1. Home
  2. ગુજરાતી
  3. IPL-2021ને લઈને આજે આવી શકે છે મોટો નિર્ણય, BCCI કરી શકે છે મોટી જાહેરાત
IPL-2021ને લઈને આજે આવી શકે છે મોટો નિર્ણય, BCCI કરી શકે છે મોટી જાહેરાત

IPL-2021ને લઈને આજે આવી શકે છે મોટો નિર્ણય, BCCI કરી શકે છે મોટી જાહેરાત

0
Social Share
  • IPL-2021ને લઈને થશે મોટી મીટિંગ
  • BCCI કરી શકે છે નવા નિર્ણયની જાહેરાત
  • કોરોનાને કારણે રોકવામાં આવી હતી આઈપીએલ

મુંબઈ: ભારતીય ક્રિકેટમાં આજના દિવસને મોટો દિવસ માનવામાં આવી રહ્યો છે. કારણ છે કે BCCI દ્વારા આજે ઓનલાઈન એસજીએમ (સ્પેશિયલ જનરલ મીટિંગ) થવા જઈ રહી છે અને તેમાં આઈપીએલને લઈને મોટી જાહેરાત થઈ શકે તેમ છે. કોરોના વાયરસથી કેટલાક ખેલાડી સંક્રમિત થવાના કારણે આઈપીએલની બાકીની મેચને રદ કરી દેવામાં આવી હતી અને તે બાકીની મેચ UAEમાં હવે યોજાઈ શકે તેમ છે.

થોડા સમય પહેલા BCCI દ્વારા આગળની આઈપીએલની મેચ 15 સપ્ટેમ્બરથી લઈને 15 ઓક્ટોબરની વચ્ચે યોજી શકે તેમ છે. BCCI દ્વારા આ વર્ષે ટી20 વર્લ્ડકપનું આયોજન પણ કરવાનું છે પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જોઈએ તો તેના પર પણ સંકટ ટળી રહ્યું છે. તો BCCI આજે તેના પર પણ ચર્ચા કરી શકે તેમ છે.BCCI ટી20 વર્લ્ડ કપનું આયોજન ભારતમાં જ કરવા માગે છે.

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીની અધ્યક્ષતામાં આ બેઠક થાય તેવી સંભાવનાઓ છે. અને આઈપીએલ 18થી 20 સપ્ટેમ્બરની વચ્ચે ફરીથી શરૂ થાય તેવી પણ સંભાવના છે. ક્રિકેટના રસિયાઓ માટે તે વાત મહત્વની છે કે, યુએઈના અબુધાબી, દૂબઈ અને શારજાહમાં આઈપીએલની અન્ય મેચ થવાની સંભાવના છે.

આઈપીએલમાં વિદેશી ખેલાડીઓ પણ રમે છે ત્યારે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના નિર્દેશક એશ્લે જાઈલ્સ દ્વારા કહેવામાં આવ્યું કે, તેમના દેશના ખેલાડીઓને આઈપીએલ રમવાની અનુમતી આપવામાં આવશે નહી. તેઓ ટી20 વર્લ્ડકપ પહેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓનું પાલન કરશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code