જુનાગઢના વિલિંગ્ટન ડેમના કાંઠા વિસ્તારમાં વનરાજે નાંખ્યા ધામા, સિંહને જંગલ તરફ ખદેડવાના પ્રયાસો
જુનાગઢઃ ગીરના જંગલમાંથી વનરાજો ઘણીવાર રેવન્યું વિસ્તારોની સહેલગાહે આવી જતાં હોય છે. હાલ ઉનાળાને લીધે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે જંગલના પ્રાણીઓ પાણીના કુદરતી સ્ત્રોત અને કુત્રિમ સ્ત્રોતને શોધતા હોય છે. આ વચ્ચે બપોરના સમયે જૂનાગઢના દાતાર રોડ પર આવેલા વિલિંગ્ડન ડેમ ખાતે એક સિંહ આવી ચડ્યો હતો. અને આ સ્થળ તેને ગમી જતાં […]