ગુજરાતમાં 13 જળાશયો 100 ટકા ભરાયા, સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
રાજ્યના 18 જળાશયો હાઈએલર્ટ પર, નર્મદાની મેન કેનાલમાં 12200 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, 35 જળાશયો 50 ટકાથી 70 ટકા ભરાયા અમદાવાદઃ ગુજરાતમાં અષાઢના આગમન પહેલા જ મેઘરાજાનું વાજતે-ગાજતે આગમન થઈ ગયુ હતું. અને છેલ્લા એક સપ્તાહથી રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. સારા વરસાદને લીધે રાજ્યના 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર વધીને 46.21 ટકા થઈ […]