયે નબીરાઓ પૂરફાટ ઝડપે વાહનો દોડાવીને રેસ લગાવતા હોય છે. આવા નબીરાઓને પોલીસનો પણ ડર લાગતો નથી. અને રોડ પર વાહનો તેજ ગતિથી દોડાવીને ભય ફેલાવતા હોય છે. ત્યારે આવો જ એક વધુ બનાવ બન્યો છે. શહેરના પોશ ગણાતા મગદલ્લા-ડુમસ વિસ્તારમાં આવેલા એરપોર્ટ રોડ પર અવધ ઉથોપિયા નજીક ગત […]

રાજકોટથી નોકરી પૂર્ણ કરીને રાત્રે બાઈક પર ઘેર જતા યુવાનને 4 શખસોએ લૂંટી લીધો

રાજકોટ,  2 ફેબ્રુઆરી 2026:  શહેરમાંથી નોકરી પરથી છૂટીને બાઈક પર પોતાના ઘર તરફ જઈ રહેલા બાઈકસવાર યુવાનને નારણકા ચોકડીથી સોળીયા જતા રોડ પર રોકીને ચાર અજાણ્યા શખસો રોકડ 12,700, મોબાઈલ અને બાઈક મળી કુલ 42,700 ની મત્તાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. આ બનાવની કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. […]

નડિયાદના સંતરામ મંદિરમાં સાકર વર્ષા મહોત્સવમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં

નડિયાદ,  2 ફેબ્રુઆરી 2026:  શહેરના વિશ્વપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે રવિવારે મહાસુદ પૂનમના દિને સાકરવર્ષાનો ભવ્ય મહોત્સવ ઊજવાયો હતો. અવધૂત સંતરામ મહારાજની 195 વર્ષ જૂની પરંપરાને જાળવી રાખીને રવિવારે મંદિર પરિસરમાં હજારો મણ સાકર અને સુકા ટોપરાની વર્ષા કરવામાં આવી હતી. આ દિવ્ય ક્ષણના સાક્ષી બનવા માટે નડિયાદ શહેર સહિત સમગ્ર ગુજરાત અને દેશ-વિદેશમાંથી લાખોની મેદની […]

સાયલા તાલુકાના મોટા કેરાળા ગામે ખનીજ વિભાગના દરોડા, 3 કરોડનો મુદ્દામાલ સીઝ

સુરેન્દ્રનગર,  2 ફેબ્રુઆરી 2026:   સુરેન્દ્રનગર જિલ્લો ખનીજચોરીમાં જાણીતો છે. ત્યારે તંત્રએ પણ ખનીજચોરો સામે લાલા આંખ કરી છે. દરમિયાન સાયલા તાલુકામાં ખનીજ માફિયાઓ પર તંત્રએ સતત ચોથા દિવસે તવાઈ બોલાવી છે. મોટા કેરાળા ગામ પાસે ભોગાવો નદી નજીક આવેલી બ્લેક ટ્રેપ પથ્થરની ખાણ પર ખનીજ વિભાગની ટીમે દરોડો પાડી અંદાજે 3 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો […]

તલાળા યાર્ડ દ્વારા કેસરી કેરી બાદ હવે દાડમ અને નાળિયેરની અમેરિકામાં નિકાસ

ગીર સોમનાથ,  2 ફેબ્રુઆરી 2026:  ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકની કેસર કેરી સ્વાદ રસિયાઓ માટે જાણીતી છે. તલાળા યાર્ડ દ્વારા કેસર કેરીની સફળ નિકાસ કર્યા બાદ હવે દાડમ અને નાળિયેરની પણ અમેરિકામાં નિકાસ શરૂ કરવામાં આવી છે. આ પગલું માત્ર તાલાલા નહીં પરંતુ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના કૃષિ વિકાસ અને નિકાસ ક્ષમતાને નવી ઊંચાઈ પર […]

ગુજરાતમાં સરકારી કર્મચારીઓ સામે હવે સીધી પોલીસ ફરિયાદ કરી શકાશે નહીં

અમદાવાદ,  2 ફેબ્રુઆરી 2026:  ગુજરાત સરકારના કર્મચારી અને અધિકારીઓ સામે હવે સીધી પોલીસ ફરિયાદ કરી શકાશે નહીં. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સરકારી કર્મચારી સામે કોઈ ફરિયાદ નોંધાવે તો પોલીસે તુરંત ગુનો નોંધવાને બદલે પહેલા પ્રાથમિક તપાસ અને ચકાસણી કરવી ફરજિયાત રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ  ગૃહ વિભાગ દ્વારા […]

અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પૂર્ણ, 3 દિવસમાં 4 લાખ ભાવિકોએ લાભ લીધો

અંબાજી,  2 ફેબ્રુઆરી 2026:  સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ત્રિ દિવસીય એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ રવિવારે પૂર્ણ થયો છે. પરિક્રમાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુઓ સાથે ત્રણ દિવસમાં કુલ 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી. બીજી તરફ પૂનમને લઇ મા અંબાજી મંદિર પણ માઇભક્તોથી ઉભરાઇ ગયું હતુ. આદ્ય શક્તિપીઠ અંબાજીના ગબ્બર ખાતે ત્રિદિવસીય એકાવન શક્તિપીઠ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code