1. Home
  2. Tag "win"

સમાજવાદી પાર્ટી યૂપીમાં 60 કે તેથી વધુ બેઠકો પર જીત મેળવશેઃ શિવપાલ યાદવ

લોકસભા ચૂંટણીના બે તબક્કા માટે મતદાન થયું. ત્રીજા તબક્કાની ચૂંટણી માટે તમામ પક્ષો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવે મોટો દાવો કર્યો છે. શિવપાલ યાદવે કહ્યું કે સપા ઉત્તર પ્રદેશમાં ઓછામાં ઓછી 60 સીટો જીતવા જઈ રહી છે. એટલું જ નહીં, તેમણે એમ પણ […]

વિશ્વ ઓલિમ્પિક બોક્સિંગ ક્વોલિફાયર્સમાં ભારતીય બોક્સરની જીત

નવી દિલ્હીઃ ઈટાલીમાં વિશ્વ ઓલિમ્પિક બોક્સિંગ ક્વોલિફાયર્સમાં બ્રિટનના લુઈસ રિચાર્ડસન ને હરાવી ભારતીય બોક્સર નિશાંત દેવે વિજય મેળવ્યો છે. શરૂઆતના રાઉન્ડમાં અન્ય પાંચ ભારતીય બોક્સરોને બહાર કર્યા બાદ આ ટુર્નામેન્ટમાં ભારતની પ્રથમ જીત છે. છ વખતની એશિયન ચેમ્પિયનશીપમાં 68.5 વજન કેટેગરીના ખેલાડી શિવ થાપાએ ઉઝબેકિસ્તાનના વર્તમાન વિશ્વ ચેમ્પિયન રુસલાન અબ્દુલ્લાએવ સામેનો મુકાબલો ગુમાવ્યો હતો. આ […]

રમતગમતમાં, ક્યારેય પરાજય થતો નથી; તમે કાં તો જીતો છો અથવા તમે શીખો છો: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ મારફતે પાલી સાંસદ ખેલ મહાકુંભને સંબોધન કર્યું હતું. તમામ સહભાગીઓને તેમની નોંધપાત્ર રમતગમતની પ્રતિભા દર્શાવવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “રમતગમતમાં ક્યારેય પરાજયનો સામનો કરવો પડતો નથી. તમે કાં તો જીતો છો અથવા તમે શીખો છો. તેથી હું માત્ર તમામ ખેલાડીઓને જ નહીં પરંતુ ત્યાં હાજર […]

ઉત્તરપ્રદેશ પેટાચૂંટણીઃ આઝમ ખાનના ગઢના કાંકરા ખર્યાં, અપના દળના ઉમેદવારની જીત

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની પેટાચૂંટણીમાં રામપુરની સ્વાર ટાંડા બેઠક ઉપરથી આઝામ ખાન પરિવારના સુપડા સાફ થઈ ગયા છે. આ બેઠક ઉપરથી અપના દળના શફીફ અન્સારીની જીત થઈ છે. ભાજપા સાથે ગઠબંધનથી અપના દળના શરીફ અંસારીએ સમાજવાદી પાર્ટીની અનુરાધા ચૌહાણને 9734 વોટથી પરાજય આપ્યો છે. શફીફ અન્સારીને 67434 મત મળ્યાં હતા, જ્યારે અનુરાધા ચૌહાણને 57710 વોટ મળ્યાં […]

ICC T-20 વર્લ્ડકપઃ ભારે રસાકસી બાદ બાંગ્લાદેશને ભારતે પરાજય આપ્યો

નવી દિલ્હીઃ આઈસીસી ટી-12 વર્લ્ડકપની સુપર-12માં આજે ઓસ્ટ્રેલિયાના એડિલેટમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને પાંચ રનથી પરાજય આપ્યો હતો. આમ સેમિફાઈનલમાં ભારતની એન્ટ્રી નક્કી મનાઈ રહી છે. જો કે, રવિવારે ટીમ ઈન્ડિયા ઝીમ્બાબ્વે સામે સુપર-12ની પોતાની અંતિમ મેચ રમશે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલીંગ લીધી હતી. પ્રથમ બેટીંગ કરતા ભારતે 20 ઓવરમાં 184 રન બનાવ્યાં […]

ભારતીય સંસ્કૃતિ લોકોના દિલ જીતવાની પ્રેરણા આપે છેઃ રાજ્યપાલ

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા યોજાયેલા 14 માં ટ્રાયબલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતના પ્રવાસે આવેલા ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના 40 આદિવાસી યુવાઓ સાથે રાજભવન ખાતે સંવાદ કર્યો હતો. રાજયપાલએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, યુવાઓ માટે વિકાસનું આકાશ ખુલ્લુ છે, ત્યારે શ્રેષ્ઠ શિક્ષણ અને ઇનોવેટીવ અભિગમ સાથે યુવાનો સફળતાના નવા […]

જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં હિન્દુ પક્ષની જીત, કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી

લખનૌઃ જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં વારાણસી કોર્ટે હિંદુ પક્ષની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે અંજુમન ઈન્તેજામિયા કમિટીની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે પાંચ મહિલા હિન્દુ પક્ષકારોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જ્ઞાનવાપી શ્રૃંગાર ગૌરી વિવાદ કેસમાં ચુકાદો સંભળાવતી વખતે જિલ્લા ન્યાયાધીશ એકે વિશ્વેશની સિંગલ બેન્ચે આ મામલાને સાંભળવા યોગ્ય ગણાવ્યો છે. જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં હિંદુ પક્ષના વકીલ […]

IPL 2022 : ગુજરાત ટાઇટન્સે છેલ્લી ઓવરની રોમાંચક મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું

મુંબઈઃ IPL 2022માં ગુજરાત ટાઇટન્સ એક સામૂહિક પ્રયાસ સાથે આવ્યા હતા કારણ કે તેઓએ સોમવારે મુંબઈમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે લડાઈમાં રોમાંચક જીત મેળવી હતી. મોહમ્મદ શમી અને રાહુલ તેવટિયાએ હાર્દિક પંડ્યાની ટીમની જીતમાં ભૂમિકા ભજવી હતી. બંને ટીમો માટે ઇન્ડિયન પ્રીમિયર લીગની પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સે લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું. મોહમ્મદ શમી, ડેવિડ […]

ઉત્તરપ્રદેશની જનતાએ જાતિવાદ અને પરિવારવાદને ફગાવ્યોઃ સીએમ યોગી

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો 260થી વધારે બેઠકો ઉપર વિજય થયો છે અને સતત બીજી વાર ભાજપ ઉત્તરપ્રદેશમાં સરકાર બનાવી રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય થતા ભાજપના નેતાઓ અને કાર્યકરોએ ઉજવણી કરી હતી. ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર યોગી આદિત્યનાથ ભાજપ કાર્યાલય પહોંચ્યાં હતા. અહીં હોળી પહેલા હોળીનો માહોલ જામ્યો હતો અને ભાજપના નેતાઓ અને […]

દિલ્હી-પંજાબની ક્રાંતિ આખા દેશમાં ફેલાઈ જશેઃ કેજરિવાલ

દિલ્હીઃ પંજાબ વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. આમ આદમી પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઉભી આવ્યો છે. દરમિયાન પંજાબમાં જીત પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે, પંજાબમાં ક્રાંતિ આવી ગઈ છે, અનેક સિનિયર રાજકીય આગેવાનોને હારનો સામનો કરવો પડ્યો છે. અમે પ્રામાણિક રાજકારણ શરૂ કર્યું અને આખી વ્યવસ્થા બદલી નાખી. અરવિંદ કેજરીવાલે કહ્યું કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code