1. Home
  2. ગુજરાતી
  3. રામલલાને ગણતરીના દિવસોમાં 12 કરોડનો ચડાવો, ઓનલાઈન પણ ખૂબ મળી રહ્યું છે દાન
રામલલાને ગણતરીના દિવસોમાં 12 કરોડનો ચડાવો, ઓનલાઈન પણ ખૂબ મળી રહ્યું છે દાન

રામલલાને ગણતરીના દિવસોમાં 12 કરોડનો ચડાવો, ઓનલાઈન પણ ખૂબ મળી રહ્યું છે દાન

0
Social Share

લખનૌઃ રામભક્તો રામલલાના દરબારમાં દિલ ખોલીને દાન કરી રહ્યા છે. ઓનલાઈન અને ઓફલાઈન બંન્ને માધ્યામથી રામમંદિરમાં દાન આવી રહ્યું છે. 23 જાન્યુઆરીએ જ્યારથી રામ મંદિર ભક્તો માટે ખુલ્યું છે ત્યારથી લગતાર ભક્તો આવી રહ્યા છે. પાછલા દસ દિવસોમાં રામલલાને લગભગ 12 કરોડનું દાન મળ્યું છે. રામલલાના પ્રાણપ્રતિષ્ઠા વાળા દિવસે 22 જાન્યુઆરીએ સમારોહમાં પહોચેલા આઠ હજાર મહેમાનોએ પૂરા ભાવથી નિધિ સંમ્પર્ણ કરી હતી. 22 જાન્યુઆરીએ જ 3.17 કરોડનું દાન રામલલાને પ્રાપ્ત થયું હતું.
મુખ્યમંત્રી યોગી સાથે ભાજપના ધારાસભ્યો 11 ફેબ્રુઆરીએ રામલલાના દર્શન કરશે. આ દરમિયાન વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાના અને સમર્થક દળના ધારાસભ્યો પણ હાજર રહેશે. પૂર્વ સીએમ યોગીએ 1 ફેબ્રુઆરીએ કેબિનેટ સાથે દર્શન કરવાની જાહેરાત કરી હતી.
નવનિર્મિત રામ મંદિરની વાર્ષિક ઉત્સવ તાલિકા તૈયાર છે. નવા મંદિરમાં 14 ફેબ્રુઆરીએ વસંત પંચમી પહેલા તહેવાર તરીકે ઉજવવામાં આવશે. જેમાં માતા સરસ્વતીની પૂજા કરવામાં આવશે. સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. રામ મંદિરમાં આખા વર્ષ દરમિયાન 12 મુખ્ય તહેવારો અને ઉત્સવો ઉજવવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code