1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 4.5 ની તીવ્રતા નોંધાઈ
મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 4.5 ની તીવ્રતા નોંધાઈ

મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 4.5 ની તીવ્રતા નોંધાઈ

0
Social Share
  • મણિપુરમાં ભૂકંપના આંચકા
  • 4.5 ની નોંધાઈ તીવ્રતા
  • કોઈ નુકસાન કે જાનહાનિ નહીં

ઇમ્ફાલ : પૂર્વોતર રાજ્ય મણિપુરના ઉખરૂલમાં શુક્રવારે સવારે 5:56 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ, આ આંચકા ઉખરૂલના ઇએસઈથી 57 કિમી દૂર અનુભવાયા હતા. અત્યાર સુધીમાં જાન-માલને કોઈ નુકસાન થવા વિશે કોઈ માહિતી મળી નથી.

બે દિવસ પહેલા આસામના ગોલપરામાં 5.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એનસીએસના મતે આ ક્ષેત્ર ખૂબ જ ધરતીકંપથી સક્રિય છે. જોકે, ભૂકંપને કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. સોમવારે રાત્રે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં રિક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા ૩.7 નોંધાઇ હતી.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code