1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજપીપળાઃ ફાયર સેફ્ટીના મુદ્દે 3 સ્કૂલો કરાઈ સીલ
રાજપીપળાઃ ફાયર સેફ્ટીના મુદ્દે 3 સ્કૂલો કરાઈ સીલ

રાજપીપળાઃ ફાયર સેફ્ટીના મુદ્દે 3 સ્કૂલો કરાઈ સીલ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ફાયર સેફ્ટીના મુદ્દે હાઈકોર્ટના આકરા વલણ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. દરમિયાન નર્મદાના રાજપીપળામાં 3 સ્કૂલમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનું સામે આવ્યું હતું. જેથી પાલિકા તંત્ર દ્વારા આ ત્રણેય સ્કૂલને સીલ કરવામાં આવી છે.

રાજ્યમાં ફાયર સેફ્ટીના નિયમો અંગે કડક વલણ અપનાવવામાં આવી રહ્યુ છે. જેને લઇને નર્મદાના રાજપીપળા ખાતે ચેકીંગ કરાતા 3 સ્કૂલોમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો. નગરપાલિકા વિસ્તારમાં આવતી 3 સ્કૂલો પાસે ફાયર એનઓસી ન હોવાથી તેને સીલ કરવામાં આવી હતી. આ અગાઉ આ સ્કૂલોને 3 વખત નોટિસ આપવા છતાં પણ શાળા દ્વારા ફાયર એનઓસી લેવામાં આવી નહોતી. પરિણામે સ્કૂલ અનિશ્ચિત સમય માટે બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code