1. Home
  2. ગુજરાતી
  3. મુંબઈના બોરીવલી પશ્ચિમમાં 4 માળની ઈમારત ધરાશાયી થતાં કાટમાળમાં 15 લોક દટાયાની આશંકા
મુંબઈના બોરીવલી પશ્ચિમમાં 4 માળની ઈમારત ધરાશાયી થતાં કાટમાળમાં 15 લોક દટાયાની આશંકા

મુંબઈના બોરીવલી પશ્ચિમમાં 4 માળની ઈમારત ધરાશાયી થતાં કાટમાળમાં 15 લોક દટાયાની આશંકા

0
Social Share

મુંબઈઃ શહેરના બોરીવલી-પશ્ચિમ વિસ્તારમાં શુક્રવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બોરીવલીના સાંઈબાબાનગરમાં ચાર માળની ઈમારત ધડાકા સાથે ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની ટીમ અને પોલીસ પહોંચી ગઈ હતી, જેમાં 14થી 15 લોકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઈમારત 40 વર્ષ જૂની હોવાનું કહેવાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, મુંબઈના બોરીવલી-પશ્ચિમ વિસ્તારમાં સાંઈબાબાનગરમાં ચારમાળની 40 વર્ષ જુની ઈમારત  ધરાશાયી થઈ ગઈ હતી. આ ઈમારતનું નામ ગીતાંજલિ છે. ફાયરબ્રિગેડની આઠ ગાડી, બે બચાવ વાન અને ત્રણ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે હાજર હતી. ટીમ રાહત અને બચાવ કાર્યમાં વ્યસ્ત બન્યા હતા. મ્યુનિના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઈમારત 40 વર્ષ જૂની છે. BMCએ તેને જર્જરિત જાહેર કર્યું હતું. આ પછી બિલ્ડિંગને પણ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, મહાનગરી મંબઈમાં અનેક ઈમારતો વર્ષો જુની છે. અને ચોમાસામાં જર્જરિત ઈમારતો ધરાશી બનવાની ઘટનાઓ બનતી હોય છે. આ પહેલાં 15 ઓગસ્ટના રોજ મુંબઈના મુલુંડ વિસ્તારમાં એક ઘરની છતનો ભાગ તૂટી પડ્યો હતો, જેને કારણે કાટમાળ નીચે દબાઈને બે લોકોનાં મોત થયાં હતાં. આ ઈમારત લગભગ 20-25 વર્ષ જૂની હતી અને BMCએ તેના સંબંધમાં નોટિસ જારી કરી હતી. બે મહિના પહેલાં મુંબઈના કુર્લા-ઈસ્ટના નાઈકનગરમાં ચાર માળની ઈમારત ધરાશાયી થતાં 19 લોકોનાં મોત થયાં હતાં અને 15 લોકો ઘાયલ થયા હતા. આ ઈમારતને અગાઉ ‘જર્જરિત’ જાહેર કરવામાં આવી હતી, પરંતુ બાદમાં એને ‘સમારકામ યોગ્ય’ જાહેર કરવામાં આવી હતી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, નોટિસ બાદ પણ લોકો એમાં રહેતા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code